અમદાવાદને વધુ એક બ્રિજની ભેટ, 74 કરોડના ખર્ચે પાંજરાપોળથી વસ્ત્રાપુર જવાના રોડ પર બનશે બ્રિજ

અમદાવાદ શહેરમાં પાંજરાપોળથી વસ્ત્રાપુર જવાના રોડ પર બ્રિજ બનશે. અંદાજીત 74 કરોડના ખર્ચે પાંજરાપોળ બ્રિજ બનાવવાની કામગીરીનીં શરૂઆત થઈ ગઈ છે. હાઈકોર્ટની લીલીઝંડી બાદ બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બ્રિજની કામગીરીના બેનર અને નોટિસ લગાવી તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. રણજિત કન્સ્ટ્રકશનને ફલાયઓવર બ્રિજનું કામ સોંપવામાં આવ્યું છે. કંપની દ્વારા કામગીરી શરુ કરતાં સ્થાનિકોને અવરજવર માટે મુશ્કેલી ના પડે માટે નોટિસ લગાવવા સાથે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.પાંજરાપોળથી વસ્ત્રાપુર જવાના રોડ પર બ્રિજની કામગીરીમાં અંદાજે 3 વર્ષ જેટલો સમય લાગવાનું અનુમાન છે.

આ પણ વાંચો :- આવતીકાલે વડાપ્રધાન મોદી આવશે ગુજરાતનાં પ્રવાસે, સ્વાગતને લઈને તડામાર તૈયારીઓ શરૂ

અમદાવાદમાં પાંજરાપોળ વિસ્તારમાં શહેરની મધ્યમાં આવેલ છે. લોકોને અવરજવર કરવા તેમજ ઓફિસના સમય દરમિયાન આ માર્ગ પર વધુ ટ્રાફિક રહે છે. અને એટલે જ ફલાયઓવર બનતાં લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે. 74 કરોડના ખર્ચે પાંજરાપોળથી વસ્ત્રાપુર જવાના રોડ પર બ્રિજ બનશે. બ્રિજની લંબાઈ 650 અને પહોળાઈ 17 મીટર રહેશે. પાંજરાપોળ પરનો ફલાયઓવર 2 લેન પર બનશે. બ્રિજની કામગીરી દરમિયાન સ્થાનિકોએ હાલાકીનો સામનો કરવો પડશે. પરંતુ બ્રિજની કામગીરી પૂર્ણ થતાં અંદાજીત દોઢ લાખ અમદાવાદીઓને ભારે ટ્રાફિકથી રાહત મળશે.

અમદાવાદમાં વસ્તી કૂદકેને ભૂસકે વધારો થતાં સવારથી લઈને મોડી સાંજ સુધી માર્ગો પર ટ્રાફિકનું ભારણ રહે છે. એટલે જ તંત્ર દ્વારા શહેરમાં હેવી ટ્રાફિક રોડ પર બ્રિજ બનાવવાની યોજના હાથ ધરાઈ. હાલમાં શહેરના વેપારી રોડ તરીકે પ્રચલિત સિંધુ ભવન પર બ્રિજ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સિંધુ ભવન પર સિક્સલેન બ્રિજ બનશે. સિકસ લેન બ્રિજ બનવામાં 3 વર્ષથી વધુનો સમય લાગવાનો અંદાજ છે. ત્યારે શહેરની અંદર વધુ એક બ્રિજને લઈને હાઈકોર્ટ તરફથી લીલી ઝંડી બનતાં કામગીરી શરૂ કરવામાં આવી છે. પાંજરાપોળથી વસ્ત્રાપુર જવાના રોડ પર બ્રિજ બનશે.

Follow us On Social Media

🔔 YouTube : [ https://www.youtube.com/@BIndiaDigital ]
📸 Instagram : [ https://www.instagram.com/bindiadigital/ ]
🌐 Website : [ https://bindia.co/ ]
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

  • Related Posts

    સંત રામપાલના સર્મથકો દ્વારા 100થી વધુ ફોન કોલ્સ દ્વારા B INDIAને ધમકી

    B INDIA 100થી વધુ ફોનકોલથી માંગ, ધાર્મિક પુસ્તક અંગેના અહેવાલ સામે સંરક્ષકોમાં રોષ B INDIA ગુરુજી ભગવાનજીના અનુયાયીઓનો દાવો—તથ્યોની ચકાસણી કર્યા વિના સમાચાર પ્રસારિત થયા; વીડિયો ડિલીટ કરી માફી માગવાની માંગ, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ધાર્મિક પુસ્તકો અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસારને લઈને સોશિયલ મીડિયા તથા ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થયેલા એક અહેવાલ બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો હોવાનો દાવો સામે આવ્યો છે. ગુરુજી ભગવાનજીના અનુયાયીઓ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધાર્મિક પુસ્તકો દ્વારા કરવામાં આવી રહેલા પ્રચાર-પ્રસાર અંગે કોઈપણ પ્રકારની પૂરતી હકીકત, આધારભૂત પુરાવા અથવા સંબંધિત પક્ષનો જવાબ મેળવ્યા વિના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ અહેવાલને લઈને અનુયાયીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અનુયાયીઓ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે…

    WCEF 2026 In Gandhinagar: કચરામાંથી કરોડોની કમાણી.. Innovative Waste-to-Wealth..

    Gandhinagarમાં ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-2026’નો ભવ્ય પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં WCEF-2026નું ઉદ્ઘાટન; 66 દેશોના 2,000થી વધુ પ્રતિનિધિઓ બન્યા સહભાગી Gandhinagar, 15 સપ્ટેમ્બર : પર્યાવરણ સંરક્ષણ સાથે આર્થિક વિકાસને જોડીને ટકાઉ ભવિષ્યના નિર્માણ માટે વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ ગણાતા ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ (WCEF)-2026’નો Gandhinagarના મહાત્મા મંદિર ખાતે ભવ્ય પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવની વિશેષ ઉપસ્થિતિમાં ફોરમની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દક્ષિણ એશિયામાં પ્રથમવાર યોજાઈ રહેલા આ વૈશ્વિક ફોરમમાં અંદાજે 66 દેશોના 2,000થી વધુ હિસ્સેદારો, વૈજ્ઞાનિકો, નિષ્ણાતો અને ઉદ્યોગસાહસિકો ભાગ લઈ રહ્યા છે. ચાર દિવસ સુધી ચાલનારા આ ફોરમમાં સર્ક્યુલર ઇકોનોમી, વેસ્ટ મેનેજમેન્ટ, રિસાયક્લિંગ, સંસાધનોના કાર્યક્ષમ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *