મધર્સ-ડે/ ઐતિહાસિક ધરોહર ઉપરકોટનાં કિલ્લામાં નોકરી કરતા સ્ટાફની માતાઓએ માણી મોજ

@કૃતાર્થ વૈશ્નવ, સંવાદદાતા – જૂનાગઢ

આપણી સંસ્કૃતિ પ્રમાણે મધર્સ-ડે હોય જ ન શકે, કારણ કે આપણી સંસ્કૃતિમાં માઁ ને ભગવાન કરતા પણ ઉપરનો દરજ્જો પ્રાપ્ત છે. અહીં માઁ નો દિવસ હોય જ ન શકે અહીં તો સમગ્ર જીવન અને જીવન પર્યાતનો કાળ પણ માઁ માટે સમર્પિત છે. પરંતુ આજે વિશ્વની તમામ સંસ્કૃતિ એક સાથે ચાલતી દેખાય છે. અને સનાતની ભારત તમામને નાત-જાત, દેશ, ઘર્મને સાથે રાખીને ચાલતો દેશ છે. ભારતએ વિશ્વનો એક માત્ર એવો દેશ છે જેની માતૃ વિભક્તિ છે અને માટે જ ભારત માતા ની જય કહેવામાં આવે છે. આવા ઐતિહાસિક દેશનાં ઐતિહાસિક જૂનાગઢનાં ઐતિહાસિક સ્થળ એવા ઉપરકોટનાં કિલ્લા ખાતે પણ માઁ માટે અને માઁ સાથે ઉજવણી કરવામાં આવી.

આ પણ વાંચો – સોનું નહીં ખરીદીએ તો દેશને શું ફાયદો? PM મોદીની અપીલ પાછળનું આર્થિક ગણિત સમજીએ

ઉપરકોટ કિલ્લો મેનેજ કરતી સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઈવેટ લિમિટેડ કંપની ઉપરકોટ કિલ્લા, મહાબ્બત મકબરા, મજેવડી ગેટસ્થિત એન્ટીક કોઈન મ્યુઝિયમ તથા સરદાર ગેટ ગેલેરીનું સંચાલન કરી રહી છે. કંપનીનાં ટુરીઝમ ડેસ્ટિનેશન હેડ રાજેશ તોતલાણી એ જણાવ્યું કે આજ ઉપરકોટ કિલ્લા ખાતે મધર્સ ડે નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મધર્સ ડે પ્રસંગે કંપનીનાં તમામ સ્ટાફ સભ્યોની માતાઓને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિવિધ મનોરંજક રમતો, ફન એક્ટિવિટી સાથે આનંદ ભર્યો સમય પસાર કરવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપસ્થિત તમામ માતાઓએ કાર્યક્રમની પ્રશંસા કરી અને આ અનોખી પહેલ બદલ કંપની પ્રત્યે આભાર વ્યક્ત કર્યો.

આ પણ વાંચો – “માત્ર દીકરીઓને નહીં, દીકરાઓને પણ સંસ્કાર આપો”: અનાર પટેલની સમાજને ટકોર

સામાન્ય રીતે માતા ભોજન પીરસતી હોઈ છે, પણ અહીં સ્ટાફ દ્વારા માતાઓને ભોજન પિરસી ને પૂણ્યતાની અનુભૂતી લેવામાં આવી. સમગ્ર કાર્યક્રમ આનંદ, ઉત્સાહ અને પરિવારિક વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ ઉજવવામાં આવ્યો અને માતાઓ પ્રત્યે ખરેખર આભાર વ્યક્ત કરવાની અનોખી સફળ કોશિશ કરવામાં આવી.

 

#Mothers_of_staff  #historic #heritage #Uparkot_Fort  #MothersDay #Maa

Follow us on

  • Related Posts

    જામનગરમાં ચાંદીપુરાની દહેશત: વધુ 3 બાળ દર્દીઓનાં મોત, શંકાસ્પદ મૃત્યુઆંક 9 થયો

    જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ કેસોને લઈને ચિંતા વધી રહી છે. જિલ્લામાં ચાંદીપુરા રોગના લક્ષણો ધરાવતા બાળ દર્દીઓમાં છેલ્લા કેટલાક દિવસોથી વધારો જોવા મળ્યો છે. દરમિયાન છેલ્લા બે દિવસમાં વધુ ત્રણ બાળ દર્દીઓનાં સારવાર દરમિયાન મોત થતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. આ સાથે જામનગર જિલ્લામાં ચાંદીપુરા સંબંધિત શંકાસ્પદ કેસોમાં અત્યાર સુધી કુલ 9 બાળકોનાં મોત થયાં હોવાનું સામે આવ્યું છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા બાળ દર્દીઓની સંખ્યા અગાઉ પાંચ સુધી પહોંચી હતી. જોકે, ત્રણ દર્દીઓનાં મોત બાદ હવે હોસ્પિટલમાં બે બાળ દર્દીઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા બંને દર્દીઓની સારવાર અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ધ્રોલના બાળકનો ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ ધ્રોલ પંથકના એક બાળકમાં ચાંદીપુરા…

    Jharkhand Rahul Gandhi On Jharkhand Police Lathicharge 2026 રાહુલ ગાંધી ઝારખંડ નિવેદન: ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ મુદ્દે રાહુલ ગાંધીનો વિરોધ, કહ્યું- આ ખોટું છે Strong Opposition

    Jharkhand ઝારખંડમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પોલીસ કાર્યવાહી અંગે રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે વિદ્યાર્થીઓ પર બળપ્રયોગને ખોટો ગણાવી સરકાર પાસે જવાબદારી અને ન્યાયની માંગ કરી. Jharkhand ઝારખંડમાં પરીક્ષા અને ભરતી સંબંધિત મુદ્દાઓને લઈને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજકીય માહોલ ગરમાયો છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામાં આવ્યો હોવાના અહેવાલો બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ પર બળપ્રયોગને ખોટું ગણાવતા કહ્યું છે કે પોતાની માંગણીઓ માટે અવાજ ઉઠાવી રહેલા યુવાનો સાથે દમનાત્મક વલણ અપનાવવું યોગ્ય નથી. આ ઘટનાને કારણે ઝારખંડમાં વિદ્યાર્થી આંદોલનનો મુદ્દો હવે રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે. એક તરફ વિદ્યાર્થીઓ પરીક્ષા પ્રક્રિયા અને ભરતી સંબંધિત પોતાની માંગણીઓ સાથે રસ્તા પર…