Champions Trophy: આખરે સસ્પેન્સ પરથી પડદો ઉઠ્યો, ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમ થઈ ફાઇનલ

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમ ફાઇનલ થઈ ગઈ છે. ટીમમાં કોણ હશે અને કોણ નહીં તેનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભારતીય ક્રિકેટ ટીમમાં સિનિયર ખેલાડીઓમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહને સ્થાન મળ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમનું નેતૃત્વ લગભગ રોહિત શર્માના હાથમાં જ હશે તેમ માનવામાં આવી રહ્યું હતું અને તેવું જ થયું છે.

આ સિવાય મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહના નામ અંગે જે સસ્પેન્સ હતું તેના પરથી પણ આજે પડદો ઉઠી ગયો છે. ભારતીય ટીમમાં હાર્દિક પંડ્યા, અક્ષર પટેલને સ્થાન મળ્યું છે. વનડે વર્લ્ડ કપ બાદ ટીમમાં મોહમ્મદ શમીને સ્થાન મળ્યું છે જોકે, તે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઈંગ્લેન્ડ સામેની સીરિઝમાં પણ રમતો જોવા મળશે. જોકે, સંજુ સેમનસને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. તેને વિકેટકીપર તરીકે તક આપવાની વાત પંતના ફ્લોપ શોના કારણે સામે આવી રહી હતી, પરંતુ ટીમમાં પંત જ વિકેટકીપરની જવાબદારી સંભાળશે.

ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનમાં થઈ રહ્યું છે, પરંતુ ભારત પોતાની મેચો દુબઈમાં રમશે. પાકિસ્તાને પણ પોતાની મેચ દેશની બહાર રમવી પડશે. ભારતે ચેમ્પિન્સ ટ્રોફીની પહેલી મેચ બાંગ્લાદેશ સામે 20મી ફેબ્રુઆરીએ રમવાની છે. આ પછા ભારત 23મી ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે અને 2જી માર્ચે ન્યૂઝીલેન્ડ સામે મેચ રમવાની છે.

Related Posts

Cricket : મેદાન પર પલાંઠી વાળી કર્યો ‘ૐ નમઃ શિવાય’નો જાપ: તોફાની ઇનિંગ્સ બાદ અભિષેકનું ‘યોગિક’ સેલિબ્રેશન વાયરલ; 30 Vibrant Pose

Cricket : મેદાન પર પલાંઠી વાળી કર્યો ‘ૐ નમઃ શિવાય’નો જાપ: તોફાની ઇનિંગ્સ બાદ અભિષેકનું ‘યોગિક’ સેલિબ્રેશન વાયરલ; 30 બોલમાં સદી ફટકારી રોહિતનો રેકોર્ડ તોડ્યો  નવી દિલ્હી: ભારતીય Cricket ટીમના યુવા ઓપનર અભિષેક શર્માએ અફઘાનિસ્તાન સામેની ત્રીજી અને અંતિમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં બેટિંગનો એવો ધમાકો કર્યો કે ક્રિકેટ જગતમાં ફરી એકવાર તેમનું નામ ચર્ચામાં આવી ગયું છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં અભિષેકે માત્ર 30 બોલમાં સદી ફટકારીને ભારતીય બેટ્સમેન તરીકે ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદીનો નવો રેકોર્ડ બનાવ્યો. પરંતુ અભિષેકની ચર્ચા માત્ર તેની તોફાની બેટિંગ પૂરતી મર્યાદિત રહી નહોતી. સદી પૂરી કર્યા બાદ તેમણે મેદાન પર જ પલાંઠી વાળીને ધ્યાનની મુદ્રામાં બેસી ‘ૐ નમઃ શિવાય’નો જાપ કર્યો હતો. અભિષેકનું આ અનોખું સેલિબ્રેશન કેમેરામાં કેદ…

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ Elite Glow

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ, PM મોદીના જન્મદિવસની ઉજવણી Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદનું કાંકરિયા લેકફ્રન્ટ 1.25 લાખ દીવડાઓની રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. અમદાવાદમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાંકરિયા ખાતે યોજાયેલા ભવ્ય દીપોત્સવ સાથે સમગ્ર શહેરમાં જન્મદિવસની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. 17 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા આ કાર્યક્રમને ‘સેવા સંકલ્પ અભિયાન’ સાથે જોડવામાં આવ્યો હતો. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ દીપમાળા, ભજન સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.Ahmedabadના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે યોજાયેલો દીપોત્સવ આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. -> કાંકરિયા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *