હિજાબ પર ઓવૈસીના નિવેદનથી રાજકીય ગરમાવો, ભાજપ-કોંગ્રેસે કર્યો પ્રહાર

મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીના એક નિવેદને રાજકીય માહોલ ગરમાવ્યો છે. સોલાપુરમાં એક કાર્યક્રમ દરમિયાન ઓવૈસીએ કહ્યું હતું કે, “એક દિવસ ભારતની પ્રધાનમંત્રી હિજાબ પહેરનારી બનશે.” તેમના આ નિવેદન બાદ ભાજપ અને કોંગ્રેસ તરફથી કડક પ્રતિક્રિયાઓ સામે આવી છે.

ઓવૈસીએ ભારતીય બંધારણનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આપણા દેશનું બંધારણ તમામ નાગરિકોને સમાન અધિકારો આપે છે અને અહીં કોઈપણ વ્યક્તિ પ્રધાનમંત્રી બની શકે છે. તેમણે પાકિસ્તાનનું ઉદાહરણ આપતાં કહ્યું કે ત્યાં માત્ર મુસ્લિમ પ્રધાનમંત્રી બની શકે છે, જ્યારે ભારતમાં આવી કોઈ બંધનકારક જોગવાઈ નથી. “હું ઈચ્છું છું કે એક દિવસ ભારતની પ્રધાનમંત્રી હિજાબ પહેરનારી બને,” તેમ તેમણે ઉમેર્યું હતું.

આ નિવેદન પર પ્રતિક્રિયા આપતાં ઉત્તર પ્રદેશના પ્રભારી ભાજપના મંત્રી દિનેશ સિંહે કહ્યું કે, “આ ફક્ત સ્વપ્ન જ હોઈ શકે છે. સ્વપ્ન જોવું ખરાબ નથી, પરંતુ તે દિવાસ્વપ્ન સમાન છે.”

કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદે પણ ઓવૈસીના નિવેદન પર ટીકા કરી હતી. તેમણે કહ્યું, “તેઓ એવી વાતો કરી રહ્યા છે જે શક્ય નથી. લોકશાહીમાં દરેકને અધિકાર છે, પરંતુ હિજાબ પહેરવો કે ન પહેરવો એ વ્યક્તિગત પસંદગી છે.”

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, “બંધારણ કોઈને પ્રધાનમંત્રી બનતા રોકતું નથી, પરંતુ ઓવૈસીએ પહેલા પોતાની પાર્ટીમાં પસમાંદા અથવા હિજાબ પહેરેલી મહિલાને અધ્યક્ષ બનાવવાની હિંમત બતાવવી જોઈએ.”

આ મુદ્દે રાજસભા સાંસદ મનોજકુમાર ઝાએ કહ્યું કે, “આ કોઈ મુદ્દો જ નથી. પ્રધાનમંત્રી કોઈ પણ બની શકે છે. આવા મુદ્દાઓ ઉછાળી નફરતની રાજનીતિને આગળ ધપાવવામાં આવે છે.”

મહારાષ્ટ્રમાં આવનારી મ્યુનિસિપલ ચૂંટણીઓના સંદર્ભમાં ઓવૈસીએ ફરી એકવાર ભારપૂર્વક કહ્યું કે, ભારતીય બંધારણ તમામ નાગરિકોને સમાન માને છે અને કોઈને ઊંચું કે નીચું ગણતું નથી. “અહીં બધા સમાન છે—આ જ લોકશાહીની સાચી ભાવના છે,” તેમ તેમણે જણાવ્યું.

ઓવૈસીના આ નિવેદન બાદ રાજ્ય અને રાષ્ટ્રીય રાજકારણમાં ચર્ચા તેજ બની છે, અને આગામી દિવસોમાં આ મુદ્દે રાજકીય ગરમાવો વધુ વધવાની શક્યતા છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Vadnagar શર્મિષ્ઠા તળાવ મહાઆરતી અને પદયાત્રા: અમિત શાહે PM મોદીને ગણાવ્યા ‘ધ્રુવ તારા’ 76 Unyielding National Pride

Vadnagarના શર્મિષ્ઠા તળાવ પર મહાઆરતી બાદ પદયાત્રા: અમિત શાહે કહ્યું- PM મોદી ધ્રુવ તારાની જેમ દુનિયામાં ચમકી રહ્યા છે; GMERS સેવા કેમ્પથી સેવાકીય કાર્યક્રમોને વેગ Vadnagar, 17 સપ્ટેમ્બર 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસને લઈને તેમના જન્મસ્થળ Vadnagarમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શર્મિષ્ઠા તળાવ ખાતે ભવ્ય મહાઆરતી, પદયાત્રા, હાટકેશ્વર મહાદેવના દર્શન તેમજ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વડનગરથી વારાણસી સુધીની સેવાયાત્રાને લઈને શહેરમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતી યોજાઈ હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા. Vadnagarમાં યોજાયેલા કાર્યક્રમોને વડાપ્રધાન મોદીના જાહેર જીવનના 25 વર્ષ અને સેવા-સમર્પણ સાથે જોડવામાં આવ્યા છે. ગુજરાતમાં 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજાવાનું…

Vadnagarથી ‘સેવા સંકલ્પ અભિયાન’નો ભવ્ય પ્રારંભ: શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતી, Elite Push 2026

Vadnagarથી ‘સેવા સંકલ્પ અભિયાન’નો ભવ્ય પ્રારંભ: શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતી, વડનગરથી વારાણસી બાઈક યાત્રાને ફ્લેગ ઓફ Vadnagar, 17 સપ્ટેમ્બર 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને તેમના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે મહેસાણાના Vadnagar ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. શર્મિષ્ઠા તળાવના કિનારે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાઆરતી યોજાઈ હતી અને વડાપ્રધાનના દીર્ઘાયુ તથા સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વડનગરથી વારાણસી સુધીની બાઈક યાત્રાને પણ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. -> શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતી : Vadnagar ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શર્મિષ્ઠા તળાવનું વિશેષ મહત્વ રહ્યું હતું. મહાનુભાવોએ તળાવના ઘાટ પર મહાઆરતીમાં ભાગ લીધો…