ઓપરેશન સિંદૂરના ત્રણ નાયક: લેફ્ટનન્ટ જનરલ ઘાઈ, એર માર્શલ ભારતી અને વાઇસ એડમિરલ પ્રમોદ કોણ છે? જાણો વિગતવાર
ભારતના બહાદુર લશ્કરી અધિકારીઓએ એકવાર ફરી દેશના શત્રુઓને મક્કમ સંદેશ આપ્યો છે. હાલમાં જ ભારતીય સેનાએ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં “ઓપરેશન સિંદૂર” અંગે મહત્વપૂર્ણ ખુલાસાઓ કરવામાં આવ્યા. આ ઓપરેશનના મુખ્ય નાયક ગણાતા ત્રણ લશ્કરી અધિકારીઓએ – લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ (DGMO), વાયુસેનાના એર માર્શલ અવધેશ કુમાર ભારતી અને નૌસેનાના વાઇસ એડમિરલ એ.એન. પ્રમોદે તેમની ભૂમિકા અંગે વિસ્તૃત માહિતી આપી. DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ – ટેરર-હિટ કાશ્મીરના વિશેષજ્ઞ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ 2024ના ઓક્ટોબર માસથી DGMO તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ અગાઉ કાશ્મીરના સંવેદનશીલ ક્ષેત્ર “ચિનાર કોર્પ્સ”ના GOC રહ્યા હતા અને તેમને એલઓસી તથા આતંકવાદ વિરોધી કામગીરીમાં વિશેષ અનુભવ છે. ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના DGMO મેજર જનરલ કાશિફે યુદ્ધવિરામ માટે આધિકૃત રીતે વાતચીત કરી હતી –…
OPERATION SINDOOR: પાકિસ્તાને ભારતીય હુમલાની કરી કબૂલાત, શાહબાઝે શું કહ્યું જુઓ….
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો કડક જવાબ આપતાં ભારતે “ઓપરેશન સિંદૂર” અંતર્ગત પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલા નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલા કર્યા. ભારતીય સશસ્ત્ર દળોએ કહ્યું કે આ હુમલામાં મહત્વપૂર્ણ આતંકી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવાયું છે. ભારતીય સેના દ્વારા મળેલી માહિતી મુજબ, આ ઑપરેશનમાં કોટલી, મુઝફ્ફરાબાદ અને બહાવલપુર સહિતના વિસ્તારોમાં આતંકવાદી કેન્દ્રોને નષ્ટ કરવામાં આવ્યા. ભારતીય સેનાએ ઓપરેશનને સફળ ગણાવ્યું છે અને જણાવ્યું કે આ હુમલો આતંકવાદ પર ભારતની શૂન્ય સહનશીલતાની નીતિનો એક ભાગ છે. પાકિસ્તાની પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ભારતના હુમલાની પુષ્ટિ કરતાં તેને “યુદ્ધ સમાન પગલું” ગણાવ્યું. તેમણે કહ્યું કે પાકિસ્તાન આ હુમલાનો જવાબ આપવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે અને દેશભરના લોકો અને સશસ્ત્ર દળો સંપૂર્ણ રીતે એકજૂટ છે.…
OPERATION SINDOOR: ભારતે પાકિસ્તાનના 9 લક્ષ્યો પર મિસાઇલો છોડી કર્યો હુમલો
ભારતીય સેનાએ 6 મે 2025ની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલો કરીને ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું છે. આ કાર્યવાહી જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના 15 દિવસ બાદ કરવામાં આવી છે, જેમાં 25 ભારતીય અને એક નેપાળી નાગરિકો શહીદ થયા હતા. ભારતે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. પડોશીઓ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી છાવણીઓ પર મિસાઇલો છોડ્યા. મળતી માહિતી મુજબ, ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા છે. ભારતીય સશસ્ત્ર દળોએ આ ઓપરેશનને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપ્યું છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય દળોએ આતંકવાદી માળખાને નિશાન બનાવ્યું છે જ્યાંથી ભારત…









