આ 5 ખાદ્યપદાર્થો દરરોજ ખાલી પેટે ખાવાથી તમારું આરોગ્ય રહેશે ફિટ અને ફાઇન

આજની ઝડપી જિંદગીમાં તંદુરસ્ત રહેવું હવે ચોકસાઈથી પસંદ કરેલી આદતો પર નિર્ભર છે. જો તમે દરરોજની શરૂઆત યોગ્ય ખાદ્યપદાર્થોથી કરો, તો શરીર પણ તમારું સાથ નિભાવશે. ચાલો જાણીએ એવી 5 વસ્તુઓ વિશે જે દરરોજ ખાલી પેટે ખાવાથી આરોગ્યમાં ચમત્કારિક ફેરફાર આવી શકે છે: 1. ગરમ પાણીમાં લિંબુ અને મધ:- રોજ સવારે ખાલી પેટે લિંબુ અને મધ મિશ્રિત ગરમ પાણી પીવાથી શરીર ડિટોક્સ થાય છે, ચરબી ઓગળે છે અને પાચન તંત્ર સક્રિય બને છે. 2. પલાળેલા બદામ:- બદામમાં વિટામિન E, મેંગ્નેશિયમ અને હેલ્ધી ફેટ હોય છે. ખાલી પેટે પલાળેલા બદામ ખાવાથી સ્મૃતિ શક્તિ અને ત્વચાની ગુણવત્તા સુધરે છે. 3. તાજું આમળું કે આમળાનું જ્યુસ:- આમળા એ એક શક્તિશાળી ઔષધીય ફળ છે. તેમાં વિટામિન C હોય છે જે…

ગોષ્ઠિ ગુજરાતની

કોવિડ વખતે ચમકેલાં જયંતી રવિ ફરીવાર માધ્યમોમાં દેખાયાં, પણ સંબોધન ન કર્યું કોરોનાકાળ વખતે દરરોજ ગુજરાતનાં તત્કાલીન આરોગ્ય સચિવ જયંતી રવિ દિવસમાં લગભગ ત્રણથી ચાર વખત મીડિયા બ્રીફિંગ માટે આવતાં હતાં. કોરોનાને લઈને સરકારે લીધેલાં પગલાંની માહિતી તેઓ નિયમિત સમાચાર માધ્યમો સમક્ષ રજૂ કરતાં હતાં. તે વખતે ગુજરાત સરકારનાં આ આઈએએસ અધિકારી ઘર ઘરમાં ખૂબ જાણીતાં થઈ ગયાં હતાં. પરંતુ કોરોના કાળ પૂરો થતાં જ સરકારે તેમની બદલી કરી ગેમને પુરુચેરીના અરવિંદ આશ્રમમાં સચિવ તરીકે મુક્યાં હતાં. તે પછી તેઓ ગત ઓગસ્ટ માસમાં ગુજરાત સરકારમાં એટલે કે તરીકે ફરજ બજાવે છે. જો કે તે અંગે જાહેર જનતાને ખાસ ખ્યાલ ન હતો. પરંતુ પાછલા સપ્તાહે જયંતી રવિ ફરીથી સમાચાર માધ્યમોમાં જોવા મળ્યાં. ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિમાં…

ગોષ્ઠિ ગુજરાતની

પંકજ મકવાણા,અમદાવાદ/ સંવેદનશીલ સમયે હાર્દિકનો અવિચારી પ્રયોગ ભાજપના યુવા ધારાસભ્ય હાર્દિક પટેલે રવિવારે એક એવા સંવેદનશીલ સમયે કોંગ્રેસ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરી, જયારે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા સંજોગો ચાલી રહ્યાં છે. મોટા ભાગના નેતાઓ સંયમ પાળીને શાંતિ જાળવી રહ્યા છે ત્યારે હાર્દિકે તત્કાલ ભૂતકાળના આતંકવાદી હુમલાઓ કોંગ્રેસના શાસનકાળ સાથે જોડીને એક જુનો મુદ્દો ઉકેલવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેમની આ પોસ્ટને જનતાએ ઉત્તર આપ્યો નહિ. વળી, ઘણી જાતની ટીકા અને મિમ બનાવવામાં આવ્યા. કેટલાક લોકોએ 1971ના યુદ્ધ સમયે ઇન્દિરા ગાંધીની સખત નેતાગીરી યાદ અપાવી, જેના જવાબમાં હાર્દિકે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમ છતાં, તેમના આ વલણથી ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓ પણ અસંતોષમાં આવ્યા છે. આ ઘટના દર્શાવે છે કે દુર્ઘટનાઓ અને તણાવભર્યા મુદ્દાઓ પર રાજકારણ…

યુવા પ્રોબેશનરી IAS અધિકારીઓને B india તરફથી સંકલિત સંદેશ

પંકજ મકવાણા, અમદાવાદ/ ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સુપરન્યુમરી આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે જવાબદારી સંભાળતા 2024 બેચના યુવા અધિકારીઓને હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ. ગુજરાત જે દેશના વિકાસનો રોલ મોડલ ગણાય છે, ત્યાં ફરજ બજાવવી એ તમારા માટે માત્ર તક નહીં પણ એક જનવિશ્વાસની જવાબદારી છે. આજે દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં – ગ્રામ્ય વિકાસથી લઈને શહેરી સુશાસન સુધી, આરોગ્ય અને પોષણથી લઈ શિક્ષણ સુધારણા સુધી, પારદર્શી વહીવટથી લઈને પબ્લિક ગ્રિવન્સ રેડ્રેસલ સુધી, દરેક ક્ષેત્રમાં જનસેવાનો વ્યાપ વિસ્તરતો જઈ રહ્યો છે. મહિલા અને બાળ કલ્યાણ, કાયદો અને વ્યવસ્થા, ડિજિટલ ગવર્નન્સ, યુવાનોના સશક્તિકરણ, જળસંગ્રહ અને પર્યાવરણ જાગૃતિ, તેમજ ગ્રામ પંચાયતોના સશક્તિકરણ જેવા ક્ષેત્રોમાં તમે નવા વિચાર, નવી કાર્યશૈલી અને જનસંપર્કની નવી ભાષા લઈને આવો – તેવી આશા છે. તમારું નિર્મળ…

કલેક્ટર સાહેબ, દેશરક્ષક સામે તમારું મૌન નહીં ચાલે – તમે રાજસેવક છો, રાજા નહિ!”

પંકજ મકવાણા, અમદાવાદ /  ‘દેશ માટે લડનારના પરિવારને માન આપવાનું ચૂક્યા’ હાઇકોર્ટે સરકારનો ઉધડો લેતા એવી ટકોર કરી હતી કે, આર્મી મેન અને તેનો પરિવાર દેશ અને સરકાર તરફે સામાજિક પ્રતિબદ્ધતા ધરાવે છે. પરંતુ સરકારને તેમની સાથે જાણે કોઈ નિસ્બત નથી. આ વર્તન ચલાવી શકાય નહિ. કલેક્ટરો આર્મીમેન અને તેમના પરિવારને માન આપવાનું ચૂકી ગયા છે. સરકાર તરફે એવી દલીલ કરાઈ હતી કે, અરજદારે 18 વર્ષનો વિલંબ કર્યો છે તેથી ટકવાપાત્ર નથી. આર્મીમેનને 18 વર્ષ સુધી પ્લોટ નહિ ફાળવાતા તેમને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. તેનું જવાબદાર કોણ એ મોટો પ્રશ્ન છે. આ મામલે કોર્ટના અભિપ્રાય અને સચોટ વિશ્લેષણ એ મહત્વપૂર્ણ છે કે, જ્યારે એક નિવૃત્ત આર્મી મેન 18 વર્ષ સુધી પ્લોટ માટે રાહ જોઈ રહ્યો…

AMRELI : LCBને મળી મોટી સફળતા | F.I.R |

બાઈક ચોરી કરતી ગેંગ ઝડપાઈ અનેક ચોરીઓનો થયો પર્દાફાશ મોજ-શોખ હતા ઊંચા… ચોરીના ચઢ્યા રવાડે 25 થી વધુ બાઈક ચોરીને આપ્યો અંજામ AMRELI : અમરેલી LCBને મળી મોટી સફળતા | F.I.R |https://t.co/HcZa5DilZI બાઈક ચોરી કરતી ગેંગ ઝડપાઈ અનેક ચોરીઓનો થયો પર્દાફાશ મોજ-શોખ હતા ઊંચા…ચોરીના ચઢ્યા રવાડે 25 થી વધુ બાઈક ચોરીને આપ્યો અંજામ#Amreli #LCB #gujaratpolice #crime #amrelipolice pic.twitter.com/0lAM2s7AIB — B India (@buletin_india) May 3, 2025 Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

પાટીલના ઉત્તરાધિકારી કોણ? ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષનું કોકડું ક્યાં ગૂંચવાયું!

ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષની ચર્ચાઓ અચાનક વેગ પકડે છે અને અચાનક ચર્ચાઓ શાંત થઈ જાય છે. ગઈકાલે છ શહેર-જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત કરી છે. આ સાથે બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા મુલતવી રાખવામાં આવી છે. આ દરમિયાન ફરી પાટીલના ઉત્તરાધિકારીના નામની ચર્ચાઓ તેજ થઈ છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને ગત લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારથી ગુજરાતને નવા પ્રદેશ અધ્યક્ષ મળશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જોકે આ વાતને પણ એક વર્ષ વીતી ચૂક્યું છે. બીજી તરફ ટીલે ઘણા સમય પહેલા જ આ પદ છોડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારથી તેમના ઉત્તરાધિકારી વિશે અટકળો ચાલી રહી છે. એક તરફ કેન્દ્રીય નેતૃત્વ હવે પાકિસ્તાન માટે રણનીતિ ઘડવામાં વ્યસ્ત છે.…

અમદાવાદની સૌથી ભયાનક જગ્યાઓ: નામ લેતાં જ ધબકારા વધી જાય, શું તમે જાણો છો?

તમે અમદાવાદના પ્રખ્યાત સ્થળો વિશે તો જાણતા જ હશો, પરંતુ શું તમે અહીંની ડરામણી જગ્યાઓ વિશે જાણો છો?   ગુજરાતનું અમદાવાદ શહેર તેની લોક સંસ્કૃતિ, સ્વાદિષ્ટ ભોજન, પરંપરાગત રીતરિવાજો અને વસ્ત્રો માટે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આ શહેરની સુંદરતા એટલી લોકપ્રિય છે કે દર વર્ષે લાખો દેશી અને વિદેશી પર્યટકો તેની મુલાકાત લેવા આવે છે. ખાસ કરીને ગુજરાતી તહેવારોમાં મોટા ભાગના પ્રવાસીઓ અહીં આવે છે. જેમ અમદાવાદમાં ફરવા માટે ઘણી અદ્ભુત જગ્યાઓ છે, તેવી જ રીતે આ રાજ્યમાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં કોઈ પણ પ્રવાસી જતા પહેલા 10 વાર વિચારે છે.   હા, આ લેખમાં અમે તમને અમદાવાદની એવી ડરામણી જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં કેટલાક લોકો સૂર્યાસ્ત…

અમદાવાદ: હવે મેટ્રો માર્ગ સચિવાલય સુધી વિસ્તર્યો, મેટ્રો ટ્રેન ગાંધીનગર સચિવાલય સુધી દોડશે

ગાંધીનગર રૂટ પર સાત નવા સ્ટેશન શરૂ, 27 એપ્રિલથી ટાઈમ ટેબલ બદલાશે અમદાવાદ:- અમદાવાદથી ગાંધીનગર જનારા લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. ખાસ કરીને જેઓ સચિવાલયમાં જાય છે. કારણ કે હવે 27 એપ્રિલથી અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેન સચિવાલય સુધી દોડશે. એટલું જ નહીં. અમદાવાદ (મોટેરા) થી ગાંધીનગર સચિવાલય સુધીના સાત નવા સ્ટેશનો પણ શરૂ કરવામાં આવ્યા છે. એટલે કે આ સાત સ્થળોએ મુસાફરો મેટ્રોમાં ઉતરી શકશે અને ચડી શકશે. જેમાં કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, સેક્ટર-10A અને ગાંધીનગર સચિવાલય સ્ટેશનનો સમાવેશ થાય છે. રવિવારથી મેટ્રો ટ્રેનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. બદલાયેલ સમય રવિવારથી વેબસાઇટ પર અપડેટ કરવામાં આવશે. અત્યાર સુધી મેટ્રો અમદાવાદ (મોટેરા) થી ગાંધીનગર સેક્ટર-1 સુધી ચાલતી હતી.…

હિના ખાને પહેલગામ હુમલા પર લખી લાંબી પોસ્ટ, મુસ્લિમ હોવા બદલ હિન્દુઓની માફી માંગી, વાંચો શું કહ્યું

પહેલગામ આતંકવાદી હુમલા પર મુસ્લિમ તરીકે હિના ખાનનું દિલ તૂટી ગયું: હિના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને ઘણીવાર તેના ચાહકો સાથે તેના વિચારો શેર કરે છે. હિના, જે પોતે કાશ્મીરની છે, તે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી ખૂબ જ દુઃખી છે. તેમણે પોતાની પીડા શબ્દોમાં વ્યક્ત કરી છે. ચાલો તમને જણાવીએ કે તેમણે શું કહ્યું..   ટીવીની ‘અક્ષરા’ એટલે કે ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી હિના ખાન કાશ્મીરની રહેવાસી છે. 22 એપ્રિલ 2025 ના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના થોડા દિવસો પહેલા તે કાશ્મીરમાં હતી અને તેણે તેના ચાહકો સાથે કાશ્મીરની સુંદર ઝલક શેર કરી હતી. પહેલગામમાં માર્યા ગયેલા 26 નિર્દોષ લોકો માટે હિના ખાન ખૂબ જ દુઃખી છે. આ અભિનેત્રી પોતે મુસ્લિમ ધર્મની છે…