વડોદરામાં ઠગબાજો બેફામ,નકલી પોલીસની ઓળખ આપી યુવકનું કરાયું અપહરણ

B india વડોદરા : વડોદરાનાં કપુરાઈ પોલીસે 3 નકલી પોલીસનો પર્દાફાશ કર્યો છે. નકલી પોલીસે યુવકનું અપહરણ કરી રૂપિયા 10 લાખની માંગણી કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે. જેમાં નકલી પોલીસે ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચમાંથી આવીએ છીએ તેમ કહી રૂપિયાની માગ કરી હતી. પરંતુ પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડયા છે.

-> યુવકનું કરાયું હતું અપહરણ :- નકલી પોલીસે ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપી અને યુવકનું અપહરણ કર્યુ હતું. આશિક મુલ્લાનું અપહરણ કરી અમદાવાદ લાવ્યા અને ખોટા કેસ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓએ પહેલા રૂપિયા 1.45 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધા હતા. કપુરાઈ પોલીસે CCTVના આધારે આરોપીને ઝડપી પાડયા હતા.

જેમાં જય મેતીયા, ચિરાગ ચાવડા, મોહમ્મદ મેમણની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ ખોટા કેસમાં તને ફસાવી દઈશું તેમ કહીને ધમકી આપી હતી અને રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. ઝડપાયેલ તમામ આરોપીઓની ઉંમર નાની છે અને તેઓ નકલી પોલીસ બન્યા હતા.પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે કે, અગાઉ કોઈ પાસેથી આવી રીતે રૂપિયાની માંગણી તો નથી કરીને. પોલીસે આરોપીના રિમાન્ડ પણ માંગ્યા છે. અને તમામના મોબાઈલ ફોન જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts

CRPF કેમ્પ 2026 : આસામ CRPF કેમ્પ ઘટના : આસામમાં CRPF જવાને બે સાથીદારોની હત્યા કરી પોતે કર્યો આપઘાત Shocking

આસામના CRPF કેમ્પમાં ફરજ દરમિયાન બનેલી ગંભીર ઘટનામાં એક જવાને બે સાથી જવાનો પર ગોળીબાર કર્યો. ઘટનામાં ત્રણેયના મોત થયા. તપાસ શરૂ કરવામાં આવી છે. આસામના CRPF કેમ્પમાં ગોળીબારની ગંભીર ઘટના, ત્રણ જવાનોના મોતથી સુરક્ષા દળોમાં શોક આસામમાંથી કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) સંબંધિત એક અત્યંત દુઃખદ અને ચિંતાજનક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, રાજ્યમાં આવેલા એક CRPF કેમ્પમાં ફરજ પર તૈનાત એક જવાને અચાનક પોતાના બે સાથી જવાનો પર ગોળીબાર કર્યો. આ હુમલામાં બંને જવાનોના મોત થયા હતા. ત્યારબાદ તે જવાને પોતાને પણ ગોળી મારી દીધી, જેના કારણે તેનું પણ મોત થયું. આ ઘટનાએ સમગ્ર સુરક્ષા દળોમાં શોકની લાગણી ફેલાવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, ઘટના ફરજ દરમિયાન કેમ્પની અંદર બની હતી. ગોળીબારના અવાજ…

2027 : વસ્તી ગણતરી: પહાડી વિસ્તારોમાં ૧ સપ્ટેમ્બરથી ડિજિટલ જનગણના શરૂ Grand Launch

2027 વસ્તી ગણતરીનું શેડ્યૂલ જાહેર: પહાડી વિસ્તારોથી 1 સપ્ટેમ્બરથી શરૂ થશે ડિજિટલ જનગણના  કેન્દ્ર સરકારે 2027ની વસ્તી ગણતરીનું શેડ્યૂલ જાહેર કર્યું છે. પહાડી વિસ્તારોથી 1 સપ્ટેમ્બરથી ડિજિટલ માધ્યમથી જનગણનાની કામગીરી શરૂ થશે. જાણો સંપૂર્ણ માહિતી. કેન્દ્ર સરકારે દેશભરમાં યોજાનારી 2027ની વસ્તી ગણતરી (Census 2027) માટેનું સત્તાવાર શેડ્યૂલ જાહેર કર્યું છે. આ વખતે વસ્તી ગણતરીને વધુ પારદર્શક, ઝડપી અને ટેકનોલોજી આધારિત બનાવવા માટે ડિજિટલ પદ્ધતિનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. સરકારના આયોજન મુજબ 1 સપ્ટેમ્બરથી પહાડી અને દુર્ગમ વિસ્તારોમાં વસ્તી ગણતરીની કામગીરી શરૂ થશે, જ્યારે ત્યારબાદ દેશના અન્ય રાજ્યો અને શહેરોમાં પણ તબક્કાવાર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. દેશના વિકાસ, નીતિ નિર્માણ અને સરકારી યોજનાઓના અમલીકરણ માટે વસ્તી ગણતરી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી આ વખતે ડિજિટલ માધ્યમથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *