સરકારના નિર્દેશ બાદ એરલાઇન્સ કંપનીઓએ પ્રયાગરાજની ફલાઇટની ટિકીટના ભાવ ઘટાડ્યા

મહાકુંભથી દરરોજ નવી અપડેટ સામે આવી રહી છે. દેશના અલગ-અલગ શહેરોથી લોકો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. આ દરમિયાન હમણાં ફ્લાઇટના ભાવ પણ આસમાને પહોંચ્યા હતા. આ તરફ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ઈન્ડિગો એરલાઈને ગુરુવારે જણાવ્યું હતું કે, પ્રયાગરાજની ફ્લાઈટનું ભાડું સ્થિર થઈ ગયું છે અને તેણે મહાકુંભ માટે આ રૂટ પર ફ્લાઈટ્સની સંખ્યા વધારીને 900 કરી દીધી છે. મુસાફરોની વધતી માંગને કારણે પ્રયાગરાજની ફ્લાઈટમાં ભાડામાં વધારાની સતત ફરિયાદો થઈ રહી છે. -> ઈન્ડિગોએ ભાડા સ્થિર રાખવાની ખાતરી આપી :- સરકારે એરલાઇન કંપનીઓને ટિકિટના ભાવ સ્થિર રાખીને આ રૂટ પર વધુ ફ્લાઇટ્સ ઓપરેટ કરવા જણાવ્યું છે. ઈન્ડિગોએ જણાવ્યું હતું કે, એરલાઈને ભાડાં સ્થિર રાખવાની પણ ખાતરી કરી છે અને તે તેના તમામ ગ્રાહકોને…