છોટા ઉદેપુરમાં વહેલી સવારે ઝાપટાં: ઠંડીમાં વધારો, પાકને નુકસાનની ભીતિ

ગુજરાતમાં ગરમીની આગાહી વચ્ચે ફરી એકવાર હવામાનમાં પલટો આવ્યો છે. છોટા ઉદેપુર જિલ્લામાં આજે વહેલી સવારે કમોસમી વરસાદ વરસતાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. વાલોઠી, બમરોલી, મુધિયારી અને ઊંચાપાન પાઠક સહિતના વિસ્તારોમાં હળવા થી મધ્યમ ઝાપટાં પડતાં વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળ્યો. ખેડૂતો માટે ચિંતા છેલ્લા કેટલાક દિવસોથી સુકું અને ઠંડું હવામાન રહેતાં હવે પડેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. હાલમાં મકાઈ અને તુવર જેવા પાકોની લણણીનો સમય ચાલી રહ્યો છે. આવા સમયે વરસાદ પડવાથી કાપણી કરેલો પાક ભીનો થઈ ગુણવત્તા પર અસર પડી શકે છે. ખાસ કરીને મકાઈમાં ભેજથી દાણા બગડવાની શક્યતા રહે છે, જ્યારે તુવર પર પણ નકારાત્મક અસર થઈ શકે છે. ખેડૂતોએ કાપણી કરેલો માલ સુરક્ષિત જગ્યાએ ખસેડવા દોડધામ…

ફૂટબોલ રમતા રમતા અચાનક પડી ગયા શિલોંગના સાંસદ, રિકી સિંગ્કોનનું થયું નિધન

મેઘાલયની રાજનીતિમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. શિલોંગ લોકસભા બેઠકથી ચૂંટાયેલા સાંસદ રિકી એજે સિંગકોનનું ગુરુવારે સાંજે ફૂટબોલ રમતા રમતા અચાનક નિધન થયું હોવાનું સામે આવ્યું છે. તેઓ મેદાન પર બેભાન થઈને પડી ગયા હતા, બાદમાં હોસ્પિટલમાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. મેદાન પર અચાનક તબિયત બગડી માહિતી મુજબ, Voice of the People Party (VPP)ના સાંસદ સિંગ્કોન ગુરુવારે સાંજે માવલાઈ માવિયૉંગ વિસ્તારમાં મિત્રો સાથે ફૂટબોલ રમવા ગયા હતા. મેચ દરમિયાન તેઓ અચાનક મેદાન પર પડી ગયા. ત્યાં હાજર લોકોએ તરત જ તેમને માવિયૉંગ સમુદાય આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે પહોંચાડ્યા. જોકે, હોસ્પિટલમાં તાત્કાલિક ડૉક્ટર ઉપલબ્ધ ન હોવાથી તેમને હાયર સેન્ટર પર રેફર કરવામાં આવ્યા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન વધુ સારવાર માટે તેમને જાયાવ સ્થિત ડો. એચ. ગોર્ડન…

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય: ગુજરાતમાં વધશે ગરમી, હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં ફેબ્રુઆરીની શરૂઆત સાથે જ ગરમીનો અહેસાસ વધવા લાગ્યો છે. હવામાન વિભાગ મુજબ ઉત્તર ગુજરાત વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સક્રિય બનતાં રાજ્યના મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. આગામી 24 કલાક બાદ તાપમાનમાં અંદાજે 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો નોંધાઈ શકે છે. હવામાન વિભાગે શું કહ્યું? India Meteorological Department (IMD) ના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું છે કે ફેબ્રુઆરી દરમિયાન સામાન્ય કરતાં વધુ તાપમાન નોંધાઈ શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આ સિસ્ટમ સક્રિય થતાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે. લોકોમાં વહેલી ગરમીનો અનુભવ થવાની શક્યતા છે. ડીસા અને અમદાવાદમાં તાપમાન ઉંચું ડીસામાં રાજ્યનું સૌથી વધુ 34.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. જ્યારેઅમદાવાદમાં 34.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું, જે ફેબ્રુઆરી મહિનામાં સામાન્ય કરતાં ઊંચું માનવામાં આવે…

હોળી-ધૂળેટી તહેવારો નિમિત્તે 1300 વધારાની બસો દોડાવશે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ

હોળી અને ધૂળેટીના તહેવારો નજીક આવતા જ રાજ્યભરમાં વતન જનાર મુસાફરોની સંખ્યામાં વધારો થતો હોય છે. વધતી ભીડ અને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે વિશેષ આયોજન જાહેર કર્યું છે. તહેવારો દરમિયાન મુસાફરોને સરળ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત મુસાફરી મળી રહે તે માટે નિગમ દ્વારા 1300 વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 7500 જેટલી વધારાની ટ્રિપો ચલાવવામાં આવશે આ વધારાની બસો દ્વારા અંદાજે 7500 જેટલી ટ્રિપો સંચાલિત કરવામાં આવશે. શહેરોમાં રોજગારી માટે રહેતા લોકો પોતાના ગામડે જઈ પરિવાર સાથે તહેવાર ઉજવી શકે તે માટે આ સુવિધા ખાસ ઉપયોગી સાબિત થશે. કયા રૂટ પર રહેશે ખાસ વ્યવસ્થા? હોળી-ધૂળેટીના દિવસોમાં ખાસ કરીને નીચેના શહેરોમાંથી વધારાની બસોની વ્યવસ્થા રહેશે: – અમદાવાદ – રાજકોટ – અમરેલી –…

ગુજરાતમાં ખેતી વિજળી પર વીજકર સંપૂર્ણ નાબૂદ, ગ્રામ્ય-શહેરી વીજકરમાં વ્યાજના દરો જાહેર: નાણા મંત્રી કનુભાઈ દેસાઈ

ગુજરાત વિધાનસભામાં વીજ કરના મુદ્દે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા નાણા મંત્રી કનુભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે, ખેતીવાડીમાં બોર અથવા કુવા માટે વપરાતી મોટરથી પાણી કાઢી ખેતીની સિંચાઈના ઉપયોગ માટે થતો વીજ વપરાશ તથા તે માટેની લાઈટીંગમાં થતા વીજ વપરાશ પર કોઈ પણ પ્રકારનો વીજ કર લેવામાં આવતો નથી. રાજ્ય સરકાર દ્વારા તા. 01 જુલાઈ, 2004થી ખેતી વિષયક વીજળી પરનો વીજ કર સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે. વધુમાં નાણા મંત્રીએ કહ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારના રહેણાંક કક્ષાના વીજ ગ્રાહકો પાસેથી વાર્ષિક 250 યુનિટના વપરાશ સુધી કોઈ વીજ કર લેવામાં આવતો નથી. ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે પર્યાવરણની જાળવણી માટે રાજ્ય સરકાર દ્વારા સૂર્ય અને પવન ઊર્જા પર પણ કોઈ વીજ કર વસૂલવામાં આવતો નથી. આ ઉપરાંત ‘નો…

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ‘સિંગલ ક્લિક પેમેન્ટ’થી MSME અને ઉદ્યોગ વિભાગના લાભાર્થીઓને સીધા બેંક ખાતામાં સહાયની કરી ચૂકવણી

ગુજરાત સરકારના ઉદ્યોગ અને MSME વિભાગ દ્વારા રાજ્યના લાભાર્થીઓને ઝડપી અને પારદર્શક રીતે નાણાકીય સહાય પહોંચાડવાના ઉમદા હેતુથી આજે સાંજે ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રીના કાર્યાલયમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ આયોજિત આ “સિંગલ ક્લિક પેમેન્ટ પ્રોગ્રામ”માં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સિંગલ ક્લિકથી કુલ 2048 લાભાર્થીઓના બેંક ખાતામાં રૂ. 461.04 કરોડની માતબર રકમ સીધી જમા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ઉદ્યોગ વિભાગની વિવિધ પ્રોત્સાહક યોજનાઓનો વ્યાપક લાભ આપવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે MSME ક્ષેત્રની વિવિધ યોજનાઓ હેઠળ 1715 લાભાર્થીઓને રૂ. 80.96 કરોડની સહાય ચુકવવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્યના મહત્વના ટેક્ષટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ૨૦૨ લાભાર્થીઓને રૂ. 184.97 કરોડ અને લાર્જ ઇન્ડસ્ટ્રીઝ (મોટા ઉદ્યોગો)ના 126 લાભાર્થીઓને રૂ. 188.77…

ગાંધીનગરમાં યોજાયો સંસ્કૃત પ્રોત્સાહન સમારોહ: સંસ્કૃતિનો જીવંત વારસો ગણાવી અધ્યક્ષ હિમાંજય પાલીવાલનું સંબોધન

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત પ્રોત્સાહન યોજના અંતર્ગત આજે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો ભવ્ય “સંસ્કૃત પ્રોત્સાહન સમારોહ” યોજાયો હતો. માધ્યમિક સ્તરે સંસ્કૃત ભાષાના શિક્ષણને વધુ વેગ આપવા તેમજ આ ક્ષેત્રે કાર્યરત શૈક્ષણિક સંસ્થાઓ અને શિક્ષકોને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં બોર્ડના અધ્યક્ષ હિમાંજય પાલીવાલે સંસ્કૃત ભાષાની મહત્તા પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે, સંસ્કૃત માત્ર ભાષા નથી, પરંતુ આપણી સંસ્કૃતિનો જીવંત વારસો છે. નવી પેઢી આ વારસા સાથે જોડાય તે માટે આચાર્યો અને શિક્ષકોની ભૂમિકા મહત્વની છે. આ કાર્યક્રમમાં રાજ્યની કુલ 223 સંસ્થાઓ જોડાઈ હતી. સંસ્થાઓના આચાર્યઓ અને સંસ્કૃત વિષયના ગુરુજીઓ સહિત કુલ 476 શિક્ષણસેવકોનું તેમની ઉત્કૃષ્ટ સેવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે ડૉ. પદ્મકુમારજીએ “પરિવાર પ્રબોધન: સંસ્કૃત દ્વારા વ્યક્તિત્વ…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળ બેઠક: યોજનાઓની તાત્કાલિક અમલવારીના નિર્દેશ અપાયા

ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીમંડળના સભ્યશ્રીઓ અને સચિવશ્રીઓ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ નાણા મંત્રી કનુભાઈ દેસાઈને ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું અને ઐતિહાસિક બજેટ રજૂ કરવા બદલ વિશેષ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા, તેમ પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું. કેબિનેટ બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીમાં અપાયેલી રાહતોને કારણે સામાન્ય જનતાને રાહત મળી છે. જીએસટીમાં રાહત બાદ રાજ્ય સરકારની આવકમાં ઘટાડો થવાની સંભાવના હોવા છતાં, ગુજરાત સરકારે પોતાની વહીવટી કાર્યક્ષમતાના જોરે બજેટમાં ૧૦ ટકાનો વધારો કર્યો છે. અર્થશાસ્ત્રીઓ અને વિદ્વાનો દ્વારા પણ આ બજેટની સરાહના કરવામાં આવી છે. આ…

Ahmedabad : મેટ્રો મુસાફરોની સુવિધા અને સુરક્ષા અર્થે અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું, જાણો વિગત

અમદાવાદ શહેરમાં કાર્યરત મેટ્રો રેલ નેટવર્ક 60 કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે અને મેટ્રો કોરિડોર અનેક સ્થાનિક પોલીસ સ્ટેશનોની હદમાંથી પસાર થાય છે. મેટ્રો ટ્રેનની અંદર અથવા મેટ્રોની મિલકતોને લગતા ગુનાઓ કે અનિચ્છનીય ઘટનાઓ સમયે અસરકારક સંકલન અને ઝડપી પોલીસ કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ, 1951, પેટા કલમ 12ની મળેલ સત્તા હેઠળ એક મહત્વનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ, મેટ્રો રેલના અલગ-અલગ વિસ્તારોને બે સેક્ટરમાં વહેંચીને ચોક્કસ પોલીસ સ્ટેશનોને ગુના નોંધવાની જવાબદારી સોંપવામાં આવી છે જેથી વહીવટી અનુકૂળતા રહે અને સામાન્ય જનતાને સરળતા રહે. નવા જાહેરનામા અનુસાર, મેટ્રો ટ્રેનની અંદર થતી ચોરી, મારામારી, છેડતી, અશ્લીલ વર્તન જેવી ઘટનાઓ તેમજ મેટ્રોની બિલ્ડિંગ, પ્લેટફોર્મ કે વાયરને…

વેરાવળ ખાતે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ)માં માછીમારી માટે એક્સેસ પાસની સુવિધા લૉન્ચ થશે

ગાંધીનગર: ભારતના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ) નિયમોને અમલમાં મૂકવા અને ઊંડા સમુદ્રમાં માછીમારીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી એક સીમાચિહ્નરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી અને પંચાયતી રાજ મંત્રાલયના કેન્દ્રીય મંત્રીરાજીવ રંજન સિંહ 20 ફેબ્રુઆરીએ વેરાવળ ખાતે વિશેષ આર્થિક ક્ષેત્ર (EEZ)માં માછીમારી માટે એક્સેસ પાસ ફ્રેમવર્ક લૉન્ચ કરશે. આ નવું માળખું માછીમારોને ઊંડા સમુદ્રી વિસ્તારોમાં માછીમારી માટે સત્તાવાર પરવાનગી (એક્સેસ પાસ) મેળવવાનું સરળ બનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ આ પહેલ ભારતના મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન લાવશે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રને મજબૂત બનાવવાના પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે એક્સેસ પાસની પહેલ પરંપરાગત અને નાના પાયાના માછીમારો, સહકારી મંડળીઓ, સ્વ-સહાય જૂથો અને મત્સ્યઉદ્યોગ ઉત્પાદક સંગઠનો (FFPO) ને સશક્ત બનાવશે. ઉલ્લેખનીય…