રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી

ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીશ્રી અજિત પવારના આકસ્મિક અવસાન પર ઊંડો શોક વ્યક્ત કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દિવંગત નેતાના અવસાનના સમાચારથી સમગ્ર રાજકીય જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે, ત્યારે રાજ્યપાલએ આ દુઃખદ ઘટનાને રાજ્ય અને દેશ માટે અપાર નુકસાન ગણાવી છે.

તા. 28 જાન્યુઆરીના રોજ મુંબઈ સ્થિત લોકભવન ખાતે આયોજિત શોકસભામાં માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બે મિનિટનું મૌન પાળી દિવંગત અજિત પવારને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ શોકસભા દરમિયાન લોકભવનના અધિકારીઓ, કર્મચારીઓ અને અન્ય ઉપસ્થિતોએ પણ મૌન પાળી દિવંગત આત્માને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. સમગ્ર લોકભવન શોકમય વાતાવરણમાં ગરકાવ થઈ ગયું હતું.

 

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાના શોકસંદેશમાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં થયેલા આકસ્મિક અવસાનના સમાચાર અત્યંત દુઃખદ અને આઘાતજનક છે. તેમણે જણાવ્યું કે  પવાર જન-જન સાથે જોડાયેલા, જમીનસ્તરે મજબૂત લોકસંપર્ક ધરાવતા એક સમર્પિત, કર્મઠ અને સંવેદનશીલ જનનેતા હતા. રાજકીય જીવનમાં તેઓ હંમેશા સામાન્ય જનતાની સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ રહ્યા અને વિકાસ તથા જનસેવાના મુદ્દાઓને પ્રાથમિકતા આપતા રહ્યા હતા.

રાજ્યપાલશ્રીએ વધુમાં કહ્યું કે, મહારાષ્ટ્રની જનસેવામાં શ્રી અજિત પવારનું યોગદાન હંમેશા અવિસ્મરણીય રહેશે. તેમના નેતૃત્વ હેઠળ અનેક વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેનાથી રાજ્યના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો મળ્યો હતો. તેમના અવસાનથી મહારાષ્ટ્રે એક અનુભવી અને દ્રષ્ટિવાન નેતા ગુમાવ્યો છે, તેવી લાગણી રાજ્યપાલશ્રીએ વ્યક્ત કરી હતી.

આ ઉપરાંત રાજ્યપાલશ્રીએ મહારાષ્ટ્રના બારામતી ખાતે થયેલી આ દુઃખદ વિમાન દુર્ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવનાર તમામ શોકસંતપ્ત પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ઈશ્વર સમક્ષ દિવંગત આત્માઓની સદગતિ માટે પ્રાર્થના કરી અને આ કપરા સમયમાં પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી કામના વ્યક્ત કરી હતી.

આ શોકસભા અને રાજ્યપાલશ્રીના સંવેદનશીલ શબ્દોએ દિવંગત નેતાપ્રતિ આદર અને લાગણીને વધુ ઘેરા બનાવ્યા હતા. સમગ્ર પ્રસંગ દરમિયાન લોકભવનમાં શોક અને મૌનની ગંભીર લાગણી છવાઈ રહી હતી.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

અગ્નિ-4 Missileનું સફળ પરીક્ષણ, 4000 કિમી સુધી લક્ષ્ય ભેદવાની ક્ષમતા સાથે ભારતની રણનીતિક તાકાતમાં વધારો

ભારતે પોતાની રણનીતિક અને સંરક્ષણ ક્ષમતાને વધુ મજબૂત બનાવતા મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઈલ અગ્નિ-4 (Agni-4)નું સફળ પરીક્ષણ કર્યું છે. 6 ઓગસ્ટ 2026ના રોજ ઓડિશાના ચાંદીપુર સ્થિત ઈન્ટિગ્રેટેડ ટેસ્ટિંગ રેન્જ (ITR) પરથી આ મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ ભારતની પરમાણુ પ્રતિરોધક ક્ષમતાને વધુ મજબૂત બનાવનારું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. રક્ષા અધિકારીઓ અનુસાર, પરીક્ષણ દરમિયાન મિસાઈલના તમામ ટેક્નિકલ અને ઓપરેશનલ માપદંડોની સફળતાપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી. સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડની દેખરેખ હેઠળ થયું પરીક્ષણ અગ્નિ-4નું આ પરીક્ષણ **સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ (SFC)**ની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. પરીક્ષણ દરમિયાન રક્ષા વૈજ્ઞાનિકો અને સૈન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. અધિકારીઓએ આ પરીક્ષણને સંપૂર્ણ સફળ ગણાવ્યું છે. પરીક્ષણ દરમિયાન મિસાઈલે નિર્ધારિત માર્ગ પર ચોકસાઈપૂર્વક ઉડાન ભરી હતી અને તેના…

ચીનના હુમલાના ભય વચ્ચે તાઇવાનમાં એલર્ટ, રાષ્ટ્રપતિ લાઇ ચિંગ-તે બુલેટપ્રૂફ કારમાં બંકરમાં પહોંચ્યા

વિશ્વના અનેક વિસ્તારોમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવ વચ્ચે હવે તાઇવાન અને ચીન વચ્ચેનો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. ચીન દ્વારા સંભવિત સૈન્ય કાર્યવાહીનો ખતરો જોતા તાઇવાને પોતાની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવી છે. અચાનક સાયરન વાગતા જ તાઇવાનના રાષ્ટ્રપતિ લાઇ ચિંગ-તે બુલેટપ્રૂફ વાહનમાં બેસીને સુરક્ષિત બંકરમાં પહોંચ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયા તાઇવાનની ઇમરજન્સી તૈયારી અને યુદ્ધકાળીન પ્રોટોકોલનો એક ભાગ હતી. તાઇવાન છેલ્લા ઘણા સમયથી ચીનની સૈન્ય ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે. ચીન તાઇવાનને પોતાનો હિસ્સો માને છે, જ્યારે તાઇવાન પોતાની અલગ રાજકીય વ્યવસ્થા અને લોકશાહી ઓળખ ધરાવે છે. બંને દેશો વચ્ચેનો આ વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેમાં વધુ તણાવ જોવા મળ્યો છે. ચીનની સૈન્ય ગતિવિધિઓથી વધતી ચિંતા તાઇવાનની…