વેકેશન ડેસ્ટિનેશન અમદાવાદ: મનોરંજન અને જ્ઞાનનો અદભૂત સંગમ

વેકેશન ડેસ્ટિનેશન અમદાવાદ: મનોરંજન અને જ્ઞાનનો અદભૂત સંગમ

આ વેકેશનમાં માણો અમદાવાદી મિજાજ: ‘સ્માર્ટ અમદાવાદ’નો નવો નજારો

મનોરંજન, વિજ્ઞાન અને પરંપરા: અમદાવાદના પ્રવાસમાં બધું જ એકસાથે

અમદાવાદ આજે જે ઊંચાઈ પર પહોંચ્યું છે, તેનો સંપૂર્ણ શ્રેય સરકારના મજબૂત વિઝન અને પ્રવાસન ક્ષેત્રે લીધેલા ક્રાંતિકારી નિર્ણયોને જાય છે. માત્ર એક ઔદ્યોગિક કેન્દ્રમાંથી અમદાવાદને આંતરરાષ્ટ્રીય સ્તરનું ‘ટૂરિસ્ટ હબ’ બનાવવામાં સરકારની વિવિધ યોજનાઓ અને આધુનિક પ્રોજેક્ટ્સે પાયાની ભૂમિકા ભજવી છે. જેમાં ેેઉનાળાનું વેકેશન પડતા જ બાળકોથી લઈને મોટેરાઓ સુધી સૌ કોઈ ક્યાંક બહાર ફરવા જવાનું આયોજન કરતા હોય છે. જો તમે પણ આ વેકેશનમાં કોઈ એવા શહેરની શોધમાં હોવ જ્યાં ઈતિહાસ પણ હોય અને આધુનિકતા પણ, તો અમદાવાદ એ શ્રેષ્ઠ વિકલ્પ છે. ‘હેરિટેજ સિટી’ તરીકે જાણીતું આ શહેર હવે ટેકનોલોજી અને મનોરંજનના નવા કેન્દ્રો સાથે પ્રવાસીઓનું સ્વાગત કરી રહ્યું છે.

અમદાવાદ શહેર હવે માત્ર જૂની પોળો અને ઐતિહાસિક સ્મારકો પૂરતું સીમિત નથી રહ્યું. છેલ્લા કેટલાક વર્ષોમાં અમદાવાદમાં એવા અનેક વિશ્વસ્તરીય પ્રોજેક્ટ્સ તૈયાર થયા છે જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જો તમે આ વેકેશનમાં ફેમિલી અથવા મિત્રો સાથે ફરવાનું વિચારી રહ્યા હોવ, તો અમદાવાદના ‘નવીન નજરાણા’ તમારે ચોક્કસ જોવા જોઈએ.

સાબરમતી રિવરફ્રન્ટ અને અટલ બ્રિજ એટલે અમદાવાદની શાન ગણાતા સાબરમતી રિવરફ્રન્ટમાં હવે ઘણું બધું નવું છે. સૌથી આકર્ષક છે અટલ બ્રિજ. આ ફૂટ-ઓવર બ્રિજ તેની સુંદર ડિઝાઈન અને રાત્રિના સમયે ઝગમગતી લાઈટો માટે જાણીતો છે. અહીંથી નદીનો નજારો ખૂબ સુંદર દેખાય છે. જો તમે બાળકો સાથે મુલાકાત લઈ રહ્યા હોવ, તો સાયન્સ સિટીની ગેલેરીઓ અચૂક જોવી જોઈએ. સાયન્સ સિટી એક પરફેક્ટ સ્થળ છે. અહીંની એક્વેટિક ગેલેરી ભારતની સૌથી મોટી ગેલેરીમાંની એક છે, જેમાં તમે શાર્ક જેવી માછલીઓને કાચની ટનલમાંથી પસાર થતી જોઈ શકો છો. સાથે જ રોબોટિક ગેલેરીમાં રોબોટ્સ દ્વારા પીરસવામાં આવતી ચા અને તેમના કામ કરવાની પદ્ધતિ બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં ભારતની સૌથી મોટી માછલીઘર ટનલ આવેલી છે. જ્યારે તમારી ઉપર અને આજુબાજુથી શાર્ક અને અન્ય દરિયાઈ જીવો પસાર થાય, ત્યારે તે અનુભવ યાદગાર બની જાય છે. અહીં વિવિધ પ્રકારના રોબોટ્સ જોવા મળે છે. રોબોટ દ્વારા ચલાવવામાં આવતું કાફે અને રોબોટિક ડાન્સ પ્રદર્શન બાળકોને ખૂબ જ ગમે છે.

મોટેરામાં આવેલું આ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે.ક્રિકેટના શોખીન હોવ કે ના હોવ, પણ આ વિશાળ સ્ટેડિયમની ભવ્યતા જોવા જેવી છે. આ સ્ટેડિયમની અત્યાધુનિક ડિઝાઈન અને લાઇટિંગ વ્યવસ્થા તેને ખાસ બનાવે છે. કાંકરિયા તળાવ તો વર્ષોથી લોકપ્રિય છે જ, પરંતુ હવે ત્યાં ઘણી નવી એક્ટિવિટીઝ ઉમેરાઈ છે. નવી બાલવાટિકા, કિડ્સ સિટી, ટોય ટ્રેન અને પ્રાણી સંગ્રાલય ઉપરાંત હવે ત્યાં વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઝની સુવિધા પણ વધારવામાં આવી છે.

