બસમાંથી મુસાફર પડી જવાના મોતના કેસમાં નડિયાદ કોર્ટનો મહત્વનો હુકમ

– ‘અ’ પડત સમરી યથાવત, પરંતુ વિશેષ તપાસ ચાલુ રાખવા આદેશ પંકજ મકવાણા – અમદાવાદ, ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસમાંથી મુસાફર પડી જવાથી થયેલા મૃત્યુના કેસમાં નડિયાદની એડિશનલ સેશન્સ કોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. કોર્ટે અગાઉ ટ્રાયલ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલી ‘અ’ પડત સમરીને યથાવત રાખી છે, પરંતુ કેસની તપાસ ચાલુ રાખવાની શરતને મહત્વ આપતાં તપાસ અધિકારીને વિશેષ તપાસ પૂર્ણ કરી તેના પ્રગતિ અહેવાલો નિયમિત રીતે કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ કર્યો છે. આ હુકમ તા. 5 ઓગસ્ટ 2026ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. કોર્ટના રેકોર્ડ મુજબ, તા. 26 જાન્યુઆરી 2026ના રોજ ગણેશ ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસ નંબર GJ-01-Z-0773 વડોદરા-અમદાવાદ નેશનલ એક્સપ્રેસ વે-1 પરથી પસાર થઈ રહી હતી. રાત્રે આશરે 11:45 વાગ્યે બીલોદરા સીમ વિસ્તારમાં મુસાફર…

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય: લિફ્ટ અકસ્માતમાં ડેવલોપર, મેઈન્ટેનન્સ કંપની અને બિલ્ડિંગ માલિક જવાબદાર ગણાશે

લિફ્ટ અકસ્માતોને લઈને સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે લિફ્ટમાં સર્જાતા અકસ્માત માટે માત્ર એક જ પક્ષને જવાબદાર ઠેરવી શકાય નહીં. લિફ્ટ બનાવનાર કંપની, તેની જાળવણી કરતી એજન્સી તેમજ બિલ્ડિંગ માલિક અથવા મેનેજમેન્ટની પણ જવાબદારી નક્કી થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે આજના સમયમાં લિફ્ટ માત્ર એક સુવિધા નથી, પરંતુ લોકોના રોજિંદા જીવન સાથે સીધી રીતે જોડાયેલું સુરક્ષા સાધન છે. તેથી લિફ્ટની ડિઝાઇન, સ્થાપન, નિયમિત તપાસ અને જાળવણીમાં બેદરકારી દાખવનાર દરેક પક્ષ સામે જવાબદારી નક્કી કરી શકાય છે. લિફ્ટને ‘Common Carrier’ તરીકે ગણાવી મહત્વપૂર્ણ ટિપ્પણી સુપ્રીમ કોર્ટે લિફ્ટને જાહેર પરિવહનના સાધન સમાન ગણાવી તેને ‘Common Carrier’ તરીકે વ્યાખ્યાયિત કરી છે. કોર્ટનું કહેવું છે કે લિફ્ટમાં મુસાફરી…

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: વધુ એક નજરે જોનાર સાક્ષીની જુબાની, તથ્ય પટેલની મુશ્કેલી વધી શકે

અમદાવાદના બહુ ચર્ચિત ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલ સામે ચાલી રહેલા ટ્રાયલ દરમિયાન વધુ એક મહત્વપૂર્ણ સાક્ષીની જુબાની નોંધાઈ છે. નજરે જોનાર સાક્ષીએ કોર્ટમાં ઘટનાની વિગત આપતા કેસમાં નવા વળાંકની શક્યતા ઊભી થઈ છે. અકસ્માત સમયે બ્રિજ પર હાજર હતો સાક્ષી મકરબા વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા સાક્ષીએ કોર્ટમાં જણાવ્યું કે 19 જુલાઈ 2023ના રોજ તે પોતાના બે મિત્રો સાથે એક્ટિવા પર વૈષ્ણોદેવી સર્કલ પાસે નાસ્તો કરવા ગયો હતો. નાસ્તો કરીને પરત ફરતી વખતે ઇસ્કોન બ્રિજ પર મોટી ભીડ જોઈ તેઓ ત્યાં રોકાયા હતા. સાક્ષીના જણાવ્યા મુજબ બ્રિજ પર અગાઉ ડમ્પર અને થાર વચ્ચે અકસ્માત થયો હતો. આ ઘટનાને જોવા માટે લોકો એકઠા થયા હતા. તે સમયે રાત્રિના અંદાજે 1 વાગ્યા હતા.…