CM ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠકમાં વિવિધ બોર્ડ-કોર્પોરેશનને જમીન ફાળવણીની 23 દરખાસ્તોને મંજૂરી આપી: પ્રવક્તા મંત્રી જીતુવાઘાણી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં રાજ્યના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે સંદર્ભે પ્રવક્તા મંત્રી જીતુવાઘાણીએ જણાવ્યું હતું કે, આજે કેબિનેટ બેઠકમાં પાણી પુરવઠા, ઊર્જા અને બંદર વિકાસ માટે મુખ્યમંત્રીએ જમીન ફાળવણીની 23 દરખાસ્તોને મંજૂરી આપી છે. આ અંગે વિગતવાર માહિતી આપતા પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પાણી પુરવઠા બોર્ડ, જેટકો (JETCO), ગુજરાત પાવર કોર્પોરેશન અને મેરીટાઇમ બોર્ડ જેવા સંસ્થાનોને વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે કુલ 1,22,53,096 ચો. મીટર જમીન ફાળવવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવાનો છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જે તે સંસ્થાઓને ફાળવવામાં આવેલી આ જમીનો પર…
ટેકાના ભાવે તુવેરની ખરીદી મામલે રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગત
વિધાનસભા સત્ર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે રાજ્ય સરકાર કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી તા. 23 ફેબ્રુઆરી, 2026થી રાજ્યભરમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. વિગતવાર માહિતી આપતા કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરીને ઉત્પાદનોની ખરીદી કરવામાં આવે છે. વાવેતર શરૂ થયા પહેલા જ ભારત સરકારે વર્ષ 2025-26 માટે તુવેરનો ટેકાનો ભાવ રૂ. 8000 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1600 પ્રતિ મણ) જાહેર કરતા રાજ્યના ખેડૂતો દ્વારા તુવેરનું પુષ્કળ વાવેતર કરવામાં આવ્યું છે. તુવેરના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્યના કુલ 1.33…
રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ કચ્છના સરહદી ગામોમાં સુરક્ષા સમીક્ષા માટે જશે
રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ આગામી તા. 21 અને 22 ફેબ્રુઆરી 2026 દરમિયાન કચ્છ જિલ્લાના સરહદી ગામોની વ્યૂહાત્મક મુલાકાતે જઈ રહ્યા છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ અને કચ્છના વિશાળ દરિયાકાંઠાની સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય બનાવવાનો છે. બે દિવસીય પ્રવાસ દરમિયાન રાજ્યના પોલીસ વડા ભુજ ખાતે એક મહત્વપૂર્ણ ‘ક્રાઈમ કોન્ફરન્સ’ની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં માત્ર પોલીસ વિભાગ જ નહીં, પરંતુ ભારતીય સેના, સીમા સુરક્ષા બળ (BSF), ભારતીય કોસ્ટ ગાર્ડ અને વાયુસેનાના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે. સરહદી ઘૂસણખોરી, ડ્રગ્સની હેરાફેરી અને દરિયાઈ માર્ગે થતી દેશવિરોધી પ્રવૃત્તિઓને રોકવા માટે તમામ એજન્સીઓ વચ્ચે મજબૂત કોઓર્ડિનેશન પર ભાર મૂકવામાં આવશે. ડૉ. કે.એલ.એન.રાવ ખાસ કરીને જખૌ અને પિંગલેશ્વર જેવા સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈને ત્યાં તૈનાત મરીન પોલીસ અને…
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આવકના પ્રમાણપત્રની પ્રક્રિયા થશે વધુ સરળ અને ડિજિટલ
