ગુજરાત સરકાર નવું હેલિકોપ્ટર ખરીદશે: ખાસ કમિટીની રચના અને સુરક્ષા મજબૂત બનાવવાનો પ્રયાસ

ગુજરાત સરકાર રાજ્યની હવાઈ સેવાઓને વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવા માટે નવું હેલિકોપ્ટર ખરીદવાનો નિર્ણય કર્યો છે. હાલમાં રાજ્યમાં ઉપયોગમાં રહેલા હેલિકોપ્ટરમાં વારંવાર ટેક્નિકલ ખામીઓ આવતા સરકારી કામગીરી અને મહત્વપૂર્ણ પ્રવાસોમાં અડચણો સર્જાતી હતી. મહત્વનું છે કે રાજ્યની હાલની હેલિકોપ્ટરની ખરીદી વર્ષ 2007માં થઈ હતી અને લાંબા સમયથી ઉપયોગમાં હોવાને કારણે તેમાં સતત સમસ્યાઓ ઊભી થઈ રહી હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારએ નવું હેલિકોપ્ટર લેવા માટે નિર્ણય લીધો છે. નવા હેલિકોપ્ટરની ખરીદી માટે વિશેષ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી હેલિકોપ્ટરની જરૂરિયાત, તકનિકી ક્ષમતાઓ, સુરક્ષા માપદંડો અને ખર્ચ જેવા તમામ પાસાઓનું મૂલ્યાંકન કરશે. કમિટી દ્વારા આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ટેન્ડર પ્રક્રિયા શરૂ થશે. સરકારનો માનવું છે કે નવું અને આધુનિક હેલિકોપ્ટર રાજ્યના વહીવટ,…

રાજકોટ: ગુમ થયેલા AIIMS ડોક્ટરને રેલવે ટ્રેક પર આપઘાત કરતા બચાવાયા

રાજકોટ શહેરની AIIMS હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર રતન કુમારની ગુમ થવાની ફરિયાદ પોલીસ સુધી પહોંચી હતી, પરંતુ તેઓ રેલવે ટ્રેક પર આપઘાત કરતા પહેલા જ પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા બચાવાયા. ઘટના વિગત વહેલી સવારે ડોક્ટર પોતાના હોસ્ટેલમાંથી નીકળ્યા હતા અને તેમના ગાયબ થવાની ફરિયાદો નોંધાઈ હતી. હોસ્ટેલમાંથી નીકળતા તેમના CCTV ફૂટેજ સામે આવ્યા હતા, જે પોલીસે તપાસના માટે ઉપયોગ કર્યો. ડોક્ટરે સ્યુસાઇડ નોટ લખી હોવાની જાણ થતા, ગાંધીગ્રામ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન તેઓ પરાપીપળીયા વિસ્તારમાં મળી આવ્યા. રેલવે ટ્રેક પર બચાવ ડોક્ટર રેલવે ટ્રેક પર આપઘાત કરવા જઈ રહ્યા હતા, ત્યારે સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને તેમને બચાવી લીધો. પ્રાથમિક માહિતી મુજબ,…

ગુજરાત રિન્યુએબલ એનર્જી કોન્ક્લેવ 2026: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ રહ્યા ઉપસ્થિત

ગુજરાત અત્યારે ભારતના ‘રિન્યુએબલ એનર્જી કેપિટલ’ તરીકે ઉભરી રહ્યું છે. રાજ્યની ભૌગોલિક સ્થિતિ, લાંબો દરિયાકિનારો અને સરકારની પ્રોત્સાહક નીતિઓને કારણે ગુજરાત ગ્રીન એનર્જી ક્ષેત્રે વૈશ્વિક હબ બની ગયું છે.જેમાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક ગુજરાતના કચ્છના ખાવડામાં આકાર લઈ રહેલો હાઇબ્રિડ પાર્ક પ્રોજેક્ટ છે. અહીં સોલર પેનલ્સ અને વિન્ડ ટર્બાઇન બંનેનો ઉપયોગ કરીને વીજળી પેદા કરવામાં આવશે.તથા ગુજરાત સોલર પાવરના ઉત્પાદનમાં અને તેના ઉપયોગમાં દેશમાં અગ્રેસર છે. ગુજરાત પાસે વિશાળ દરિયાકિનારો છે, જે પવન ઊર્જા માટે આશીર્વાદ સમાન છે.ઉપરાંત ગ્રીન હાઇડ્રોજન મિશન ભવિષ્યના બળતણ તરીકે ઓળખાતા ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે ગુજરાતે મજબૂત પાયો નાખ્યો છે. 28 જાન્યુઆરી, 2026 ના રોજ ગાંધીનગર, ધ લીલા ખાતે ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ અને The Secretariatના સંયુક્ત ઉપક્રમે…

એક જ જન્મમાં, એક જ સ્થળે, તમામ 51 શકિતપીઠના દર્શનનો લહાવો; પરિક્રમાનો દિવ્ય સંગમ

શકિત ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમા કરોડો માઈભક્તોનું શ્રદ્ધા શિખર એટલે યાત્રાધામ શકિતપીઠ અંબાજી. લાખો કરોડો માઇભકતોના આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે દર વર્ષે ૫૧ શકિતપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરાય છે. માઇભકતો 51 શકિતપીઠના દર્શન કરી પદયાત્રા અને પરિક્રમાના સંગમથી દિવ્યતા અને ધન્યતાનો અનુભવ મેળવે છે. એક જ જન્મમાં, એક જ સ્થળે, તમામ 51 શકિતપીઠના દર્શન કરવાનો અવસર શકિતપીઠ ગબ્બર- અંબાજી ખાતે પ્રાપ્ત થાય એ માટે 2.5 કિલોમીટરના માર્ગમાં મૂળ શકિતપીઠની કલાકૃતિઓનું આબેહૂબ નિર્માણ કરાયું છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી ગબ્બર પર્વતની આસપાસ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા રૂ.62 કરોડના ખર્ચથી ભવ્ય પરિક્રમા માર્ગ અને તે ઉપર દેશ-વિદેશમાં આવેલ તમામ 51 શકિતપીઠોનાં મૂળ મંદિરો જેવાં જ મંદિરો બનાવવામાં આવ્યાં છે.…

મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. મનીષાબેન વકીલના હસ્તે ‘મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ’નો શુભારંભ

મહિલાઓની આર્થિક સદ્ધરતા અને સામાજિક સુરક્ષાને પ્રોત્સાહન આપવાના ઉમદા આશય સાથે, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિ. (મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય) દ્વારા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે ‘મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન-સહ-વેચાણ મેળાનો મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. મનીષાબેન વકીલે શુભારંભ કરાવ્યો હતો. મંત્રીએ ઉદ્ઘાટન બાદ વિવિધ સ્ટોલની મુલાકાત લઈને મહિલા કારીગરો દ્વારા તૈયાર કરાયેલ વિવિધ ચીજવસ્તુઓ નિહાળી હતી તથા મહિલા કારીગરોને પ્રોત્સાહિત કર્યા હતા. ‘મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ’ના શુભારંભ પ્રસંગે મહિલા અને બાળ વિભાગના સચિવ રાકેશ શંકર, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમના એમ.ડી. પી. એ.નિનામા, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમના જનરલ મેનેજર રીટા પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ‘મહિલા…

અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026: ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ રચાશે

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. 30-01-2026 થી તા. 01-02-2026 (મહા સુદ બારસ, તેરસ અને ચૌદસ) દરમિયાન ભવ્ય ’51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2026′ નું આયોજન કરાશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વર્ષ 2008માં ગબ્બર પર્વત પર 51 શક્તિપીઠ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, જેનું લોકાર્પણ ફેબ્રુઆરી 2014માં થયું હતું. અંદાજે રૂ. 61.57 કરોડના ખર્ચે નિર્મિત આ પરિક્રમા માર્ગમાં ભારત સહિત પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, તિબેટ અને બાંગ્લાદેશમાં સ્થિત મૂળ શક્તિપીઠોની આબેહૂબ પ્રતિકૃતિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી શ્રદ્ધાળુઓ એક જ સ્થળે તમામ ૫૧ શક્તિપીઠોના દર્શનનો લ્હાવો લઈ શકે.…

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી

ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીશ્રી અજિત પવારના આકસ્મિક અવસાન પર ઊંડો શોક વ્યક્ત કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દિવંગત નેતાના અવસાનના સમાચારથી સમગ્ર રાજકીય જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે, ત્યારે રાજ્યપાલએ આ દુઃખદ ઘટનાને રાજ્ય અને દેશ માટે અપાર નુકસાન ગણાવી છે. તા. 28 જાન્યુઆરીના રોજ મુંબઈ સ્થિત લોકભવન ખાતે આયોજિત શોકસભામાં માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બે મિનિટનું મૌન પાળી દિવંગત અજિત પવારને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ શોકસભા દરમિયાન લોકભવનના અધિકારીઓ, કર્મચારીઓ અને અન્ય ઉપસ્થિતોએ પણ મૌન પાળી દિવંગત આત્માને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. સમગ્ર લોકભવન શોકમય વાતાવરણમાં ગરકાવ થઈ ગયું હતું.   રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાના શોકસંદેશમાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં થયેલા…

અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે ‘વિકાસદીપ’ યોજનાથી બંદીવાનોના સંતાનોને પ્રોત્સાહન

એક બંદીવાનનો પુત્ર લોકરક્ષક અને બીજા બંદીવાનનો પુત્ર જુનિયર ક્લાર્ક તરીકે ઉત્તીર્ણ થયો: બંને તેજસ્વી યુવાનોને રૂા. ૧૫,૦૦૧/- નું રોકડ પુરસ્કાર, મોમેન્ટો તેમજ પ્રશંસાપત્રથી સન્માનિત કરાયા રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવના હસ્તે અપાયા રોકડ પુરસ્કાર. જેલ એ માત્ર સજાનું કેન્દ્ર નથી પણ સુધારણાની પાઠશાળા, બંદીવાનોના બાળકો શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગળ વધી ઉજ્જવળ ભવિષ્ય બનાવે તે માટે જેલ વિભાગ સતત પ્રયત્નશીલ છે: રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવ જેલના ચાર દીવાલો પાછળ સજા કાપી રહેલા બંદીવાનોના સંતાનો સમાજમાં ગૌરવભેર આગળ વધે અને સરકારી સેવાઓમાં જોડાય તેવા ઉમદા આશય સાથે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં અમલી કરાયેલી ‘વિકાસદીપ’ યોજના અંતર્ગત અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે એક વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના પોલીસ વડા…

અમદાવાદ એરપોર્ટને મળી બોમ્બની ધમકી: સઘન તપાસ અને સુરક્ષા વધારાઈ

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર સઘન સુરક્ષા તપાસ માટે કાર્યરત થયું છે. અગાઉ શાળાઓને નિશાન બનાવવાના સમાચાર બાદ હવે એરપોર્ટ જેવા સંવેદનશીલ સ્થળને ધમકી મળતા તંત્ર તરત હેતુરૂપે કાર્યવાહી માટે આગળ વધ્યું. સઘન સર્ચ ઓપરેશન: ધમકીભર્યો ઈ-મેઈલ મળતાં જ એરપોર્ટ પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ તુરંત ઘટનાસ્થળ પર પહોંચ્યા. સમગ્ર એરપોર્ટ પરિસરમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું, પરંતુ કલાકોની તપાસ પછી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. આથી તંત્ર અને મુસાફરોને રાહત મળી છે. પોલીસ કાર્યવાહી: આ ઘટનાને ગંભીરતાથી લઇને એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અજ્ઞાત શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ સાયબર ક્રાઇમ ટીમ તપાસ કરી રહી છે કે ધમકીભર્યો ઈ-મેઈલ કયા સ્ત્રોતથી મોકલાયો હતો અને તે મજાક (hoax)…

Mahisagar : સંતરામપુરની બચપન પ્લે સ્કૂલે દેશભક્તિભર્યા કાર્યક્રમો સાથે 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવ્યો

સલમાન મોરાવાલા, મહીસાગર / સંતરામપુર સ્થિત બચપન પ્લે સ્કૂલે સોમવારે ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉત્સાહ, આનંદ અને દેશભક્તિના માહોલ સાથે કરી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શાળાના સ્ટાફની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય બંધારણના મૂલ્યોને ઉજાગર કરવામાં આવ્યા હતા. શાળાનું સમગ્ર પરિસર ત્રિરંગાના રંગોથી સજાવવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ધ્વજારોહણ અને રાષ્ટ્રગીત સાથે કરવામાં આવી, જેમાં સૌએ એકતા, લોકશાહી અને સમાનતાના આદર્શોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. “વિવિધતામાં એકતા” વિષયક પ્રવૃત્તિઓનું આયોજન વિદ્યાર્થીઓમાં પ્રજાસત્તાક દિવસના મહત્વ અંગે જાગૃતિ લાવવા માટે વિશેષ વાર્તાકથન સત્રો યોજાયા હતા. સાથે સાથે બાળકો માટે ત્રિરંગા આધારિત કલા-હસ્તકલા, ધ્વજ રંગકામ, દેશભક્તિ રમતો તેમજ “વિવિધતામાં એકતા” વિષયક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં સર્જનાત્મકતા સાથે…