અમદાવાદ એટલે ખાણીપીણીનું શહેર. અમદાવાદનું વેકેશન તેના ખોરાક વગર અધૂરું છે. રાત્રિના સમયે માણેકચોકનો ચટાકેદાર ખોરાક અને નવા બનેલા ‘ખાઉ ગલી’ પ્રવાસીઓની પહેલી પસંદ છે. માણેકચોકની પરંપરાગત વાનગીઓ સાથે હવે સિંધુ ભવન રોડ પર અનેક નવી અને આધુનિક રેસ્ટોરન્ટ્સ અને કાફે ખૂલ્યા છે. અમદાવાદ હવે આધુનિક અને સ્માર્ટ સિટી બની ચૂક્યું છે. અહીં શિક્ષણ, મનોરંજન અને સ્થાપત્યનો સુંદર સમન્વય જોવા મળે છે. જો તમે ગરમીથી બચવા માંગતા હોવ, તો સવારના વહેલા અથવા બપોર પછી આ સ્થળોની મુલાકાત લેવાનું આયોજન કરવું શ્રેષ્ઠ રહેશે. તમારા આ વેકેશનને અમદાવાદના આ અનોખા આકર્ષણો સાથે વધુ ખાસ બનાવો! અમદાવાદ હવે માત્ર ગુજરાતનું આર્થિક પાટનગર નથી, પણ પ્રવાસનનું પણ હબ છે. જો તમે આ વેકેશનમાં વિજ્ઞાન, સંસ્કૃતિ અને આધુનિક લાઈફસ્ટાઈલનો અનુભવ એકસાથે કરવા માંગતા હોવ, તો અમદાવાદ તમારું સ્વાગત કરવા તૈયાર છે.

  • Related Posts

    અરૂણાચલના નકશા પર ભડક્યું ચીન, ભારતના 27 સ્થળોના નામથી વધ્યો વિવાદ

    ભારત અને ચીન વચ્ચેનો સીમા વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. અરૂણાચલ પ્રદેશને લઈને બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા મતભેદ વચ્ચે ભારતના નવા નકશાને લઈને ચીને વિરોધ નોંધાવ્યો છે. ભારતે પોતાના સત્તાવાર નકશામાં અરૂણાચલ પ્રદેશના 27 સ્થળોના નામ સામેલ કર્યા છે. ચીને આ નિર્ણયને પોતાના દાવાવાળા ‘ઝાંગનાન’ ક્ષેત્રમાં ભારતની એકતરફી કાર્યવાહી ગણાવીને તેની ટીકા કરી છે. ચીની નિષ્ણાતોના મતે ભારતનું આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે બંને દેશો વચ્ચેના સંબંધોમાં ધીમે ધીમે સુધારાના સંકેતો જોવા મળી રહ્યા છે. બીજી તરફ ભારતનું વલણ સ્પષ્ટ છે કે અરૂણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન હિસ્સો છે અને પોતાના વિસ્તારના ભૌગોલિક તથા ઐતિહાસિક નામ નક્કી કરવાનો અધિકાર ભારત પાસે છે. સર્વે ઓફ ઇન્ડિયાએ અપડેટ કર્યો નકશો ભારત સરકારે સર્વે…

    હૉર્મુઝમાં 1500થી વધુ જહાજો પર ‘બાયોફાઉલિંગ’નું જોખમ, વૈજ્ઞાનિકોની મોટી ચેતવણી

    હૉર્મુઝ જળમાર્ગમાં સર્જાયેલી લાંબી અવરોધની સ્થિતિ માત્ર વૈશ્વિક ઈંધણ પુરવઠા અને વેપાર માટે જ પડકારરૂપ બની નથી, પરંતુ હવે તેના કારણે દરિયાઈ પર્યાવરણ સામે પણ એક ગંભીર જોખમ ઊભું થયું છે. ફારસની ખાડીમાં 1500થી વધુ કોમર્શિયલ જહાજો લાંબા સમયથી અટવાયેલા હોવાના કારણે વૈજ્ઞાનિકો અને દરિયાઈ પર્યાવરણના નિષ્ણાતોએ ‘બાયોફાઉલિંગ’ને લઈને ચિંતા વ્યક્ત કરી છે. સંશોધકોના મતે આ જહાજો જ્યારે હૉર્મુઝ જળમાર્ગ ફરી ખુલ્યા બાદ વિશ્વના અલગ-અલગ બંદરો તરફ આગળ વધશે, ત્યારે તેમની સાથે અનેક પ્રકારના દરિયાઈ સૂક્ષ્મજીવો અને અન્ય સજીવો પણ નવા વિસ્તારોમાં પહોંચી શકે છે. આ પ્રક્રિયા સ્થાનિક દરિયાઈ પર્યાવરણ માટે લાંબા ગાળે નુકસાનકારક સાબિત થઈ શકે છે. શું છે બાયોફાઉલિંગ? દરિયામાં કોઈ જહાજ લાંબા સમય સુધી એક જ સ્થળે સ્થિર રહે ત્યારે તેના પાણીની અંદરના…