Russia: કથિત ઉગ્રવાદના દોષિત પત્રકારો જેલમાં ધકેલાશે
રશિયામાં સ્વતંત્ર પત્રકારત્વ માટે હાલની પરિસ્થિતિ વધુ દુઃખદ બની છે. મંગળવારે રશિયન કોર્ટે ચાર જાણીતા અને નિષ્પક્ષ પત્રકારોને ‘ઉગ્રવાદ’ના આરોપમાં દોષિત ઠેરવ્યા બાદ પાંચ વર્ષ અને છ મહિનાની જેલસજા ફટકારી. આ ચારેય પત્રકારો પર રાષ્ટ્રપતિ પુતિનના વિરોધી નેતા એલેક્સી નવલનીના પ્રતિબંધિત ભ્રષ્ટાચાર વિરોધી સંગઠન સાથે સંકળાયેલા હોવાનો આરોપ મૂકાયો હતો. આરોપ શું છે? ચારેય પત્રકારો – એન્ટોનીના ફેવર્સ્કાયા, ક્રિસ્ટાન્ટિન ગેબોવ, સેર્ગેઈ કારેલિન, અને આર્ટીઓમ ક્રિગર પર એવો આરોપ છે કે તેઓ નવલનીના સંગઠન માટે કાર્ય કરી રહ્યા હતા, જે રશિયન સરકારે 2021માં “ઉગ્રવાદી સંગઠન” જાહેર કર્યું હતું. કોર્ટની કાર્યવાહી બંધ દરવાજા પાછળ થઈ હતી, જેમાં અરજદારો કે પત્રકારોને સાર્વજનિક રીતે બચાવવાનો અવસર પણ મળ્યો નહોતો. પત્રકારોએ પોતાની નિર્દોષતા જાળવી રાખી અને દલીલ કરી કે તેઓ માત્ર…
gandhinagar : વિધાનસભા ખાતે હેલ્થ ચેકઅપનું આયોજન, આગામી 18-21 માર્ચે ધારાસભ્યો, કર્મચારીઓ અને પત્રકારોનું કરાશે ચેકઅપ
ગુજરાત વિધાનસભા ખાતે એલોપેથીક-આર્યુવેદિક-હોમિયોપેથિક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે. આગામી તા.૧૮ થી ૨૧ માર્ચ, ૨૦૨૫ના રોજ રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મંત્રીઓ, ધારાસભ્યો, વિધાનસભાના અધિકારીઓ-કર્મચારીઓ અને પત્રકારો માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના માર્ગદર્શનમાં તા.૧૮ અને ૧૯ માર્ચના રોજ એલોપેથીક તેમજ તા.૨૦ અને ૨૧ માર્ચના રોજ આર્યુવેદિક-હોમિયોપેથિક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ પણ વાંચો :- Rajkot : ગોંડલમાં રાજકુમાર જાટનાં મોતનો કેસ, પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં થયો ખુલાસો એલોપેથીક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે :- જે અંતર્ગત તા.૧૮ માર્ચના રોજ મંત્રીઓ-ધારાસભ્યો માટે અને તા.૧૯ માર્ચના રોજ બાકી રહેલા મંત્રીઓ-ધારાસભ્યો, વિધાનસભાના અધિકારીઓ-કર્મચારીઓ અને પત્રકારઓ માટે એલોપેથીક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે. તેવી જ રીતે…








