બિગ બી: અમિતાભ બચ્ચને મધ્યરાત્રિએ ‘ટાઈમ ટુ ગો’ પોસ્ટ કેમ લખી? KBC માં જણાવેલ ખરો અર્થ

સદીના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની અભિનય કુશળતા અને શૈલીથી દરેક વ્યક્તિ પ્રભાવિત છે. બિગ બીના કરોડો ચાહકો છે, બાળકોથી લઈને વૃદ્ધો સુધી. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય છે. તાજેતરમાં, તેમની એક પોસ્ટ ચાહકો માટે ચિંતાનું કારણ બની હતી. થોડા દિવસ પહેલા તેણે પોતાના X પર લખ્યું હતું – ‘ટાઈમ ટુ ગો’. આ પોસ્ટથી ચાહકો ચોંકી ગયા અને ચિંતિત થયા અને તેમના સ્વાસ્થ્ય વિશે અટકળો લગાવવા લાગ્યા. પરંતુ આ પોસ્ટનો ખરો અર્થ શું છે, તે હવે ખુલાસો થયો છે. -> અમિતાભ બચ્ચને KBC માં પોસ્ટ કરવાનું કારણ જણાવ્યું :- બિગ બીની આ પોસ્ટથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કે શું અમિતાભ બચ્ચન નિવૃત્તિ લઈ રહ્યા છે, કોઈએ કહ્યું કે તેમની તબિયત સારી નથી. આ પોસ્ટ તેના…

કિયારા અડવાણી ગર્ભાવસ્થા: કિયારા અડવાણી માતા બનવા જઈ રહી છે, પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ગર્ભાવસ્થાના સમાચાર શેર કર્યા

બોલિવૂડના સૌથી સુંદર કપલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ ચાહકોને ખુશખબર આપી છે. આ દંપતીના ઘરે ટૂંક સમયમાં એક નાનો મહેમાન આવવાનો છે. હા, કિયારા અડવાણી ગર્ભવતી છે અને ટૂંક સમયમાં માતા બનવાની છે. શુક્રવારે (28 ફેબ્રુઆરી) આ દંપતીએ સોશિયલ મીડિયા પર ખૂબ જ ખાસ રીતે તેમની ગર્ભાવસ્થાના સારા સમાચાર શેર કર્યા. ફિલ્મ સેલિબ્રિટીથી લઈને ચાહકો સુધી, બધાએ તેમની પોસ્ટ પર ખુશી વ્યક્ત કરી અને તેમને અભિનંદન આપ્યા. -> આ કપલે સોશિયલ મીડિયા પર આપ્યા ખુશખબર :- કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ 28 ફેબ્રુઆરીએ ઇન્સ્ટાગ્રામ પર એક સંયુક્ત પોસ્ટ શેર કરીને તેમની ગર્ભાવસ્થાની જાહેરાત કરી. આ કપલે પોસ્ટમાં એક તસવીર શેર કરી છે જેમાં કિયારા-સિદ્ધાર્થે હાથમાં સફેદ બેબી મોજાં પકડેલા છે. “આપણા જીવનની સૌથી મોટી ભેટ……

કંગના રનૌત-જાવેદ અખ્તર વચ્ચે સમાધાન: માનહાનિનો કેસ 5 વર્ષ પછી સમાપ્ત થયો; બંનેએ સાથે ફોટો પડાવ્યો

અભિનેત્રી-સાંસદ કંગના રનૌત અને ફિલ્મ લેખક જાવેદ અખ્તર વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. જાવેદ અખ્તર અને કંગનાએ એકબીજા સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો જે છેલ્લા પાંચ વર્ષથી કોર્ટમાં ચાલી રહ્યો હતો. પરંતુ હવે બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે. 5 વર્ષની કાનૂની લડાઈ પછી, કંગના રનૌત અને જાવેદે પરસ્પર સંમતિથી કેસનો અંત લાવ્યો છે. એટલું જ નહીં, સમાધાન પછી કંગનાએ જાવેદ અખ્તર સાથેની એક તસવીર પણ શેર કરી છે. -> કંગનાએ જાવેદ અખ્તર સાથેની તસવીર શેર કરી :- કંગના રનૌતે શુક્રવારે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો શેર કર્યો છે જેમાં તે જાવેદ અખ્તર સાથે કોર્ટની અંદર ઉભી છે. ચિત્રમાં બંને હસતા દેખાય છે. ફોટો સાથેના કેપ્શનમાં કંગનાએ લખ્યું – ‘આજે, જાવેદ જી અને…

અમદાવાદને વધુ એક બ્રિજની ભેટ, 74 કરોડના ખર્ચે પાંજરાપોળથી વસ્ત્રાપુર જવાના રોડ પર બનશે બ્રિજ

અમદાવાદ શહેરમાં પાંજરાપોળથી વસ્ત્રાપુર જવાના રોડ પર બ્રિજ બનશે. અંદાજીત 74 કરોડના ખર્ચે પાંજરાપોળ બ્રિજ બનાવવાની કામગીરીનીં શરૂઆત થઈ ગઈ છે. હાઈકોર્ટની લીલીઝંડી બાદ બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બ્રિજની કામગીરીના બેનર અને નોટિસ લગાવી તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. રણજિત કન્સ્ટ્રકશનને ફલાયઓવર બ્રિજનું કામ સોંપવામાં આવ્યું છે. કંપની દ્વારા કામગીરી શરુ કરતાં સ્થાનિકોને અવરજવર માટે મુશ્કેલી ના પડે માટે નોટિસ લગાવવા સાથે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.પાંજરાપોળથી વસ્ત્રાપુર જવાના રોડ પર બ્રિજની કામગીરીમાં અંદાજે 3 વર્ષ જેટલો સમય લાગવાનું અનુમાન છે. આ પણ વાંચો :- આવતીકાલે વડાપ્રધાન મોદી આવશે ગુજરાતનાં પ્રવાસે, સ્વાગતને લઈને તડામાર તૈયારીઓ શરૂ અમદાવાદમાં પાંજરાપોળ વિસ્તારમાં શહેરની મધ્યમાં આવેલ છે. લોકોને અવરજવર કરવા તેમજ ઓફિસના સમય દરમિયાન આ માર્ગ…

દ્વારકા શિવલિંગ ચોરી મામલે આરોપીઓની ધરપકડ, પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો

મહાશિવરાત્રીના એક દિવસ પહેલા જ દ્વારકાનાં પ્રાચીન ભીડભંજન મહાદેવ મંદિરમાંથી શિવલિંગની ચોરી થઈ હતી. પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે શિવલિંગને દરિયામાં ફેંકી દેવામાં આવ્યું હતું, જેના કારણે પોલીસે સ્કુબા ડાઇવિંગ ટીમ સાથે મળીને સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું હતું. અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. અને તેઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ પણ વાંચો :- Mahashivaratri 2025: મહાશિવરાત્રી મેળાનો 13 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ આણંદ માણ્યો પોલીસે ટેકનિકલ અને સૂત્રોની મદદથી આરોપીઓને શોધી કાઢ્યા હતા. જેમાં મહેન્દ્ર, વનરાજ, મનોજ અને જગતની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ચોરીમાં પરિવારની ત્રણ મહિલાઓ પણ સામેલ હતી. દ્વારકાના એસપી નીતિશ પાંડેએ જણાવ્યું હતું કે, બાકીના આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. પોલીસે ઘરમાંથી ચોરાયેલું શિવલિંગ પણ કબજે…

અમદાવાદ-ગ્વાલિયર વચ્ચે દોડશે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન, આજથી બુકિંગ થયું શરૂ

આગામી તહેવારોને ધ્યાને લઈને અમદાવાદ-ગ્વાલિયર વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડશે. પશ્ચિમ રેલવેએ આગામી હોળીના તહેવાર અને ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને,મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ખાસ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. ત્યારે આજથી આ ટ્રેન માટેનું બુકિંગ શરુ થઈ ગયું છે. -> આજથી બુકિંગ થયુ શરૂ :- ટ્રેન નંબર 09411 માટે બુકિંગ આજથી એટલે કે, 28 ફેબ્રુઆરી, 2025 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો અને IRCTC વેબસાઇટ પર શરૂ થયું છે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. -> ટ્રેન ક્યારે અને કેટલા વાગ્યે ઉપડશે? :- 01-ટ્રેન નંબર 09411 અમદાવાદ-ગ્વાલિયર સ્પેશિયલ 01 માર્ચથી 28 જૂન 2025 સુધી દર શનિવારે અમદાવાદથી 8.25 વાગ્યે ઉપડશે અને બીજા…

GPSCની ભરતી પરીક્ષા માટે આજથી ફોર્મ ભરવાની શરુઆત, ઉમેદવારો 15 માર્ચ સુધી ભરી શકશે ફોર્મ

GPSCની ભરતી પરીક્ષા માટે આજથી ફોર્મ ભરવાના શરૂઆત કરવામાં આવી છે. આજે એટલે કે તારીખ 28-2-2025 થી ફોર્મ ભરવામાં આવશે. ઓનલાઇન વેબસાઇટ પર બપોરે 1 વાગ્યાથી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. ઉમેદવારો 15 માર્ચ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)એ વર્ષ 2025નું કેલેન્ડર 29 જાન્યુઆરી જાહેર કર્યું છે. કેલેન્ડરમાં જણાવ્યા અનુસાર વર્ષમાં કૂલ 1751 જગ્યા પર ભરતી કરવામાં આવશે. જૂન મહિનામાં જુદા-જુદા 17 વર્ગની ભરતી જાહેરાત પ્રસિદ્ધ થશે. જુલાઈ મહિનામાં જુદા-જુદા 19 વર્ગની ભરતી જાહેરાત પ્રસિદ્ધ થશે. ઓગષ્ટ મહિનામાં જુદા જુદા 9 વર્ગની ભરતી જાહેરાત પ્રસિદ્ધ થશે. સપ્ટેમ્બર મહિનામાં જુદા જુદા 11 વર્ગની ભરતી જાહેરાત પ્રસિદ્ધ થશે. ઓક્ટોબર મહિનામાં જુદા જુદા 8 વર્ગની ભરતી જાહેરાત પ્રસિદ્ધ થશે. નવેમ્બર મહિનામાં જુદા જુદા 10 વર્ગની…

