અયોધ્યા બની સુરક્ષા કિલ્લો: પીએમ મોદીના આગમન પહેલા શહેર સીલ, બ્લેક કેટ કમાન્ડો તૈનાત

અયોધ્યામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ધ્વજવંદન સમારોહ અને રોડ શોને ધ્યાનમાં રાખીને શહેરને અભૂતપૂર્વ સુરક્ષાથી ઘેરી દેવામાં આવ્યું છે. સમગ્ર વિસ્તારને સુરક્ષાનો અકલ્પનીય કિલ્લો બનાવી દેવામાં આવ્યો છે. હવા–જમીન–જળ એમ ત્રણેય માર્ગોથી સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. અયોધ્યા સીલ – પાસ વિના પ્રવેશ બંધ સોમવારથી જ અયોધ્યાની બધી સરહદો સીલ કરી દેવામાં આવી છે. પાસ વગર કોઈને પણ શહેરમાં પ્રવેશવાની મંજૂરી નથી. રામપથ તરફ જતી બધી ગલીઓ બંધ કરી દેવામાં આવી છે. રોડ શો રૂટ પર કડક સુરક્ષા મંગળવારે પીએમ મોદી સાકેત કોલેજથી રામ મંદિર સુધી રોડ શો કરશે. આ રૂટની બંને બાજુ બેરિકેડ લગાવવામાં આવ્યા છે, અને ઘરોની છતો પર સશસ્ત્ર jજવાન તૈનાત છે. ડ્રોન, CCTV અને જીઓ-ફેન્સિંગથી 360° મોનિટરિંગ – સમગ્ર એરિયામાં ડ્રોન પેટ્રોલિંગ…

SPG પરિવારો અને દરેક પાટીદાર પરિવાર દ્વારા “મિષ્ટી કપ” વોલીબોલ ટુર્નામેન્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું.

B INDIA BHARUCH : SPG ભરૂચ જિલ્લા અને SPG ભરૂચ જિલ્લા રમતગમત સમિતિ દ્વારા વિશ્વભરના SPG પરિવારો અને દરેક પાટીદાર પરિવાર દ્વારા “મિષ્ટી કપ” વોલીબોલ ટુર્નામેન્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ ઉત્સાહી અને સતર્ક, હિંમતવાન અને મૃદુભાષી, આદરણીય અને સ્વભાવે શાંત જેનું કદ એવરેસ્ટ જેટલું છે એમણે આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા બદલ ભરૂચ જિલ્લા એસપીજી પરિવાર અને દરેક ટીમના પાટીદાર ભાઈઓ, દાતાઓ, ભરૂચ જિલ્લા કારોબારી સમિતિ, ૧૦૮ ટીમ અને રમતગમત સમિતિનો આભાર માન્યો.