વિકસિત ગુજરાતથી વિકસિત ભારત”ના સંકલ્પ સાથે સર્વાંગી વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ: રાજ્યપાલ

પંદરમી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનો આજે ગૌરવસભર પ્રારંભ થયો. આ અવસરે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિધાનસભાને સંબોધતા રાજ્યની વિકાસયાત્રા, સુશાસન અને સર્વસમાવેશી નીતિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. રાજ્યપાલએ જણાવ્યું કે, મહાત્મા ગાંધીજી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભ પટેલની ધરતી ગુજરાત હંમેશાં રાષ્ટ્ર નિર્માણમાં અગ્રેસર રહી છે. “સર્વજન હિતાય, સર્વજન સુખાય”ના મંત્ર સાથે રાજ્ય સરકાર યુવાશક્તિ, નારીશક્તિ, ખેડૂત અને ગરીબોના કલ્યાણ માટે દૃઢ સંકલ્પ સાથે કાર્યરત છે. રાજ્યપાલએ જણાવ્યું કે, સોમનાથ મંદિર પર થયેલા આક્રમણને એક હજાર વર્ષ પૂર્ણ થતાં “સોમનાથ સ્વાભિમાન પર્વ”નું આયોજન કરાયું, જે સંસ્કૃતિના ગૌરવ અને રાષ્ટ્રીય અસ્મિતાનું પ્રતિક છે. જાન્યુઆરી 9 થી 15 દરમિયાન યોજાયેલ આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રેરક સાન્નિધ્યમાં સંસ્કૃતિની આરાધના કરવામાં આવી હતી. સરદાર વલ્લભ પટેલ તથા ભગવાન…

15મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રના પ્રથમ દિવસે પૂર્વ સદસ્યોને શ્રદ્ધાંજલિ, સભાગૃહે બે મિનિટનું મૌન પાળ્યું

15મી ગુજરાત વિધાનસભાના આઠમાં સત્રના પ્રથમ દિવસે તા. 16 ફેબ્રુઆરી, સોમવારે વિધાન ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક દર્શક ઉલ્લેખોમાં વિધાનસભાના દિવંગત પૂર્વ સદસ્યશ્રીઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વિધાનસભાના પૂર્વ દિવંગત સદસ્યો પૂર્વ મંત્રી સ્વ. મનસુખ છગનલાલ જોષી, પૂર્વ રાજ્યકક્ષાના મંત્રીસ્વ. મોહંમદ ગુલામમોહયુદીન સુરતી તથા પૂર્વ સભ્યો સ્વ. ધીરજલાલ ફુલા રીબડીયા, સ્વ. અમરસિંહ રામસિંહ વસાવા, સ્વ. વજુ પરમા ડોડિયા અને સ્વ. બાવનજી હંસરાજમેતલિયાના અવસાન અંગેના શોકદર્શક ઉલ્લેખો ગૃહમાં રજુ થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સૌ દિવંગત પૂર્વ જનપ્રતિનિધિઓની કર્તવ્યપરાયણતા અને પ્રજાકીય પ્રશ્નો- રજૂઆતોને વાચા આપી તેના નિવારણ માટેની સક્રિયતાની સરાહના કરી હતી. તેમણે દિવંગત પૂર્વ સભ્યશ્રીઓના અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરીને તેમના આત્માની શાશ્વત શાંતિ માટે પ્રભૂ પ્રાર્થના કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર…

પૂર્ણેશ મોદી બન્યા ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ, જાણો કોણ છે આ નેતા

આજે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થઈ છે. આ સાથે જ આજે સત્રના પહેલા દિવસે વિધાનસભાના ઉપાધ્યયક્ષની ચૂંટણી યોજાઇ હતી. . દિનેશ ઠાકોરે શૈલેષ પરમારના નામે પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જ્યારે જીતુ વાઘાણીએ પૂર્ણેશ મોદીના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. શૈલેષ પરમારના પ્રસ્તાવને બહુમતી ધારાસભ્યોએ અસ્વીકાર કર્યો હતો અને પૂર્ણેશ મોદીના સમર્થનમાં બહુમતી મળી હતી અને તેમની જીત થઈ છે. વિધાનસભાના ઉપાધ્યયક્ષની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ કોંગ્રેસ કે ભાજપનહીં પણ નોટા તરફ મતદાન કર્યું હતું.જીત બાદ વિધાનસભા ઉપાધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જાણો કોણ છે પૂર્ણેશ મોદી ભાજપના નેતા પૂર્ણેશ મોદીનો જન્મ 22 ઓક્ટોબર 1965ના રોજ સુરતમાં થયો હતો. વર્ષ 2022ની સામાન્ય વિધાનસભાની ચૂંટણીમાં સુરત પશ્ચિમ મતવિસ્તારથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા…

આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ, 18 ફેબ્રુઆરીના રજૂ થશે બજેટ

આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં બપોરે 12 વાગ્યે બજેટની પ્રથમ બેઠક મળશે. ત્યાર બાદ રાજ્યપાલના સંબોધનથી બજેટ સત્રની શરૂઆત થશે અને રાજ્યપાલના સંબોધન પર આભાર પ્રસ્તાવ રજૂ થશે. આભાર પ્રસ્તાવ રજૂ થયા બાદ શોક દર્શક ઉલ્લેખ ગૃહમાં રજૂ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમાં શોક દર્શક ઉલ્લેખ મુકશે. આજે શરૂ થઈ રહેલ બજેટ સત્ર મામલે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, રાજ્યપાલના આચાર્ય દેવવ્રતના સંબોધનથી બેઠક શરૂ થશે. રાજ્યપાલના સંબોધન બાદ ગૃહમાં ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં શાસક પક્ષ (ભાજપ) તરફથી પૂર્ણેશ મોદીએ કરી ઉમેદવારી કરી છે. બીજી તરફ વિપક્ષ તરફથી કોંગ્રેસના નેતા શૈલેષ પરમારનું નામ મૂકાયુ છે. 18 ફેબ્રુઆરીના રજૂ થશે બજેટ બજેટ સત્ર મામલે…

અમદાવાદ તથા વડોદરાની સ્કૂલને મળી બોમ્બની ધમકી, તંત્ર દોડતું થયું

ભારતમાં છેલ્લા ઘણા સમયથી પ્લેન અને શાળાઓ તથા કચેરીઓને બોમ્બની ધમકી મળી રહી છે. આ દરમિયાન આજે ફરી અમદાવાદ અને વડોદરાની શાળાઓને બોમ્બની ધમકી મળતા હડકંપ મચ્યો છે. બોમ્બની ધમકીને લઈ તંત્ર એક્શનમોડમાં આવ્યું છે. આ સાથે જ બોમ્બ અને ડોગ સ્ક્વોડ સ્થળ પર પહોંચ્યા છે. ગુજરાત સહિત દેશમાં છેલ્લા ઘણા સમયથી બોમ્બની ધમકી મળી રહી છે. આ દરમિયાન આજે અમદાવાદની ત્રણ અને વડોદરાની આઠ સ્કૂલને ઈમેઈલથી બોમ્બની ધમકી મળી છે. વડોદરામાં ઊર્મિ સ્કૂલ, નાલંદા સ્કૂલ, બરોડા હાઈસ્કુલ બગીખાના અને ડી આર અમીન સહિતની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. કોઈ અજાણ્યા ઇસમે ધમકીભર્યો ઈ-મેઈલ કર્યો હતો. ઈમેઈલ મળતા જ વડોદરાની સ્કૂલોમાં વિધાર્થીઓને રજા આપી દેવાઈ છે. અમદાવાદની ત્રણ શાળોને બોમ્બની ધમકી   અમદાવાદ શહેરની મકરબામાં…

વડોદરા અને અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસ દ્વારા કરાઈ તાત્કાલીક કાર્યવાહી

વડોદરા અને અમદાવાદમાં કેટલાક શાળાઓને ઈ-મેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. વડોદરામાં 3 સ્કૂલોને અને અમદાવાદમાં 4 સ્કૂલોને ધમકી મળતાં પોલીસ તાત્કાલીક સ્થળ પર પહોંચી હતી. બાળકોને સુરક્ષિત રીતે સ્કૂલમાંથી બહાર કાઢવામાં આવ્યા અને સુરક્ષા પગલાં કડક કરવામાં આવ્યા. અમદાવાદની સ્કૂલોને મળી બોમ્બની ધમકી અમળેટમ માહિતી મુજબ, નીચેની સ્કૂલોને ઈ-મેલ દ્વારા બોમ્બ ધમકી આપવામાં આવી હતી: – DAV ઇન્ટરનેશનલ સ્કૂલ, મકરબા – એશિયા સ્કૂલ, વસ્ત્રાપુર – A વન સ્કૂલ, સેટેલાઇટ ધમકી મળતા જ, સ્કૂલો ખાલી કરાવવામાં આવી અને વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. સુરક્ષાની દૃષ્ટિએ ત્રણેય સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી. વડોદરાની સ્કૂલો ખાલી કરાવી – ડી.આર.અમિન – ઉર્મિ સ્કૂલ અને ઉર્મિ સ્કૂલની હોસ્ટેલ – નાલંદા સ્કૂલ ખાસ કરીને ઉર્મિ સ્કૂલની હોસ્ટેલ પણ ખાલી…

