‘નૌકાદળ સાથે વડાપ્રધાન મોદીએ કરી દિવાળી પર્વની ઉજવવી, INS વિક્રાંત પર જાણો શું કહ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ INS વિક્રાંત પર નૌકાદળના જવાનો સાથે દિપાવલી પર્વની ઉજવણી કરી. પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ દિવાળી તેમના માટે ખાસ છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે , “દિવાળીના તહેવાર દરમિયાન, દરેકને પોતાના પરિવાર સાથે દિવાળી ઉજવવાનું મન થાય છે. મને પણ મારા પરિવારના સભ્યો સાથે દિવાળી ઉજવવાની આદત પડી છે અને તેથી, હું તમારા પરિવારના સભ્યો સાથે દિવાળી ઉજવવા જાઉં છું. હું પણ આ દિવાળી મારા પરિવારના સભ્યો સાથે ઉજવી રહ્યો છું.” વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “સમુદ્રના પાણી પર ચમકતા સૂર્યના કિરણો સૈનિકો દ્વારા પ્રગટાવવામાં આવતા દિવાળીના દીવા છે… આ આપણા દિવ્ય માળા છે. હું ભાગ્યશાળી છું કે હું નૌકાદળના કર્મચારીઓમાં દિવાળી ઉજવી રહ્યો છું. વિક્રાંત પર ઉજવવામાં આવતી દિવાળીનું શબ્દોમાં વર્ણન કરવું…







