Ahemdabad: વધુ કે હિટ એન્ડ રનની ઘટના, કારચાલકનું શંકાસ્પદ મોત

શહેરના જુહાપુરા વિસ્તારમાં મંગળવારે સાંજના સમયે એક કારચાલકે નશાની હાલતમાં અનિયંત્રિત રીતે અનેક વાહનોને ટક્કર મારતા ભારે અરેરાટી ફેલાઈ હતી. આ ઘટનાએ તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જ્યારે સ્થાનિક લોકો દ્વારા ડ્રાઇવરનો પીછો કરીને હુમલો કરવામાં આવ્યો. આ દરમ્યાન કારચાલકનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ઘટનાની વિગત: કારચાલક વાસણા તરફથી જુહાપુરા તરફ આવી રહ્યો હતો અને રસ્તામાં અન્ય વાહનોને અડફેટ લઇ આગળ વધતો રહ્યો. માર્ગ પર ઊભેલા બાઇક, રિક્ષા અને અન્ય વાહનોને નુકસાન પહોંચાડતા લોકો ભડકી ઉઠ્યા. ચાલક નશાની હાલતમાં હતો એવું શરુઆતી અહેવાલોમાં જણાઈ આવ્યું છે. પાછળથી સ્થાનિક વાહન ચાલકો અને રાહદારોએ તેને પકડી પાડી. ડ્રાઈવર પોતાને બચાવવા માટે જુહાપુરાની સંકડી ગલીઓમાં ઘૂસી ગયો, જ્યાં લોકોનો ગુસ્સો વધુ ઉગ્ર બન્યો. લોકોના હિંસક…

વડોદરામાં રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, ટ્રેનમાં ઉંઘતી મહિલાઓના સામાનની ચોરી કરનાર ઝડપાયો

વડોદરામાં રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ટ્રેનમાં ઉંઘતી મહિલાઓના સામાનની ચોરી કરનાર ચોર મુદ્દામાલ સાથે ઝડપાયો છે.આ મામલે વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપી મધ્યપ્રદેશથી વડોદરા ચોરી કરવા આવતો હતો. અને સમગ્ર ઘટનામાં પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી છે. રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચે આરોપી વિકાસને પકડયો:- આરોપીની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી અલગ-અલગ ટ્રેનોમાં રાત્રીના સમયે ઘુસી જતો અને મહિલાના સામાનને ટાર્ગેટ કરતો હતો ત્યારે આરોપી પાસેથી 438 ગ્રામ સોના-ચાંદીના દાગીના મળી આવ્યો છે. સુરત રેલવે પોલીસે કુલ અલગ-અલગ 4 ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને મધ્યપ્રદેશ,રાજસ્થાન,મહારાષ્ટ્રમાં પણ આરોપી સામે ગુના નોંધાયા છે. પોલીસ રિમાન્ડ માંગી આરોપીની વધુ તપાસ કરી શકે…

સૈફ પર હુમલો કેસ: મુંબઈ પોલીસ આરોપી શરીફુલ સાથે અભિનેતાના ઘરે પહોંચી, ક્રાઈમ સીન ફરીથી બનાવ્યો

મુંબઈ પોલીસે સૈફ અલી ખાન પર થયેલા હુમલાની તપાસ તેજ કરી દીધી છે. મંગળવારે (21 જાન્યુઆરી) ના રોજ, મુંબઈ પોલીસ આરોપી મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહઝાદને લઈને સૈફના ઘરે પહોંચી. અહીં 16 જાન્યુઆરીની રાત્રે બનેલી ઘટનાનું દ્રશ્ય ફરીથી બનાવવામાં આવ્યું હતું. પોલીસે દરેક પાસાની બારીકાઈથી તપાસ કરી. આ પ્રક્રિયા લગભગ એક કલાક ચાલી. ઘટના સ્થળે જઈને પોલીસે ઘટના કેવી રીતે બની તે સમજવાનો પ્રયાસ કર્યો. આ પછી પોલીસ આરોપીને લઈને સૈફના ઘરેથી પાછી ફરી. -> પોલીસ તેમને બસ સ્ટોપ અને રેલ્વે સ્ટેશન પણ લઈ ગઈ :- મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું હતું કે સૈફના ઘર પછી, આરોપીને બાંદ્રા રેલ્વે સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. પોલીસ આરોપીને બસ સ્ટોપ પર પણ લઈ ગઈ જ્યાંથી તે ઘટના પછી…

સંધ્યા થિયેટર અકસ્માત: અલ્લુ અર્જુન હોસ્પિટલમાં જીવન-મરણની લડાઈ લડી રહેલા બાળકને મળવા કેમ ન ગયો?

4 ડિસેમ્બરે હૈદરાબાદના એક થિયેટરમાં ‘પુષ્પા 2’ના પ્રીમિયર દરમિયાન નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું અને તેનું 8 વર્ષનું બાળક ગંભીર રીતે ઘાયલ થયું હતું. સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યો હતો કારણ કે તે કોઈ પણ જાણકારી વગર થિયેટર સુધી પહોંચી ગયો હતો, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી.ઈજાગ્રસ્ત બાળક હાલમાં વેન્ટિલેટર પર હોસ્પિટલમાં દાખલ છે અને જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ લડી રહ્યો છે. જેને લઈને અલ્લુ અર્જુને ચિંતા વ્યક્ત કરી છે. તેણે કહ્યું છે કે તેને હોસ્પિટલમાં બાળકને મળવાની મનાઈ ફરમાવવામાં આવી છે પરંતુ તે પરિવારને તમામ શક્ય મદદ કરશે.   અલ્લુ અર્જુને ચિંતા વ્યક્ત કરી:- તમને જણાવી દઈએ કે, અલ્લુ અર્જુનની 13 ડિસેમ્બરે સંધ્યા થિયેટરમાં નાસભાગ અને એક મહિલાના…