મૃગી કુંડમાં સ્નાન મુદ્દે કિર્તી પટેલનો વિવાદ: સાધુ-સંતોમાં રોષ, તંત્રની દખલ

જૂનાગઢના ભવનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી મેળા દરમિયાન મૃગી કુંડમાં સ્નાન કરવા આવેલા વિવાદિત નામ કિર્તી પટેલને લઈ સાધુ-સંતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. સાધુઓએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે કયા અખાડાએ કિર્તી પટેલને પવિત્ર મૃગી કુંડમાં સ્નાન માટે આમંત્રણ આપ્યું? તેમનો આક્ષેપ છે કે કિર્તી પટેલ લાંબા સમય સુધી કુંડમાં સ્નાન કરતી રહી અને રવેડીમાં પણ ફરી હતી. વિરોધ વધતા તંત્રએ કિર્તી પટેલને સ્થળ પરથી દૂર કરી હતી. “શું હું સનાતની નથી?” – કિર્તી પટેલનો પ્રતિકાર સાધુ-સંતોના વિરોધ વચ્ચે કિર્તી પટેલે પ્રશ્ન ઉઠાવ્યો કે, “શું હું સનાતની નથી?” મૃગી કુંડમાં સ્નાન બાદ કિર્તી પટેલ દ્વારા રૂઆબભર્યું વર્તન કરાયું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સાધુઓએ નફ્ફટાઇભર્યા વર્તનની ફરિયાદ કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં કિર્તી પટેલે ટીઆરપી માટે…

ગુજરાતમાં વહેલી સવારે ઠંડીનો અહેસાસ, છતાં ઉત્તર-પૂર્વના ગરમ પવનોનો પ્રભાવ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વહેલી સવારે હળવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, પરંતુ દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ દિશાથી ફૂંકાતા ગરમ પવનોને કારણે શિયાળાની તીવ્રતા અનુભવાતી નથી. રાજ્યના વિવિધ શહેરોમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાન મુજબ કચ્છના નલિયામાં સૌથી ઓછું 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડીસામાં 14.4 ડિગ્રી, ગાંધીનગરમાં 15 ડિગ્રી, પોરબંદરમાં 15.2 ડિગ્રી, અમદાવાદમાં 15.5 ડિગ્રી, વડોદરામાં 16.4 ડિગ્રી અને કંડલામાં 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આમ છતાં, આ આંકડા સામાન્ય શિયાળાની સરખામણીએ ઊંચા ગણાય છે. કેમ આ વર્ષે શિયાળો ‘નરમ’ રહ્યો? હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બર-જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં કડક ઠંડી લાવે છે. પરંતુ આ વર્ષે હિમાલય વિસ્તારમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સક્રિય રહ્યા નથી. જ્યારે હિમાલયમાં ભારે…

મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે મહાશિવરાત્રિ મેળાની પૂર્ણાહુતિ, 5 દિવસમાં 25 લાખથી વધુ ભાવિકો ઉમટ્યા

ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ ગણાતા મહાશિવરાત્રિના પાવન અવસરે ભવનાથ ખાતે યોજાયેલ ભવ્ય મેળાની વિધિવત પૂર્ણાહુતિ થઈ છે. મહાશિવરાત્રિની મધરાતે મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાન સાથે પાંચ દિવસીય મેળો સંપન્ન થયો. કહેવાય છે કે મહાશિવરાત્રિના દિવસે ખુદ ભગવાન શિવ સાધુ સ્વરૂપે અહીં હાજરી આપે છે. આ માન્યતાને પગલે સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. અંદાજે 5 દિવસમાં 25 લાખથી વધુ ભાવિકોએ મેળાની મુલાકાત લીધી હતી. રવેડીમાં નાગા સાધુઓના અવનવા કરતબ મહાશિવરાત્રિની રાત્રે ભવનાથમાં ભવ્ય રવેડી નીકળી હતી. વિવિધ અખાડાના નાગા સાધુઓ રવેડીમાં સામેલ થયા હતા. હર હર મહાદેવના ગગનભેદી નાદ વચ્ચે નાગા સાધુઓએ અવનવા કરતબ રજૂ કર્યા હતા. રસ્તાની બંને બાજુ બપોરથી જ ભાવિકો ગોઠવાઈ ગયા હતા અને સાધુઓના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વિદેશી…

મહાશિવરાત્રિ 2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મહાદેવના દર્શન અને આરતી સાથે નાગરિકોના સુખાકારી માટે પ્રાર્થના કરી

મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી સંગમ સમા દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવીને શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક પૂજન-અર્ચન કર્યા હતા સૌ પ્રથમ સોમનાથ મંદિરના પંડિતોએ વૈદિક શ્લોકોચ્ચાર વચ્ચે મુખ્યમંત્રીશ્રીને મંદિરના પ્રાંગણમાં આવકાર્યા હતાં. મુખ્યમંત્રીએ દેવાધિદેવ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક કરીને પૂજા-અર્ચના કરી હતી. સોમનાથ મંદિરમાં મંત્રોચ્ચારના મધુર ગુંજારવ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ નાગરિકોની સુખાકારી માટે ભોળાનાથ સમક્ષ પ્રાર્થના કરી હતી. મંદિર પરિસર ખાતે સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટીગણે મુખ્યમંત્રીને બૂકેથી આવકાર્યા હતાં. આ વેળાએ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, કલેક્ટર એન.વી.ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજા, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર, સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, જિલ્લા અગ્રણી ઝવેરીભાઇ ઠકરાર,…