રાજ્યના નાગરિકોને સરળ, ઝડપી અને પારદર્શક સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે Social Justice and Empowerment Department Gujarat દ્વારા આવકના પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે. હવે આવકનું પ્રમાણપત્ર સંપૂર્ણપણે ડિજિટલ વ્યવસ્થા હેઠળ આપવામાં આવશે. સેલ્ફ ડિક્લેરેશન ફરજિયાત નવી વ્યવસ્થા મુજબ અરજદારે પોતાની આવક અંગે સેલ્ફ ડિક્લેરેશન આપવું રહેશે. સરકારનો મુખ્ય ઉદ્દેશ પ્રક્રિયાને સરળ બનાવવાનો છે, પરંતુ સાથે જ ખોટી માહિતી આપવાના કિસ્સામાં કડક કાયદેસરની કાર્યવાહી કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. QR કોડ અને ડિજિટલી સાઈન્ડ ઈ-સિલ સાથે પ્રમાણપત્ર ડિજિટલ પરિવર્તનના ભાગરૂપે હવે આવકનું પ્રમાણપત્ર QR કોડ અને ડિજિટલી સાઈન્ડ ઈ-સિલ સાથે આપવામાં આવશે. આથી દસ્તાવેજની પ્રામાણિકતા સરળતાથી ચકાસી શકાશે અને ગેરવપરાશ અથવા નકલ જેવી ગેરરીતિઓ અટકાવવામાં મદદ મળશે. SSO સિસ્ટમથી સરળ બનશે અરજી પ્રક્રિયા…
ગુજરાત કેબિનેટની બેઠક યોજાશે આવતી કાલે : PM મોદીના ગુજરાત પ્રવાસ અને સ્થાનિક ચૂંટણીની તૈયારી મુદ્દે ચર્ચા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુરુવારે 10 વાગ્યે કેબિનેટ બેઠક યોજાનાર છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસ, રાજ્ય સરકારના આયોજનો, નીતિગત વિષયો અને બજેટ પર ચર્ચા થવાની સંભાવના છે. કૃષિ વિભાગ દ્વારા ટેકાના ભાવે વિવિધ પાકની ખરીદી સહિતના મુદ્દાઓ પણ ચર્ચા માટે લાવવામાં આવશે. PM મોદી સાણંદ, અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાત વડાપ્રધાન મોદી 28 ફેબ્રુઆરીએ ગુજરાત આવશે. તેઓ સાણંદ ખાતે સેમિકન્ડક્ટર યુનિટમાં પ્રોડક્શન કામગીરીનું નિરીક્ષણ કરશે અને અમદાવાદ તથા ગાંધીનગરમાં ભાજપ સંગઠનની કામગીરીનું મૂલ્યાંકન કરશે. મુલાકાત ખાસ કરીને આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણીની તૈયારી માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીનનું ગુજરાત પ્રવાસ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીન 19 ફેબ્રુઆરીએ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં ભાજપ સંગઠન…
પોલીસને પડકાર ફેંકનાર સામે કડક કાર્યવાહી થશે: હર્ષ સંઘવી
ગાંધીનગર જિલ્લામાં પોલીસ આવાસ, જેલ અને અન્ય માળખાકીય સુવિધાઓના બાંધકામ માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. દહેગામ ખાતે બનનારી નવી જેલનું ખાતમુહૂર્ત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ પ્રજાની સુરક્ષા માટે દિવસ-રાત કામગીરી કરે છે અને સરકાર પણ પોલીસ પરિવારની સુખાકારી માટે પ્રતિબદ્ધ છે. ગુજરાત પોલીસ હાઉસિંગ અને જેલ વિભાગ હેઠળ અંદાજે રૂ. 273 કરોડના ખર્ચે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરાયા છે. બજેટમાં આગામી પાંચ વર્ષમાં પોલીસ પરિવાર માટે 20,400 મકાનો બનાવવાની યોજના જાહેર કરવામાં આવી છે. “પ્રેશર કે ભલામણ કરનારાના હાથ ધ્રુજવા જોઈએ” કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રીએ કડક સંદેશ આપતા જણાવ્યું કે પોલીસને પડકાર ફેંકનારાઓ સામે કાયદેસર અને કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે સરકાર…
