સૈફ અલી ખાનના ઘરમાં ઘુસી, હુમલો કરનાર આરોપી સુધી કઇ રીતે પહોંચી પોલીસ, જાણો ઇનસાઇડ સ્ટોરી

બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર છરી વડે હુમલો કરનાર આરોપીની મુંબઈ પોલીસે થાણે પશ્ચિમ વિસ્તારમાંથી ધરપકડ કરી છે. પોલીસે રાત્રે 2-3 કલાકે આરોપીની ધરપકડ કરી હતી. આ માટે પોલીસે 100 અધિકારીઓની ટીમ બનાવી હતી. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં આરોપીના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. પોલીસને જણાવ્યું કે તેનું નામ મોહમ્મદ સજ્જાદ છે.

-> ઘટના બાદ આરોપીએ પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો :- ગુનો કર્યા બાદ આરોપીએ તેનો ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. આ પછી તેણે પોતાનો ફોન સ્વીચ ઓન કર્યો અને કોલ કર્યો. વાતચીત પૂરી થયા બાદ તેણે ફરી પોતાનો ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. જ્યારે પણ તે બજારમાં અથવા રસ્તામાં સીસીટીવી ફૂટેજ જોતો ત્યારે આરોપી પોતાનો ચહેરો છુપાવતો હતો, પરંતુ પોલીસે તેનો ફોન ટ્રેસ કર્યો હતો. જ્યાં પણ આરોપીની હાજરી જણાઈ ત્યાં એક્ટિવ મોબાઈલ નંબરનો ડેટા એકત્ર કરવામાં આવ્યો.

-> પોલીસે ફોન નંબર ટ્રેસ કર્યો :- પોલીસે સૈફના ઘર, બાંદ્રા રેલ્વે સ્ટેશન, દાદરમાં હાજર નંબરોનો ડેટા એકત્રિત કર્યો. ત્રણેય જગ્યાએ એક મોબાઈલ નંબર એક્ટિવ જોવા મળ્યો હતો. આરોપીએ જે નંબર પર ફોન કર્યો હતો તેનો ડેટા કાઢ્યા બાદ પોલીસે તે નંબર પર કોલ કર્યો અને પછી તેમને રૂબરૂ જઇને મળી, અને તેમને આરોપીનો ફોટો બતાવ્યો. તેઓએ આરોપીની ઓળખ કરી અને કહ્યું કે તે તેમની સાથે જ મજૂર તરીકે કામ કરતો હતો.

-> સવારે 2 વાગ્યે થાણેથી ધરપકડ :- આ પછી પોલીસે આરોપીઓને પકડવા માટે અલગ-અલગ વિભાગોની 30 જેટલી ટીમો બનાવી હતી. પોલીસ ટીમે થાણે પશ્ચિમના હિરાનંદાની એસ્ટેટમાં TCS કોલ સેન્ટરની પાછળ આવેલી મેટ્રો કન્સ્ટ્રક્શન સાઇટ પર દરોડો પાડ્યો હતો. આરોપી અહીંના લેબર કેમ્પમાં છુપાયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીએ પોલીસને જણાવ્યું કે તે સૈફના ઘરમાં ચોરીના ઈરાદાથી ઘુસ્યો હતો. તેણે કહ્યું કે તેને ખબર નહોતી કે તે સૈફ અલી ખાનનું ઘર છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી 5-6 મહિના પહેલા મુંબઈ આવ્યો હતો.

Related Posts

શિક્ષણક્ષેત્રે નર્મદા જીલ્લા ની મોટી સિદ્ધી 92% બાળકો ને મળ્યો પુનઃપ્રવેશ…

શિક્ષણક્ષેત્રે નર્મદા જિલ્લાની વધુ એક મોટી સિદ્ધિ: 92% ડ્રોપઆઉટ બાળકોને શાળામાં પુનઃપ્રવેશ, રાજ્યમાં પ્રથમ શિક્ષણક્ષેત્રે નર્મદા જિલ્લામાં 4,224 ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓમાંથી 3,906 બાળકોને ફરી શાળામાં પ્રવેશ અપાયો. 92% ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને નર્મદા જિલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ બન્યો. રાજ્યના શિક્ષણ ક્ષેત્રે નર્મદા જિલ્લાએ ફરી એકવાર સમગ્ર ગુજરાતમાં ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. જિલ્લામાં શાળામાંથી ડ્રોપઆઉટ થયેલા કુલ 4,224 વિદ્યાર્થીઓમાંથી 3,906 બાળકોને ફરીથી શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો છે. આ સાથે નર્મદા જિલ્લાએ 92 ટકા ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.આ સિદ્ધિ નર્મદા જિલ્લા માટે એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે થોડા સમય પહેલાં ધોરણ-10ના પરિણામમાં પણ જિલ્લાએ સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. હવે વિદ્યાર્થીઓને ફરી શિક્ષણ વ્યવસ્થામાં જોડવાની કામગીરીમાં પણ નર્મદા જિલ્લાએ આગવું સ્થાન મેળવ્યું…

અમરેલીમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ઉજવણી જાણો સમગ્ર જાણકારી… 2026 ,

અમરેલીમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ઉજવણી: શહીદો અને વિસ્થાપિત પરિવારોને શ્રદ્ધાંજલિ, એકતા-અખંડિતતાનો સંકલ્પ  અમરેલીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ કાર્યક્રમ યોજાયો. વિભાજનના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનો સંકલ્પ લેવાયો. અમરેલીમાં 14 ઓગસ્ટ, 2026ના રોજ ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વર્ષ 1947ના ભારતના વિભાજન દરમિયાન પીડિત બનેલા લાખો નિર્દોષ લોકો અને વિસ્થાપિત પરિવારોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં દેશની એકતા, અખંડિતતા અને ભાઈચારો જાળવી રાખવાનો સંકલ્પ પણ કરવામાં આવ્યો હતો. અમરેલીમાં બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ કાર્યક્રમની શરૂઆતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ વિભાજનના પીડિતો અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *