Ahemdabad: વધુ કે હિટ એન્ડ રનની ઘટના, કારચાલકનું શંકાસ્પદ મોત

શહેરના જુહાપુરા વિસ્તારમાં મંગળવારે સાંજના સમયે એક કારચાલકે નશાની હાલતમાં અનિયંત્રિત રીતે અનેક વાહનોને ટક્કર મારતા ભારે અરેરાટી ફેલાઈ હતી. આ ઘટનાએ તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જ્યારે સ્થાનિક લોકો દ્વારા ડ્રાઇવરનો પીછો કરીને હુમલો કરવામાં આવ્યો. આ દરમ્યાન કારચાલકનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

ઘટનાની વિગત:
કારચાલક વાસણા તરફથી જુહાપુરા તરફ આવી રહ્યો હતો અને રસ્તામાં અન્ય વાહનોને અડફેટ લઇ આગળ વધતો રહ્યો. માર્ગ પર ઊભેલા બાઇક, રિક્ષા અને અન્ય વાહનોને નુકસાન પહોંચાડતા લોકો ભડકી ઉઠ્યા. ચાલક નશાની હાલતમાં હતો એવું શરુઆતી અહેવાલોમાં જણાઈ આવ્યું છે. પાછળથી સ્થાનિક વાહન ચાલકો અને રાહદારોએ તેને પકડી પાડી. ડ્રાઈવર પોતાને બચાવવા માટે જુહાપુરાની સંકડી ગલીઓમાં ઘૂસી ગયો, જ્યાં લોકોનો ગુસ્સો વધુ ઉગ્ર બન્યો. લોકોના હિંસક પ્રહારોના કારણે ડ્રાઇવરના મોત થયું હોવાનો અનુમાન છે.

પોલીસ તપાસ ચાલુ
ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે. ડ્રાઇવરના મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ માટે મરદેહને મોકલવામાં આવ્યો છે. પોલીસએ હાલમાં ઘટનાને લઇ પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને આસપાસના CCTV ફૂટેજ એકત્ર કરવાની કાર્યવાહી ચાલુ છે.

Related Posts

‘મન કી બાત’ની ૧૩૫મી કડી: વડાપ્રધાન મોદીએ આજે દેશને આપ્યો વિકાસનો મંત્ર!

‘મન કી બાત’ની ૧૩૫મી કડી: રાષ્ટ્રના નવનિર્માણ અને જનભાગીદારીનું પર્વ! આજે ૨૮ જૂન, ૨૦૨૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ની ૧૩૫મી આવૃત્તિ દ્વારા દેશવાસીઓને સંબોધિત…

આત્મનિર્ભર ગુજરાત તરફ વધુ એક ડગલું! અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’નું ભવ્ય લોન્ચિંગ.

ગુજરાતમાં પરિવહન ક્ષેત્રે ક્રાંતિ: અમિત શાહે લોન્ચ કરી ‘ભારત ટેક્સી’ સેવા, ડ્રાઇવરો બનશે માલિક! અમદાવાદ: ગુજરાતના પરિવહન અને રોજગાર ક્ષેત્રે એક ઐતિહાસિક પહેલની શરૂઆત થઈ છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *