મધર્સ-ડે/ ઐતિહાસિક ધરોહર ઉપરકોટનાં કિલ્લામાં નોકરી કરતા સ્ટાફની માતાઓએ માણી મોજ

@કૃતાર્થ વૈશ્નવ, સંવાદદાતા – જૂનાગઢ

આપણી સંસ્કૃતિ પ્રમાણે મધર્સ-ડે હોય જ ન શકે, કારણ કે આપણી સંસ્કૃતિમાં માઁ ને ભગવાન કરતા પણ ઉપરનો દરજ્જો પ્રાપ્ત છે. અહીં માઁ નો દિવસ હોય જ ન શકે અહીં તો સમગ્ર જીવન અને જીવન પર્યાતનો કાળ પણ માઁ માટે સમર્પિત છે. પરંતુ આજે વિશ્વની તમામ સંસ્કૃતિ એક સાથે ચાલતી દેખાય છે. અને સનાતની ભારત તમામને નાત-જાત, દેશ, ઘર્મને સાથે રાખીને ચાલતો દેશ છે. ભારતએ વિશ્વનો એક માત્ર એવો દેશ છે જેની માતૃ વિભક્તિ છે અને માટે જ ભારત માતા ની જય કહેવામાં આવે છે. આવા ઐતિહાસિક દેશનાં ઐતિહાસિક જૂનાગઢનાં ઐતિહાસિક સ્થળ એવા ઉપરકોટનાં કિલ્લા ખાતે પણ માઁ માટે અને માઁ સાથે ઉજવણી કરવામાં આવી.

આ પણ વાંચો – સોનું નહીં ખરીદીએ તો દેશને શું ફાયદો? PM મોદીની અપીલ પાછળનું આર્થિક ગણિત સમજીએ

ઉપરકોટ કિલ્લો મેનેજ કરતી સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઈવેટ લિમિટેડ કંપની ઉપરકોટ કિલ્લા, મહાબ્બત મકબરા, મજેવડી ગેટસ્થિત એન્ટીક કોઈન મ્યુઝિયમ તથા સરદાર ગેટ ગેલેરીનું સંચાલન કરી રહી છે. કંપનીનાં ટુરીઝમ ડેસ્ટિનેશન હેડ રાજેશ તોતલાણી એ જણાવ્યું કે આજ ઉપરકોટ કિલ્લા ખાતે મધર્સ ડે નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મધર્સ ડે પ્રસંગે કંપનીનાં તમામ સ્ટાફ સભ્યોની માતાઓને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિવિધ મનોરંજક રમતો, ફન એક્ટિવિટી સાથે આનંદ ભર્યો સમય પસાર કરવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપસ્થિત તમામ માતાઓએ કાર્યક્રમની પ્રશંસા કરી અને આ અનોખી પહેલ બદલ કંપની પ્રત્યે આભાર વ્યક્ત કર્યો.

આ પણ વાંચો – “માત્ર દીકરીઓને નહીં, દીકરાઓને પણ સંસ્કાર આપો”: અનાર પટેલની સમાજને ટકોર

સામાન્ય રીતે માતા ભોજન પીરસતી હોઈ છે, પણ અહીં સ્ટાફ દ્વારા માતાઓને ભોજન પિરસી ને પૂણ્યતાની અનુભૂતી લેવામાં આવી. સમગ્ર કાર્યક્રમ આનંદ, ઉત્સાહ અને પરિવારિક વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ ઉજવવામાં આવ્યો અને માતાઓ પ્રત્યે ખરેખર આભાર વ્યક્ત કરવાની અનોખી સફળ કોશિશ કરવામાં આવી.

 

#Mothers_of_staff  #historic #heritage #Uparkot_Fort  #MothersDay #Maa

Follow us on

  • Related Posts

    વેકેશન ડેસ્ટિનેશન અમદાવાદ: મનોરંજન અને જ્ઞાનનો અદભૂત સંગમ

    વેકેશન ડેસ્ટિનેશન અમદાવાદ: મનોરંજન અને જ્ઞાનનો અદભૂત સંગમ આ વેકેશનમાં માણો અમદાવાદી મિજાજ: ‘સ્માર્ટ અમદાવાદ’નો નવો નજારો મનોરંજન, વિજ્ઞાન અને પરંપરા: અમદાવાદના પ્રવાસમાં બધું જ એકસાથે અમદાવાદ આજે જે ઊંચાઈ…

    “માત્ર દીકરીઓને નહીં, દીકરાઓને પણ સંસ્કાર આપો”: અનાર પટેલની સમાજને ટકોર

    બનાસકાંઠા જિલ્લાના ગઢ ગામ ખાતે આયોજિત સરદાર પટેલની પ્રતિમાનાં અનાવરણ કાર્યક્રમ દરમિયાન પાટીદાર અગ્રણી અનાર પટેલે સમાજમાં વધી રહેલા દારૂના દૂષણ અને પ્રેમલગ્નોના મુદ્દે ખુલ્લેઆમ ચિંતા વ્યક્ત કરી હતી. સમાજને…