બિહારના કટિહારમાં ગંગા નદીમાં બોટ પલટી જતાં 3ના મોત, અનેક લોકો લાપતા
-> બિહારના કટિહાર જિલ્લામાં એક મોટી બોટ દુર્ઘટના સામે આવી છે.. કટિહારમાં ગંગા નદીમાં બોટ પલટી જતાં અનેક લોકો ડૂબી ગયા. બોટમાં કુલ 17 લોકો સવાર હતા જેમાંથી ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે : -> ઘણા લોકોનો કોઇ પત્તો નથી :- હજુ પણ ઘણા લોકો ગુમ હોવાના અહેવાલ છે.ચાર લોકોએ તરીને પોતાનો જીવ બચાવ્યો હતો. તમામ લોકો દક્ષિણ કરીમુલ્લાપુરના મેઘુ ઘાટથી બોટમાં સવાર થઈને ગદ્દાઈ ડાયરા જઈ રહ્યા હતા. બોટ દુર્ઘટનાની માહિતી મળતાં જ SDRF અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે. ઘટનાસ્થળે ગ્રામજનોની પણ મોટી ભીડ ઉમટી પડી છે. જે ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે તેમાં 60 વર્ષીય પવન કુમાર, 70 વર્ષીય સુધીર મંડલ અને…
મહાકુંભ પર ‘મન કી બાત’માં બોલ્યા પીએમ મોદી ‘હજારો વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં ક્યાંય પણ ભેદભાવ કે જાતિવાદ નથી’
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે હજારો વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં ક્યાંય પણ ભેદભાવ કે જાતિવાદ નથી. ભારતના દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમથી લોકો અહીં આવે છે. કુંભમાં અમીર અને ગરીબ બંને એક થાય છે. એક તરફ પ્રયાગરાજ, ઉજ્જૈન, નાસિક અને હરિદ્વારમાં કુંભનું આયોજન કરવામાં આવે છે, તેવી જ રીતે દક્ષિણ પ્રદેશમાં ગોદાવરી, કૃષ્ણા, નર્મદા અને કાવેરી નદીઓના કિનારે પુષ્કરમનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે, કુંભકોનમથી તિરુક્કડ-યુર, કૂડ-વાસલથી તિરુચેરાઈ સુધી, એવા ઘણા મંદિરો છે જેની પરંપરાઓ કુંભ સાથે જોડાયેલી છે. ‘કુંભ’, ‘પુષ્કરમ’ અને ‘ગંગા સાગર મેળો’ – આપણા આ તહેવારો એવા તહેવારો છે જે આપણા સામાજિક આદાનપ્રદાન, સંવાદિતા અને એકતાને વધારે છે. ગયા વર્ષે અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક પર…
વડોદરામાં ઠગબાજો બેફામ,નકલી પોલીસની ઓળખ આપી યુવકનું કરાયું અપહરણ
B india વડોદરા : વડોદરાનાં કપુરાઈ પોલીસે 3 નકલી પોલીસનો પર્દાફાશ કર્યો છે. નકલી પોલીસે યુવકનું અપહરણ કરી રૂપિયા 10 લાખની માંગણી કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે. જેમાં નકલી પોલીસે ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચમાંથી આવીએ છીએ તેમ કહી રૂપિયાની માગ કરી હતી. પરંતુ પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડયા છે. -> યુવકનું કરાયું હતું અપહરણ :- નકલી પોલીસે ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપી અને યુવકનું અપહરણ કર્યુ હતું. આશિક મુલ્લાનું અપહરણ કરી અમદાવાદ લાવ્યા અને ખોટા કેસ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓએ પહેલા રૂપિયા 1.45 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધા હતા. કપુરાઈ પોલીસે CCTVના આધારે આરોપીને ઝડપી પાડયા હતા. જેમાં જય મેતીયા, ચિરાગ ચાવડા, મોહમ્મદ મેમણની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ ખોટા કેસમાં તને…
હવે ટૂંક સમયમાં વંદે ભારત સ્લીપર ટ્રેન દોડશે, અમદાવાદ-મુંબઈ વચ્ચેનો ટ્રાયલ રન સફળ, અહીં જાણો ખાસિયત…
B india અમદાવાદ : અમદાવાદ-મુંબઈ વચ્ચેની વંદે ભારત સ્લીપર ટ્રેનનો ટ્રાયલ રન સફળ રહ્યો છે. હવે ટૂંક સમયમાં આધુનિક સુવિધાઓ સાથે વંદે ભારત સ્લીપર ટ્રેન દોડશે. આ ટ્રેનની ટ્રાયલ રન અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે કરવામાં આવી હતી, જેણે 6 કલાક 21 મિનિટમાં મુસાફરી પૂરી કરી હતી. ટ્રેન સરેરાશ 130 કિલોમીટર પ્રતિ કલાક અને મહત્તમ 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી હતી. બુધવારે આ ટ્રેન અમદાવાદથી સવારે 7:30 વાગ્યે ઉપડી અને બપોરે 1:50 વાગ્યે મુંબઈ પહોંચી હતી. આ ટ્રેન મુંબઈથી બપોરે 2:45 વાગ્યે ઉપડી અને રાત્રે 9 વાગ્યે અમદાવાદ પહોંચી હતી. રાજસ્થાનમાં ટ્રાયલ રન કર્યા બાદ તેનું અમદાવાદમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. શુક્રવારે, ટ્રેનને ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) માં પરત મોકલવામાં આવી હતી, જ્યાં RDSO ની સૂચનાઓ અનુસાર…
ગુજરાતમાં કડકડાતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો શું કહ્યું અંબાલાલે…….
B india ગાંધીનગર : રાજ્યમાં સતત કાતિલ ઠંડી પડી રહી છે. પરંતું હવે પવનની દિશા બદલાઈ રહી છે. જેના કારણે તાપમાન હવે ઊંચું જઈ રહ્યું છે. લોકોને ઠંડીમાંથી થોડી રાહત મળી છે. ત્યારે હવે જાન્યુઆરીના બાકી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, “20 જાન્યુઆરી સુધીમાં હવામાનમાં પલટો આવશે. ગુજરાતના ભાગોમાં ઠંડી ઘટશે. જાન્યુઆરીના અંતમાં વારંવાર પલટો આવી શકે છે. અરબી સમુદ્રના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વારંવાર પલટો આવશે. 22મીથી મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે. જેનાથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે.”માવઠા અંગેની વાત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, “27, 28, 29મી જાન્યુઆરીએ વાદળછાયું અને અમુક વિસ્તારોમાં માવઠાની શક્યતા રહેશે. તારીખ 18,19…
કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાનો મામલો, સંજય રોય દોષીત જાહેર, સોમવારે થશે સજાનું એલાન
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ફરજ પરની મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં સિયાલદહ કોર્ટે સંજય રોયને દોષી ઠેરવ્યો છે. આ દરમિયાન પીડિતાના માતા-પિતા પણ કોર્ટ પરિસરમાં હાજર હતા. સંજય રોયને સોમવારે સજા સંભળાવવામાં આવશે. -> મને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો – સંજય રોય :- આરોપી સંજયે જજને કહ્યું, “મને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે. મેં આ કર્યું નથી. જેમણે આ કર્યું છે તેમને છોડી દેવામાં આવી રહ્યા છે. એક IPS અધિકારી આમાં સામેલ છે.”મહત્વનું છે કે 9 ઓગસ્ટ 2024 ની સવારે, ઉત્તર કોલકાતાની સરકારી મેડિકલ કોલેજ આરજી કરમાં એક તાલીમાર્થી મહિલા ડૉક્ટરનો મૃતદેહ અનેક ઈજાના નિશાનો સાથે મળી આવ્યો હતો. -> આ કલમો હેઠળ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે :- કોર્ટનું…
Champions Trophy: આખરે સસ્પેન્સ પરથી પડદો ઉઠ્યો, ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમ થઈ ફાઇનલ
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમ ફાઇનલ થઈ ગઈ છે. ટીમમાં કોણ હશે અને કોણ નહીં તેનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભારતીય ક્રિકેટ ટીમમાં સિનિયર ખેલાડીઓમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહને સ્થાન મળ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમનું નેતૃત્વ લગભગ રોહિત શર્માના હાથમાં જ હશે તેમ માનવામાં આવી રહ્યું હતું અને તેવું જ થયું છે. આ સિવાય મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહના નામ અંગે જે સસ્પેન્સ હતું તેના પરથી પણ આજે પડદો ઉઠી ગયો છે. ભારતીય ટીમમાં હાર્દિક પંડ્યા, અક્ષર પટેલને સ્થાન મળ્યું છે. વનડે વર્લ્ડ કપ બાદ ટીમમાં મોહમ્મદ શમીને સ્થાન મળ્યું છે જોકે, તે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઈંગ્લેન્ડ સામેની સીરિઝમાં પણ રમતો જોવા મળશે. જોકે, સંજુ સેમનસને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. તેને વિકેટકીપર…
















