અમદાવાદ : મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા યલો ફીવરની રસી માટે બે નવા સેન્ટર શરૂ

આફ્રિકા પ્રવાસે જવા ઇચ્છુક નાગરિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. Ahmedabad Municipal Corporation (AMC) દ્વારા યલો ફીવરની રસીકરણ સુવિધા વિસ્તૃત કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી આ રસી માત્ર આરોગ્ય ભવન ખાતે ઉપલબ્ધ હતી, પરંતુ હવે શહેરના પશ્ચિમ અને પૂર્વ ઝોનમાં બે નવા સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. 9,900થી વધુ લોકોને અપાઈ રસી AMCના અધિકારીઓના જણાવ્યા મુજબ યલો ફીવરની રસી ખાસ કરીને આફ્રિકા પ્રવાસે જતાં નાગરિકો માટે જરૂરી ગણાય છે, કારણ કે આ રોગનો પ્રકોપ મુખ્યત્વે આફ્રિકા ખંડમાં જોવા મળે છે. ગયા વર્ષ દરમિયાન અંદાજે 9,900 જેટલા લોકોને યલો ફીવરની રસી આપવામાં આવી હતી. આ રસી એક જ ડોઝમાં લેવાય છે અને લાંબા ગાળાનું રક્ષણ પૂરું પાડે છે. રસીની કિંમત કેટલી? યલો ફીવરની…

Budget 2026: ફક્ત એક ક્લિકમાં જાણો બજેટની તમામ અપડેટ

આજે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે 18 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-2027નું બજેટ રજૂ કર્યું. ગુજરાતમાં નાણામંત્રી કનુભાઈ દેસાઇએ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સર્જ્યો છે.  આ સાથે જ ગુજરાત રાજ્યનું 4,08,053 કરોડનું વિક્રમી બજેટ જાહેર કરવામાં આવ્યું છે. અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ ₹2856 કરોડની જોગવાઇ 75 લાખ NFSA કાર્ડધારકોને અન્ન સુરક્ષાની સાથોસાથ પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર મળી રહે તે માટે રાહત દરે કઠોળના વિતરણ માટે ₹842 કરોડની જોગવાઇ. NFSA કાર્ડધારકોને યોજના મુજબ અન્ન પૂરું પાડવા ₹700 કરોડની જોગવાઇ.  “પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના” અને “પીએનજી/ એલપીજી સહાય યોજના” અંતર્ગત વર્ષમાં ૨ સિલિન્ડર વિનામૂલ્યે રીફીલીંગ કરી આપવા માટે ₹425 કરોડની જોગવાઇ. રાજ્યના 8 લાખ અંત્યોદય…

આદિજાતિ વિકાસ વિભાગ માટે બજેટમાં કરવામાં આવી મોટી જાહેરાત, કુલ ₹5425 કરોડની જોગવાઇ

વનબંધુઓના સામાજિક સશક્તિકરણ અને આર્થિક ઉત્કર્ષ માટે વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. જનજાતિય કલ્યાણ યોજના દ્વારા આદિજાતિ કુટુંબોના સર્વાંગી વિકાસ માટે અમારી સરકાર મક્કમપણે આગળ વધી રહી છે. ત્યારે બજેટમાં કુલ 5425 કરોડની જોગવાઇ પણ કરવામાં આવી છે. અંદાજે 2 લાખ 35 હજાર વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિનો લાભ આપવા ₹909 કરોડની જોગવાઇ. 665 આશ્રમ શાળાઓના 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ₹595 કરોડની જોગવાઇ. સરકારી છાત્રાલય, આદર્શ નિવાસી શાળા, એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી સ્કૂલના બાંધકામ માટે ₹679 કરોડની જોગવાઇ. 176 સરકારી કુમાર-કન્યા છાત્રાલયો અને 893 ગ્રાન્ટ ઈન એઈડ એમ કુલ 1069 છાત્રાલયોના 73 હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે ₹327 કરોડની જોગવાઇ. 10 ઈ.એમ.આર.એસ., 53 જી.એલ.આર.એસ., 22 મોડેલ શાળાઓ તથા 2 સૈનિક શાળાઓના અંદાજે…

Guajrat Budget 2026-27 : ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે બજેટમાં શું કરાઈ જોગવાઈ ? જાણો વિગત

બજેટમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કિસાન સૂર્યોદય યોજના મારફત ખેડૂતો માટે દિવસના સમયે વીજ પુરવઠો આપી શકાય તે સુનિશ્ચિત કરી રાજ્યમાં ખેતીવાડી વીજ જોડાણ ધરાવતાં કુલ 17 હજાર 249 ગામોમાં આવેલ ખેતી આધારિત કુલ 20 લાખ 85 હજાર વીજગ્રાહકો પૈકી 17 હજાર 52 ગામોમાં 19 લાખ 9 હજાર વીજગ્રાહકોને દિવસે વીજળી આપવામાં આવી રહેલ છે. આદિજાતિ, સાગરકાંઠા તથા અન્ય વિસ્તારોમાં નવા કૃષિ વિષયક વીજ જોડાણ આપવા માટે ₹૧૧૬૬ કરોડની જોગવાઇ.ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ₹500 કરોડની જોગવાઇ. સાગરકાંઠા તથા આદિજાતિ વિસ્તારોમાં નવા સબસ્ટેશનો સ્થાપવા માટે ₹350 કરોડની જોગવાઇ. ઊર્જા સંરક્ષણ યોજના માટે ₹100 કરોડની જોગવાઇ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુકત વીજળી પૂરી પાડવા જનજાતિય…

Budget 2026: સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે જાણો બજેટમાં શું કરવામાં આવી જોગવાઈ

બજેટમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે જાહેરાત કરતાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઇએ કહ્યું કે, સમાજના જરૂરિયાતમંદ વર્ગને સામાજિક સુરક્ષા પૂરી પાડી સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવોએ અમારી સરકારની પ્રાથમિકતા છે. વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ, પાત્રતા ધરાવતી તમામ વ્યક્તિઓને સરળતાથી પહોંચાડવા અમે પ્રતિબદ્ધ છીએ. પી.એમ.યશસ્વી પ્રિ-મેટ્રીક અને પોસ્ટ-મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના હેઠળ વિકસતી જાતિના અંદાજે 9 લાખ 75 હજાર વિદ્યાર્થીઓ માટે ₹630 કરોડની જોગવાઇ. પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના અને વિકસતી જાતિના અંદાજે 36 લાખ વિદ્યાર્થીઓને શિષ્‍યવૃત્તિ અને ગણવેશ સહાય આપવા ₹617 કરોડની જોગવાઇ.અનુસૂચિત જાતિના આશરે 1 લાખ 45 હજાર વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રીક શિષ્‍યવૃત્તિ યોજના માટે ₹296 કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે . વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત વિદેશમાં ચાલતા ઉચ્‍ચ અભ્યાસ અર્થે 4 ટકાના…

Budget 2026 : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે બજેટમાં જાણો શું કરવામાં આવી જાહેરાત

આજે ગુજરાત વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ થઈ રહ્યું છે. જેમાં નાણાં મંત્રી કનુ દેસાઇએ વર્ષ 2026-27 માટે રાજ્યનું વાર્ષિક બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ₹25403 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રાજ્યમાં યોગથી લઇને આયુષ્યમાન સુધીની સુવિધા સુલભ બની છે. પ્રાથમિક આરોગ્યથી માંડીને સ્પેશ્યાલિટી સારવાર સુધીની સગવડોમાં વધારો કરવા સરકાર પ્રયત્નો કરી રહી છે. ત્યારે બજેટમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય–મુખ્યમંત્રી અમૃતમ(મા યોજના) હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના અંદાજે 2 કરોડ 72 લાખ લોકોને ₹10 લાખ સુધીની કેશલેસ સારવાર માટે ₹3472 કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે. આ સાથે જ G.M.E.R.S સંચાલિત મેડીકલ હોસ્પિટલો માટે ₹1851 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આરોગ્ય સુવિધાઓના સુદ્રઢીકરણ તેમજ બિનચેપી રોગો અને અન્ય જાહેર આરોગ્યની…

ગુજરાત અંદાજપત્ર 2026-27’ માટે આકર્ષક બજેટ પોથી તૈયાર, જાણો શું છે ખાસ

નાણા‌ મંત્રી કનુભાઈ દેસાઈએ ‘ગુજરાત અંદાજપત્ર :2026-27 માટે આદિવાસીઓના દેવી ‘કંસરી દેવી’ના ચિત્ર સાથે વારલી ચિત્રકલા વાળી આકર્ષક બજેટ પોથી પસંદ કરી છે. કંસરી દેવી- આદિવાસીઓના દેવી છે જ્યારે પણ કોઈના ઘરમાં લગ્ન થાય, ખેતરમાંથી નવું ધાન નીકળે, કે કોઈપણ શુભ પ્રસંગ હોય ત્યારે કંસરી દેવીની સ્થાપના કરવામાં આવે છે, પૂજા કરવામાં આવે છે. કંસરી દેવીને માતા અન્નપૂર્ણા પણ કહી શકાય કે જેમની સ્થાપના, પૂજા કરવાથી ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે અને તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે, આમ કંસરી દેવી prosparity- સમૃદ્ધિના દેવી માનવામાં આવે છે. એમની કૃપાથી સુખ સમૃદ્ધિ મળે છે. આમ કંસરી દેવી આદિવાસીઓ માટે પાયાના દેવી ગણાય છે. વારલી આદિજાતિના લોકો દક્ષિણ ગુજરાતના વલસાડ અને પાસેના મહારાષ્ટ્રના થાણા જિલ્લામાં રહે છે.…

Ahmedabad: ખાસ સઘન સુધારણા ઝૂંબેશ (SIR) પૂર્ણ; 49.12 લાખથી વધુ મતદારો સાથે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ

અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર સુજીત કુમારના અધ્યક્ષસ્થાને આજે કલેક્ટર કચેરી ખાતે વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ ઠક્કરની ઉપસ્થિતિમાં તા.01-01-2026 ની લાયકાતની તારીખના સંદર્ભમાં હાથ ધરવામાં આવેલી મતદારયાદી ખાસ સઘન સુધારણા (SIR) ઝૂંબેશ બાદ તૈયાર થયેલી આખરી મતદારયાદીની પ્રસિદ્ધિ કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી) અને નેશનલ પીપલ્સ પાર્ટીના પ્રતિનિધિઓને આખરી મતદારયાદીની નકલ સુપ્રત કરવામાં આવી હતી. ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર રાજ્યમાં ગત તા. 28 ઓક્ટોબર, ૨૦૨૫થી શરૂ કરાયેલા આ ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ જિલ્લાના 21 વિધાનસભા મતવિભાગોમાં વ્યાપક…

‘સ્વસ્થ ધરા, ખેત હરા’: ગુજરાતના 2.19 કરોડ ખેડૂતોને મળ્યા સોઇલ હેલ્થ કાર્ડ

ગુજરાતના સર્વાંગી વિકાસમાં કૃષિ વિકાસ એક મહત્વપૂર્ણ પાયો છે. રાજ્યનો સર્વાંગી કૃષિ વિકાસ ગુજરાત સરકારની પ્રાથમિકતા રહી છે. જો ખેતીયોગ્ય જમીનની યોગ્ય રીતે જાળવણી ન થાય, તો તે ઉજ્જડ બનતી જાય છે. જમીન ઉજ્જડ થવાના અનેક કારણો હોઈ શકે છે, જેમ કે પ્રદૂષણ, જમીનમાં વધતી ખારાશ અને રસાયણિક ખાતર તથા દવાઓનો અતિશય ઉપયોગ. ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ આ સમસ્યા ઉદભવી રહી હતી. આ સમસ્યાના સમાધાન માટે એક નવતર અભિગમના ભાગરૂપે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003-04માં ‘સોઈલ હેલ્થ કાર્ડ યોજના’ અમલમાં મૂકી હતી. જમીન તંદુરસ્તીની અગત્યતાને પારખીને આ પ્રકારની અનોખી યોજના અમલમાં મૂકવા વાળું ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય બન્યું હતું. પ્રધાનમંત્રીની દૂરંદેશી પહેલને આગળ ધપાવી અને વિકસિત ભારતના વિઝનને વિકસિત ગુજરાત દ્વારા…

ગુજરાત 2026-27નું બજેટ : કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરશે, જાણો વિગત

ગુજરાત વિધાનસભામાં આવતીકાલે નાણાં મંત્રી કનુ દેસાઈ વર્ષ 2026-27 માટેનું રાજ્યનું વાર્ષિક બજેટ રજૂ કરશે. કનુભાઈ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે અને આ વખતે બજેટની આશંકિત રકમ આશરે 4 લાખ કરોડ રૂપિયા રહેશે. જો આ આંકડો સાચો સાબિત થાય તો ગુજરાતના ઈતિહાસમાં આ એક સૌથી મોટું બજેટ ગણાશે. ગત વર્ષે રાજ્યનું બજેટ 3.70 લાખ કરોડ હતું, એટલે કે આ વર્ષે બજેટમાં આશરે 12 થી 15 ટકા વધારો જોવા મળી શકે છે. નવા બજેટમાં માળખાગત વિકાસ, કૃષિ, ઉદ્યોગ, શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં વિશેષ ફાળવણી થવાની સંભાવના છે. રાજ્ય સરકાર ચાલુ યોજનાઓને મજબૂત બનાવવાની સાથે નવી યોજનાઓની પણ જાહેરાત કરશે. કનુભાઈ દેસાઈની સતત પાંચમી વખત બજેટ રજૂ કરવાનો અનુભવ અને સરકાર પરનો વિશ્વાસ…