વેકેશન ડેસ્ટિનેશન અમદાવાદ: મનોરંજન અને જ્ઞાનનો અદભૂત સંગમ

વેકેશન ડેસ્ટિનેશન અમદાવાદ: મનોરંજન અને જ્ઞાનનો અદભૂત સંગમ આ વેકેશનમાં માણો અમદાવાદી મિજાજ: ‘સ્માર્ટ અમદાવાદ’નો નવો નજારો મનોરંજન, વિજ્ઞાન અને પરંપરા: અમદાવાદના પ્રવાસમાં બધું જ એકસાથે અમદાવાદ આજે જે ઊંચાઈ પર પહોંચ્યું છે, તેનો સંપૂર્ણ શ્રેય સરકારના મજબૂત વિઝન અને પ્રવાસન ક્ષેત્રે લીધેલા ક્રાંતિકારી નિર્ણયોને જાય છે. માત્ર એક ઔદ્યોગિક કેન્દ્રમાંથી અમદાવાદને આંતરરાષ્ટ્રીય સ્તરનું ‘ટૂરિસ્ટ હબ’ બનાવવામાં સરકારની વિવિધ યોજનાઓ અને આધુનિક પ્રોજેક્ટ્સે પાયાની ભૂમિકા ભજવી છે. જેમાં ેેઉનાળાનું વેકેશન પડતા જ બાળકોથી લઈને મોટેરાઓ સુધી સૌ કોઈ ક્યાંક બહાર ફરવા જવાનું આયોજન કરતા હોય છે. જો તમે પણ આ વેકેશનમાં કોઈ એવા શહેરની શોધમાં હોવ જ્યાં ઈતિહાસ પણ હોય અને આધુનિકતા પણ, તો અમદાવાદ એ શ્રેષ્ઠ વિકલ્પ છે. ‘હેરિટેજ સિટી’ તરીકે જાણીતું આ શહેર હવે…

મધર્સ-ડે/ ઐતિહાસિક ધરોહર ઉપરકોટનાં કિલ્લામાં નોકરી કરતા સ્ટાફની માતાઓએ માણી મોજ

આપણી સંસ્કૃતિ પ્રમાણે મધર્સ-ડે હોય જ ન શકે, કારણ કે આપણી સંસ્કૃતિમાં માઁ ને ભગવાન કરતા પણ ઉપરનો દરજ્જો પ્રાપ્ત છે. અહીં માઁ નો દિવસ હોય જ ન શકે અહીં તો સમગ્ર જીવન અને જીવન પર્યાતનો કાળ પણ માઁ માટે સમર્પિત છે. પરંતુ આજે વિશ્વની તમામ સંસ્કૃતિ એક સાથે ચાલતી દેખાય છે. અને સનાતની ભારત તમામને નાત-જાત, દેશ, ઘર્મને સાથે રાખીને ચાલતો દેશ છે. ભારતએ વિશ્વનો એક માત્ર એવો દેશ છે જેની માતૃ વિભક્તિ છે અને માટે જ ભારત માતા ની જય કહેવામાં આવે છે. આવા ઐતિહાસિક દેશનાં ઐતિહાસિક જૂનાગઢનાં ઐતિહાસિક સ્થળ એવા ઉપરકોટનાં કિલ્લા ખાતે પણ માઁ માટે અને માઁ સાથે ઉજવણી કરવામાં આવી.

ધર્મભૂમિ પર ધર્મભક્તિ, દેશભક્તિ, સૈન્યશક્તિનો સંગમ

ધર્મભૂમિ પર ધર્મભક્તિ, દેશભક્તિ, સૈન્યશક્તિનો સંગમ … સોમનાથ મંદિર પર એરફોર્સની ટીમ દ્વારા ૧૧મીએ સવારે ૧૧ કલાકે “સૂર્યકિરણનો શૌર્યાભિષેક”, દિલધડક એર શો ૦૦૦ રિહર્સલમાં જ પાયલટોએ સાહસભર્યા કરતબો થકી લોકોના દિલ જીત્યા ૦૦૦ વેરાવળ, તા. ૧૦ મે ૨૦૨૬ – સોમનાથ મંદિરના પુન: નિર્માણના ૭૫ વર્ષ નિમિત્તે “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬”ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ અવસરે ભારતીય વાયુસેનાની સુપ્રસિદ્ધ ‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’ (SKAT) દ્વારા ૧૧ મેના રોજ મંદિરના આકાશમાં અદભૂત હવાઈ કરતબોનું નિદર્શન કરવામાં આવશે. આજે સવારે જ્યારે સૂર્યકિરણની ટીમ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું ત્યારે પાયલટોના સાહસભર્યા ઉડાનો જોઈને હાજર લોકો દંગ રહી ગયા હતા અને હર્ષનાદ સાથે એરફોર્સના પાયલટને વધાવી લીધા હતા. સૂર્યકિરણ ટીમના વિંગ કમાન્ડર શ્રી જનમીત શર્મા તરફથી મળતી માહિતી મુજબ, ભારતીય વાયુસેનાના એમ્બેસેડર…

દિલજીત દોસાંજનો કેનેડામાં દબદબો: ખાલિસ્તાની ઝંડા લહેરાવનારાઓને સ્ટેજ પરથી ચેતવણી

કેનેડામાં લાઈવ કોન્સર્ટ દરમિયાન પંજાબી ગાયક દિલજીત દોસાંઝે ખાલિસ્તાની સમર્થનમાં સૂત્રોચ્ચાર કરનારા કેટલાક લોકો સામે કડક વલણ અપનાવીને ચર્ચાનો વિષય બની ગયો છે. કોન્સર્ટ દરમિયાન બનેલી આ ઘટના હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. સ્ટેજ પરથી જ આપી કડક ચેતવણી વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે દિલજીત દોસાંઝ પોતાનું પર્ફોર્મન્સ આપી રહ્યો હતો, ત્યારે ભીડમાં કેટલાક લોકો ખાલિસ્તાની ઝંડા લહેરાવતા નજરે પડ્યા. આ જોઈને તેણે તરત જ ગાયન રોકી દીધું અને માઈક પર જ કહ્યું કે, “જેટલા ઝંડા બતાવવા હોય બતાવો, પણ જરૂર પડી તો તમને ઉઠાવીને બહાર ફેંકી દઈશ.” તેના આ સ્પષ્ટ અને કડક નિવેદન પર હાજર ફેન્સે તાળીઓથી સમર્થન આપ્યું. તજિન્દર બગ્ગાએ કરી પ્રશંસા ભાજપના નેતા તેજિંદર બગ્ગાએ આ વીડિયો સોશિયલ…

બ્લોકબસ્ટર ફિલ્મ ‘3 ઈડિયટ્સ’નો સિક્વલ કન્ફર્મ: આમિર ખાને કર્યો મોટો ખુલાસો, 10 વર્ષ આગળ વધશે વાર્તાનો રસપ્રદ સફર

બોલિવુડની સુપરહિટ ફિલ્મ 3 Idiots ના ચાહકો માટે મોટી ખુશખબર સામે આવી છે. લગભગ 2 કલાક 50 મિનિટ લાંબી આ બ્લોકબસ્ટર ફિલ્મનો સિક્વલ હવે સત્તાવાર રીતે કન્ફર્મ થઈ ગયો છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન અભિનેતા Aamir Khanએ આ અંગે મહત્વપૂર્ણ અપડેટ આપ્યું છે. આમિર ખાને જણાવ્યું કે ‘3 ઇડિયટ્સ’ નો સિક્વલ પ્રથમ ભાગથી આશરે 10 વર્ષ આગળની વાર્તા રજૂ કરશે. એટલે કે, દર્શકોને ફરી એકવાર રેન્ચો, ફરહાન અને રાજુના જીવનમાં થયેલા બદલાવ જોવા મળશે, પરંતુ આ વખતે તેમની કહાની વધુ પરિપક્વ અને રસપ્રદ હશે. ફિલ્મના દિગ્દર્શક Rajkumar Hirani પણ આ પ્રોજેક્ટને લઈને ખૂબ ઉત્સાહિત છે. માહિતી મુજબ, ફિલ્મની સ્ક્રિપ્ટ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે અને ટીમ ઈચ્છે છે કે સિક્વલ પણ પહેલા ભાગ જેવી જ…

શિવાજી મહારાજના ઈતિહાસ પર ઉઠ્યો વિવાદ, રિતેશ દેશમુખનો તીખો પ્રતિકાર

બોલિવૂડ એક્ટર Riteish Deshmukhની ફિલ્મ ‘રાજા શિવાજી’ હાલમાં ભારે ચર્ચામાં છે. ટ્રેલર રિલીઝ થયા બાદ ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ ઊભો થયો છે. ખાસ કરીને Chhatrapati Shivaji Maharajના પાત્રને કેવી રીતે રજૂ કરવામાં આવ્યું છે તે મુદ્દે લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. ટ્રેલર બાદ કેમ થયો વિવાદ? ફિલ્મના ટ્રેલરમાં એક સીન ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં શિવાજી મહારાજ (રિતેશ દેશમુખ) એક પાત્રને ખુલ્લેઆમ વાઘ નખ (ટાઈગર ક્લો) બતાવતા જોવા મળે છે. આ સીનને લઈને યુઝર્સનો દાવો છે કે ઇતિહાસ પ્રમાણે શિવાજી મહારાજે અફઝલ ખાન પર હુમલો કરતા પહેલા વાઘ નખ છુપાવી રાખ્યા હતા, જાહેરમાં બતાવ્યા નહોતા. રાજકીય પ્રતિસાદ પણ આવ્યો આ મુદ્દે ભાજપ નેતા Suresh Nakhuaએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટીકા કરી…

ધીરેન્દ્ર શાસ્ત્રીના આમંત્રણ પર પ્રયાગરાજ પહોંચ્યા ‘રામાયણ’ના રામ-સીતા-લક્ષ્મણ,ઝલક જોવા ઉમટ્યો ભક્તોનો સાગર

પ્રયાગરાજમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ ત્યારે જોવા મળ્યો, જ્યારે હનુમંત કથાથી પહેલા ભવ્ય કલશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રામાં 80ના દાયકાના લોકપ્રિય ટીવી ધારાવાહિક રામાયણના પ્રખ્યાત કલાકારો અરુણ ગોવિલ,દીપિકા ચિખલિયા અને સુનીલ લહરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની એક ઝલક જોવા માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ ભવ્ય શોભાયાત્રા Dhirendra Krishna Shastri ના આમંત્રણ પર યોજાઈ હતી. ઢોલ-નગારા અને ભક્તિના જયઘોષ વચ્ચે યાત્રા નીકળી, જેમાં લોકો દ્વારા ફૂલોની વર્ષા કરીને કલાકારોનું સ્વાગત કરવામાં આવ્યું. સમગ્ર વાતાવરણ “જય શ્રી રામ” ના નાદથી ગૂંજી ઉઠ્યું. આ કાર્યક્રમ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક રીતે પણ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો. રામાયણમાં ‘રામ-સીતા-લક્ષ્મણ’ તરીકે લોકોના દિલોમાં વસેલા આ કલાકારોને એકસાથે જોઈને અનેક ભક્તો ભાવુક બની ગયા. ઘણા…

આનંદીબેન પટેલની દોહિત્રી સંસ્કૃતિનો બોલિવુડમાં ભવ્ય ડેબ્યૂ, ‘કૃષ્ણાવતારમ’થી શરૂ થશે સફર

મનોરંજન જગતમાં હાલ એક ખાસ ચર્ચા જોર પકડી રહી છે, રાજકારણ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક અનોખું મિલન. આનંદીબેન પટેલની પૌત્રી સંસ્કૃતિ જયના હવે રૂપેરી પડદે પોતાની ઓળખ બનાવા માટે તૈયાર છે. તેની ડેબ્યુ ફિલ્મ કૃષ્ણાવતારમ પાર્ટ 1: ધ હાર્ટને લઈને દર્શકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. સંસ્કૃતિ જયના આ ફિલ્મમાં ‘સત્યભામા’ ના મહત્વપૂર્ણ અને શક્તિશાળી પાત્રમાં જોવા મળશે. તેના રાજકીય પૃષ્ઠભૂમિ હોવા છતાં, તેણે પોતાની મહેનત અને પ્રતિભાના આધારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ મોટો મોકો મેળવ્યો છે. ટ્રેલરમાં તેની શાહી અંદાજ, અભિનય અને વ્યક્તિત્વે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. આ ફિલ્મનું નિર્દેશન હાર્દિક ગજ્જરએ કર્યું છે. ફિલ્મમાં સિદ્ધાર્થ ગુપ્તા ભગવાનકૃષ્ણના  પાત્રમાં છે, જ્યારે સુષ્મિતા ભટ્ટ રાધાના પવિત્ર પાત્રમાં નજરે પડશે. પૌરાણિક અને ભક્તિભાવથી ભરપૂર આ ફિલ્મ…

બોક્સ ઓફિસ પર ધમાકો: ‘ધુરંધર’ સીરિઝે 3000 કરોડ પાર કર્યા

ભારતીય સિનેમામાં એક નવો ઈતિહાસ રચાયો છે. Dhurandhar ફિલ્મ ફ્રેન્ચાઈઝીએ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરતાં વિશ્વભરમાં 3000 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કરીને દેશની પ્રથમ એવી ફિલ્મ સીરિઝ બની છે જેણે આ આંકડો પાર કર્યો છે. 3000 કરોડ પાર કરનાર પ્રથમ ભારતીય ફ્રેન્ચાઈઝી Jio Studios અને B62 Studiosના બેનર હેઠળ બનેલી આ સીરિઝને જ્યોતિ દેશપાંડે, આદિત્ય ધર અને લોકેશ ધર દ્વારા નિર્મિત કરવામાં આવી છે. ફિલ્મની સફળતાએ ભારતીય સિનેમાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપી છે. બંને ફિલ્મો 1000 કરોડ ક્લબમાં આ ફ્રેન્ચાઈઝીની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના બંને ભાગોએ વ્યક્તિગત રીતે 1000 કરોડનો આંકડો પાર કર્યો છે. Dhurandhar 1: રિલીઝ થતાં જ ધમાકેદાર શરૂઆત કરી અને લગભગ 1300 કરોડ રૂપિયાની કમાણી કરી. Dhurandhar 2:…

સુર સામ્રાજ્ઞા આશા ભોંસલેને દેશે આપી ભાવભીની વિદાય : પુત્રએ આપ્યો મુખાગ્નિ

ભારતીય સંગીત જગત માટે આજે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સુરીલા અવાજની માલિક અને દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું ૯૨ વર્ષની વયે નિધન થયું છે. તેમના અવસાનથી મનોરંજન ઉદ્યોગમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. અંતિમ વિદાય દરમિયાન તેમના પુત્ર આનંદ ભોંસલેએ માતાના અંતિમ સંસ્કાર કર્યા અને ચિતાને અગ્નિદાહ આપ્યો. પરિવારજનો અને નજીકના લોકો માટે આ ક્ષણ ખૂબ જ ભાવુક રહી. તેમની પૌત્રી જેનાઈ દાદીને અંતિમવાર જોઈને દુઃખમાં તૂટી પડી હતી.