કેનેડામાં ભારતીય યુવાનનું હોસ્પિટલમાં સારવાર ન મળતા મોત, એલોન મસ્કે હેલ્થ સિસ્ટમ પર કરી ટિપ્પણી
કેનેડામાં ભારતીય મૂળના 44 વર્ષના પ્રશાંત શ્રીકુમારની હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળતા મોત નીપજ્યું છે. હોસ્પિટલમાં લગભગ આઠ કલાક સુધી રાહ જોવી પડતા છાતીમાં દુખાવાની ફરિયાદ હોવા છતાં તેમને પૂરતી તબીબી સહાયતા મળી નહોતી. ઈલોન મસ્કે X (Twitter) પર કેનેડાની હેલ્થકેર સિસ્ટમની કડી ટીકા કરી છે. તેમણે જણાવ્યું કે જ્યારે સરકાર તબીબી સેવા પૂરી પાડે છે ત્યારે તે એટલી જ કાર્યક્ષમ હોવી જોઈએ જેટલી US DMV (મોટર વાહન વિભાગ) છે, જેની ઘણી વખત બિનકાર્યક્ષમતા પર લોકોએ ટિપ્પણી કરી છે. પીડિત પરિવાર અનુસાર, શ્રીકુમારને 22 ડિસેમ્બરના બપોરે આશરે 12:15 વાગ્યે ગ્રે નન્સ કોમ્યુનિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ લગભગ 12:20 થી 8:50 સુધી ટ્રાયજ એરિયામાં રોકાયા, જ્યાં તેમ છતાં સારવારના પૂરતા પગલાં લેવામાં આવ્યા નહોતા. છાતીમાં…
કેનેડામાં ભારતીયોની સુરક્ષા અંગે ઊઠ્યા સવાલો, હાઈ કમિશનર દિનેશ પટનાયકે વ્યક્ત કરી ચિંતા
કેનેડામાં ભારતીય નાગરિકોની સુરક્ષા મુદ્દે ભારતના નવા હાઈ કમિશનર દિનેશ કે. પટનાયકે ગંભીર સવાલો ઊઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે, “મને જ અહીં સુરક્ષાની જરૂર છે, તે વિચિત્ર વાત છે.” આ નિવેદન સાથે હાઈ કમિશનરે કેનેડામાં વધતી ભારતીય વિરોધી પ્રવૃત્તિઓ અને તેમાં સામેલ લોકો સામે ગુસ્સો વ્યક્ત કર્યો છે. દિનેશ પટનાયકે ખાલિસ્તાની જૂથોનું નામ લીધા વિના સંકેત આપ્યો કે કેટલીક તત્વો દ્વારા સર્જાતી અસુરક્ષા કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોને પણ અસર કરી રહી છે. તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું કે, “આ કોઈ ભારતીય સમસ્યા નથી, આ કેનેડિયન સમસ્યા છે.” દેશનિકાલના આંકડાઓ ચિંતાજનક કેનેડિયન બોર્ડર સર્વિસીસ એજન્સીના તાજેતરના ડેટા મુજબ: – 2024 માં 1,997 ભારતીયોને કેનેડામાંથી દેશનિકાલ કરવામાં આવ્યા. – જુલાઈ 2025 સુધીમાં, 1,891 ભારતીયોને દેશ છોડવાનું કહેવામાં આવ્યું…