અમદાવાદ : મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા યલો ફીવરની રસી માટે બે નવા સેન્ટર શરૂ
આફ્રિકા પ્રવાસે જવા ઇચ્છુક નાગરિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. Ahmedabad Municipal Corporation (AMC) દ્વારા યલો ફીવરની રસીકરણ સુવિધા વિસ્તૃત કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી આ રસી માત્ર આરોગ્ય ભવન ખાતે ઉપલબ્ધ હતી, પરંતુ હવે શહેરના પશ્ચિમ અને પૂર્વ ઝોનમાં બે નવા સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. 9,900થી વધુ લોકોને અપાઈ રસી AMCના અધિકારીઓના જણાવ્યા મુજબ યલો ફીવરની રસી ખાસ કરીને આફ્રિકા પ્રવાસે જતાં નાગરિકો માટે જરૂરી ગણાય છે, કારણ કે આ રોગનો પ્રકોપ મુખ્યત્વે આફ્રિકા ખંડમાં જોવા મળે છે. ગયા વર્ષ દરમિયાન અંદાજે 9,900 જેટલા લોકોને યલો ફીવરની રસી આપવામાં આવી હતી. આ રસી એક જ ડોઝમાં લેવાય છે અને લાંબા ગાળાનું રક્ષણ પૂરું પાડે છે. રસીની કિંમત કેટલી? યલો ફીવરની…
Budget 2026: ફક્ત એક ક્લિકમાં જાણો બજેટની તમામ અપડેટ
આજે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે 18 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-2027નું બજેટ રજૂ કર્યું. ગુજરાતમાં નાણામંત્રી કનુભાઈ દેસાઇએ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સર્જ્યો છે. આ સાથે જ ગુજરાત રાજ્યનું 4,08,053 કરોડનું વિક્રમી બજેટ જાહેર કરવામાં આવ્યું છે. અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ ₹2856 કરોડની જોગવાઇ 75 લાખ NFSA કાર્ડધારકોને અન્ન સુરક્ષાની સાથોસાથ પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર મળી રહે તે માટે રાહત દરે કઠોળના વિતરણ માટે ₹842 કરોડની જોગવાઇ. NFSA કાર્ડધારકોને યોજના મુજબ અન્ન પૂરું પાડવા ₹700 કરોડની જોગવાઇ. “પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના” અને “પીએનજી/ એલપીજી સહાય યોજના” અંતર્ગત વર્ષમાં ૨ સિલિન્ડર વિનામૂલ્યે રીફીલીંગ કરી આપવા માટે ₹425 કરોડની જોગવાઇ. રાજ્યના 8 લાખ અંત્યોદય…
આદિજાતિ વિકાસ વિભાગ માટે બજેટમાં કરવામાં આવી મોટી જાહેરાત, કુલ ₹5425 કરોડની જોગવાઇ
વનબંધુઓના સામાજિક સશક્તિકરણ અને આર્થિક ઉત્કર્ષ માટે વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. જનજાતિય કલ્યાણ યોજના દ્વારા આદિજાતિ કુટુંબોના સર્વાંગી વિકાસ માટે અમારી સરકાર મક્કમપણે આગળ વધી રહી છે. ત્યારે બજેટમાં કુલ 5425 કરોડની જોગવાઇ પણ કરવામાં આવી છે. અંદાજે 2 લાખ 35 હજાર વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિનો લાભ આપવા ₹909 કરોડની જોગવાઇ. 665 આશ્રમ શાળાઓના 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ₹595 કરોડની જોગવાઇ. સરકારી છાત્રાલય, આદર્શ નિવાસી શાળા, એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી સ્કૂલના બાંધકામ માટે ₹679 કરોડની જોગવાઇ. 176 સરકારી કુમાર-કન્યા છાત્રાલયો અને 893 ગ્રાન્ટ ઈન એઈડ એમ કુલ 1069 છાત્રાલયોના 73 હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે ₹327 કરોડની જોગવાઇ. 10 ઈ.એમ.આર.એસ., 53 જી.એલ.આર.એસ., 22 મોડેલ શાળાઓ તથા 2 સૈનિક શાળાઓના અંદાજે…
