અમરેલીમાં શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો, નરાધમ શિક્ષકે 2 વિદ્યાર્થિની સાથે આચર્યુ દુષ્કર્મ

અમરેલીમાં શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં અમરેલીમાં શિક્ષકે બે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યુ છે. શિક્ષક વિદ્યાર્થિની પર છેલ્લા 8 દિવસથી દુષ્કર્મ આચરતો હોવાની ફરિયાદ ઉઠી છે. તો સમગ્ર મામલે બાળકીઓએ માતા-પિતાને જાણ કરી અને આખરે અમરેલી તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપી શિક્ષક મહેન્દ્ર પટેલની ધરપકડ કરી છે. -> શાળામાં આચર્યુ દુષ્કર્મ :- આ ઘટનાં અમરેલીના કુંકાવાવ રોડ પર આવેલી મસ્જિદ પરીસરમા બેસતી ભારતનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની શાળામા બની હતી. અહી સ્કૂલમા ધોરણ 1 થી 5મા માત્ર 17 બાળકો અભ્યાસ કરે છે. અને પ્રિન્સીપાલ ઉપરાંત મહેન્દ્ર પટેલ નામનો શિક્ષક ફરજ બજાવે છે. અહી માત્ર એક જ વર્ગમા તમામ બાળકોને સાથે ધોરણ 1 થી 5 ભણાવાય છે. પ્રિન્સીપાલ રજા પર હોય…

ડોનાલ્ડ ટ્રમ્પ માર્ચ મહિનાની શરૂઆતના સમયમાં જ મેક્સિકો. કેનેડા અને ચીનને ઉંચા ટેરીફનો ઝટકો આપશે

ટ્રમ્પ વહીવટીતંત્રે ટેરિફ અંગે મોટો નિર્ણય લીધો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે જણાવ્યું હતું કે મેક્સીકન અને કેનેડિયન માલ પર તેમના પ્રસ્તાવિત 25% ટેરિફ 4 માર્ચથી અમલમાં આવશે. આ ઉપરાંત, ચીનની આયાત પર વધારાની 10% ડ્યુટી પણ લાદવામાં આવશે કારણ કે તે દેશોમાંથી હજુ પણ ઘાતક દવાઓ અમેરિકા આવી રહી છે. ટ્રમ્પે ઓવલ ઓફિસમાં જણાવ્યું હતું કે ચીની આયાત પરનો તાજેતરનો ટેરિફ ફેન્ટાનાઇલ ઓપીયોઇડ કટોકટીને કારણે 4 ફેબ્રુઆરીએ લાદવામાં આવેલા 10% ટેરિફ ઉપરાંતનો હશે. -> અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વાત કહી :- યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “યુનાઇટેડ સ્ટેટ્સમાં હજુ પણ મોટી માત્રામાં દવાઓ (ફેન્ટાનાઇલ) આવી રહી છે, જેમાંથી એક મોટો હિસ્સો ઘાતક ઓપીઓઇડ ફેન્ટાનાઇલ છે.” પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે તેમણે…

દ્વારકામાં ફરી ડિમોલિશન હાથ ધરાશે, ગેરકાયદેસર ધાર્મિક સ્થળો કરાશે દૂર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી ડિમોલિશન હાથ ધરાશે.જેમાં ગેરકાયદેસર ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવશે.ઉલ્લેખનિય છે કે, બેટ દ્વારકા અને દ્વારકામાં ગયા મહિને મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં અનેક ગેર કાયદેસર ધાર્મિક, રહેઠાણ અને ધંધાકીય બાંધકામો દૂર કરી લાખો ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.જેની કરોડો રૂપિયા બજાર કિંમત છે. મળતી માહિતી મુજબ, હવે ફરી દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકાના વિવિધ વિસ્તારોમાં ધાર્મિક દબાણો હટાવવા તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં 106 જેટલા ધાર્મિક દબાણોને નોટિસો આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, જેમાં મોટા ભાગના મંદિરોનો સમાવેશ થાય છે. આ પણ વાંચો :- ગુજરાતમાં ગરમી પડવાની શરુઆત, મહત્તમ તાપમાનમાં થશે વધારો સમગ્ર બાબતે કલ્યાણપુરના નાયબ મામલતદાર પીયૂષ બોદરે જણાવ્યું…