ઓપરેશન સિંદૂરના ત્રણ નાયક: લેફ્ટનન્ટ જનરલ ઘાઈ, એર માર્શલ ભારતી અને વાઇસ એડમિરલ પ્રમોદ કોણ છે? જાણો વિગતવાર

ભારતના બહાદુર લશ્કરી અધિકારીઓએ એકવાર ફરી દેશના શત્રુઓને મક્કમ સંદેશ આપ્યો છે. હાલમાં જ ભારતીય સેનાએ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં “ઓપરેશન સિંદૂર” અંગે મહત્વપૂર્ણ ખુલાસાઓ કરવામાં આવ્યા. આ ઓપરેશનના મુખ્ય નાયક ગણાતા ત્રણ લશ્કરી અધિકારીઓએ – લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ (DGMO), વાયુસેનાના એર માર્શલ અવધેશ કુમાર ભારતી અને નૌસેનાના વાઇસ એડમિરલ એ.એન. પ્રમોદે તેમની ભૂમિકા અંગે વિસ્તૃત માહિતી આપી.

DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ – ટેરર-હિટ કાશ્મીરના વિશેષજ્ઞ
લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ 2024ના ઓક્ટોબર માસથી DGMO તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ અગાઉ કાશ્મીરના સંવેદનશીલ ક્ષેત્ર “ચિનાર કોર્પ્સ”ના GOC રહ્યા હતા અને તેમને એલઓસી તથા આતંકવાદ વિરોધી કામગીરીમાં વિશેષ અનુભવ છે.

ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના DGMO મેજર જનરલ કાશિફે યુદ્ધવિરામ માટે આધિકૃત રીતે વાતચીત કરી હતી – જે આ ઑપરેશનની રાજનૈતિક સફળતાનું પ્રતિબિંબ છે. લેફ્ટનન્ટ જનરલ ઘાઈએ આપેલા પ્રતિસાદથી એ સ્પષ્ટ થાય છે કે, ભારતીય સેના પાકિસ્તાનને ધાકથી નહીં પણ તાકાતથી જવાબ આપે છે.

એર માર્શલ અવધેશ કુમાર ભારતી – આકાશમાંથી પાકિસ્તાનના મકસદ ખંડિત કરનાર લીડર
એર ઓપરેશન્સના ડિરેક્ટર જનરલ તરીકે એ.કે. ભારતી 3 ઓક્ટોબર 2024થી જવાબદારી નિભાવી રહ્યા છે. તેઓ 1987માં ભારતીય વાયુસેનામાં કમિશન્ડ થયા હતા. તેઓ સુખોઈ-30 એમકે જેવી અત્યાધુનિક ફાઇટર સ્ક્વોડ્રનમાં કમાન્ડિંગ ભૂમિકામાં રહ્યા છે અને વિશિષ્ટ મિશન કોમ્બેટ લીડર તરીકે ઓળખાય છે.

ઓપરેશન સિંદૂર દરમિયાન તેમનું નેતૃત્વ પિનપોઈન્ટ એરસ્ટ્રાઇક્સ અને શસ્ત્રગારોના વિનાશ માટે અગત્યનું સાબિત થયું. તેઓના સ્ટ્રેટેજિક પ્લાન અને ઓપરેશનલ નિયંત્રણથી ભારતીય વાયુસેનાએ સમગ્ર ઓપરેશનમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો.

વાઇસ એડમિરલ એ.એન. પ્રમોદ – સમુદ્રમાર્ગે પાકિસ્તાનના ઈરાદા ડૂબાડનાર નેવી ચીફ
વાઇસ એડમિરલ પ્રમોદ 15 જાન્યુઆરી 2024થી ડિરેક્ટર જનરલ નેવલ ઓપરેશન્સ (DGNO) તરીકે કાર્યરત છે. તેઓ ભારતીય નૌસેનામાં 1990થી સેવા આપી રહ્યા છે અને ફ્લેટ ઓપરેશન્સ, કોમ્યુનિકેશન અને ઇલેક્ટ્રોનિક વોરફેરમાં નિષ્ણાત માનવામાં આવે છે.

INS અભય, શાર્દુલ અને સતપુરા જેવી નૌકાઓના કમાન્ડિંગ ઓફિસર રહી ચૂકેલા પ્રમોદે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના નૌકાદળ સામે વ્યૂહાત્મક દબાણ બનાવી રાખ્યું. તેમણે દક્ષિણ-પશ્ચિમ સમુદ્રમાં સુરક્ષા ટહૂકો તૈનાત કરીને દુશ્મનના દરિયાઈ રૂટ બંધ કર્યા.

ઓપરેશન સિંદૂર ત્રણેય દિશામાં જમીન, આકાશ અને દરિયે સમન્વયપૂર્વક કાર્યરત રહીને શત્રુને જમતો જવાબ આપવાનું ઉદાહરણ છે. લેફ્ટનન્ટ જનરલ ઘાઈ, એર માર્શલ ભારતી અને વાઇસ એડમિરલ પ્રમોદે માત્ર લશ્કરી જીત નહીં, પણ વ્યૂહાત્મક સ્તરે પણ ભારતનું વલણ સ્પષ્ટ કર્યું છે: “અમે શાંતિમાં વિશ્વાસ રાખીએ છીએ, પણ યુદ્ધમાં પછાત નથી.”

Related Posts

મુઘલો અને અંગ્રેજો કેમ ગોવા ન જીતી શક્યા? જાણો રસપ્રદ ઈતિહાસ

ભારતના ઈતિહાસમાં અનેક સામ્રાજ્યો આવ્યા અને ગયા, પરંતુ Goaનું સ્થાન હંમેશાં અનોખું રહ્યું છે. દેશના મોટા ભાગ પર શાસન કરનાર Mughal Empire અને બાદમાં British Empire હોવા છતાં ગોવા લાંબા સમય સુધી તેમની પહોંચ બહાર રહ્યું હતું.

અગમ્ય કારણે આગ લાગી, ઘરની સાથે નસીબ પણ બળીને ખાખ

કહેવુ સહેલું હોય છે કે રાખમાંથી બેઠો થાય તે માનવી અને અમે તો ફિનિક્સ પક્ષી સમાન છીએ જે રાખમાંથી પુન:ઉત્પન થાય છે. જ્યારે પ્રશ્ન ધરતી પરનાં પોતાનાં સ્વર્ગ એવા પોતાનાં ઘરનો હોય ત્યારે આ તમામ વાતો સુફિયાણી જ લાગે. જે લોકો કોઇ પણ વાંક ગુના વિના જ પોતાનું ઘર ગુમાવી દેતા હોય છે તેની મનોદશા આવી સુફિયાણી વાતોને લઇને અકલ્પનીય થઇ જાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *