27 વર્ષ પછી દિલ્હીમાં ફરીએકવાર લહેરાયો ભગવો, દિલ્હીની જનતાએ AAPની સરકારને આપી વિદાય
દિલ્હી વિધાનસભા ચૂંટણીના વલણોમાં, ભાજપ 27 વર્ષ પછી સત્તામાં પાછી ફરી રહી હોય તેવું લાગે છે. મતગણતરીના 3 કલાક પછી 70 બેઠકોમાંથી, ભાજપ 42 બેઠકો પર અને આમ આદમી પાર્ટી (AAP) 28 બેઠકો પર આગળ છે.આ પહેલા 1993માં ભાજપે દિલ્હીમાં સરકાર બનાવી હતી. તે સમયે ભાજપે 5 વર્ષમાં 3 મુખ્યમંત્રી બનાવ્યા હતા.દરમિયાન, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ચૂંટણીમાં AAPના પ્રદર્શન પર કટાક્ષ કર્યો. તેમણે પોસ્ટમાં લખ્યું- હજુ લડો અંદરો-અંદર… કેજરીવાલ નવી દિલ્હી સીટ પરથી પાછળ ચાલી રહ્યા છે.. તો સીએમ આતિશી પણ પાછળ ચાલી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસનો ફરીએકવાર દિલ્હીમાં ભારે રકાસ થયો છે.. કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષિતના પુત્ર સંદિપ દિક્ષિતે કહ્યું હતું કે અમે મુદ્દા ઉઠાવ્યા પરંતુ જનતાએ અમારા પર…
ભાજપના પ્રવેશ વર્માએ અરવિંદ કેજરીવાલને હરાવ્યા, મનિષ સિસોદીયા પણ હાર્યા
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. એક તરફ, AAP કારમી હાર તરફ આગળ વધી રહી છે. બીજી તરફ, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ તેમને હરાવ્યા. જ્યારે કોંગ્રેસના સંદીપ દીક્ષિત ત્રીજા સ્થાને રહ્યા. અરવિંદ કેજરીવાલને 11મા રાઉન્ડનું કાઉન્ટિંગ પુરુ થયા પછી કુલ 22057 મત મળ્યા. જ્યારે પ્રવેશ વર્માને 25 હજારથી વધુ મત મળ્યા. નવી દિલ્હી વિધાનસભા ક્ષેત્રમાં કુલ 13 રાઉન્ડનું કાઉન્ટિંગ થશે. કોંગ્રેસના ઉમેદવાર સંદિપ દિક્ષિતને માત્ર 3873 મત મળ્યા. કાઉન્ટિંગની શરૂઆતથી જ, અરવિંદ કેજરીવાલ પ્રવેશ વર્માથી પાછળ હતા. -> ભાજપ 47 બેઠકો પર આગળ છે :- તમને જણાવી દઈએ કે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી ચાલી…
હાર પર કેજરીવાલનીપ્રતિક્રિયા ‘ હવે રચનાત્મક વિપક્ષની ભૂમિકા ભજવવા સાથે સમાજની સેવા કરીશું’
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પર AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે જનતાએ જે પણ નિર્ણય લીધો છે, તેને અમે સ્વીકારીએ છીએ. હું ભાજપને આ જીત બદલ અભિનંદન આપું છું. જનતાએ તેમને જે બહુમતી આપી છે તે અપેક્ષાઓ પર તેઓ ખરા ઉતરશે. -> અમે સત્તા માટે રાજકારણમાં નથી આવ્યા – અરવિંદ કેજરીવાલ :- અરવિંદ કેજરીવાલે કહ્યું, “લોકોએ છેલ્લા 10 વર્ષમાં અમને તક આપી. અમે ઘણું કામ કર્યું. અમે શિક્ષણ, આરોગ્ય, પાણી, વીજળી અને અન્ય ઘણી રીતે લોકોને રાહત આપવાનો પ્રયાસ કર્યો. અમે દિલ્હીના માળખાગત સુવિધાઓને સુધારવાનો પ્રયાસ કર્યો. હવે, લોકોએ અમને જે નિર્ણય આપ્યો છે, અમે ફક્ત રચનાત્મક વિપક્ષની ભૂમિકા જ નહીં ભજવીશું પણ અમે સમાજ સેવા પણ કરીશું, લોકોના સુખ-દુઃખમાં મદદ કરીશું, અને વ્યક્તિગત રીતે,…
દિલ્હીમાં જો ભાજપનો વિજય થયો તો મુખ્યમંત્રી પદના દાવેદાર કોણ ?
દિલ્હી ચૂંટણીમાં મતદાન ભલે પૂરું થઈ ગયું હોય, પરંતુ ચર્ચા હવે ચૂંટણી પરિણામો પર છે. દિલ્હીમાં પરિણામ ૮મી તારીખે જાહેર કરવામાં આવશે. ભાજપ છેલ્લા 28 વર્ષથી દિલ્હીમાં સત્તાની બહાર છે. છેલ્લી વખત ભાજપના મુખ્યમંત્રી સુષ્મા સ્વરાજ હતા. પરંતુ જો ભાજપ આ વખતે જીતે છે, તો દિલ્હીમાં મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે તેની ચર્ચા આજકાલ ખૂબ થઈ રહી છે. ચાલો તમને એ ત્રણ ચહેરાઓ વિશે જણાવીએ જેમને ભાજપ જીતે તો મુખ્યમંત્રી બનાવી શકે છે. મનોજ તિવારીને મળી શકે છે કમાન જો આ વખતે દિલ્હીમાં ભાજપ ચૂંટણી જીતે છે, તો મનોજ તિવારીનું નામ સૌથી વધુ ચર્ચામાં આવશે. મનોજ તિવારીને પૂર્વાંચલનો એક મોટો ચહેરો માનવામાં આવે છે. તેમણે દિલ્હી રાજ્યની જવાબદારી પણ સંભાળી છે અને બે વખત સાંસદ પણ…
ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના પ્રમુખે કહ્યું મેં જીવનમાં પ્રથમવાર ભાજપને મત આપ્યો છે
દિલ્હી વિધાનસભા ચૂંટણી બુધવારે સમાપ્ત થઈ, હવે મતગણતરી 8 ફેબ્રુઆરી, શનિવારના રોજ થશે. આ દરમિયાન, ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશન (AIIA) ના પ્રમુખ સાજિદ રશીદીએ ખૂબ જ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેમના જીવનમાં પહેલીવાર તેમણે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મતદાન કર્યું છે. મુસ્લિમોએ પણ મોટા પાયે ભાજપને ટેકો આપવાનું શરૂ કર્યું. ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં લખ્યું હતું કે, ‘ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના સાજિદ રશીદી કહે છે કે તેમણે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મત આપ્યો હતો. આ કોઈ એકલો કિસ્સો નથી, અને જો મુસ્લિમો પણ મોટી સંખ્યામાં ભાજપને ટેકો આપવાનું શરૂ કરે તો કહેવાતા ‘ધર્મનિરપેક્ષ’ પક્ષોએ ચિંતા કરવી જોઈએ. શું દિલ્હીના મુસ્લિમો ગુસ્સે…
ચૂંટણી માટેની શાહી કેમ સરળતાથી ભૂંસી શકાતી નથી, ક્યાંથી સપ્લાય થાય છે આ શાહી
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે મતદાન આજે સવારે 7 વાગ્યે શરૂ થયું છે. દિલ્હીની તમામ 70 બેઠકો પર 1.56 કરોડ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે મતદાન મથક પર હાજર ચૂંટણી અધિકારીઓ મતદાન કર્યા પછી આંગળીઓ પર જે શાહી લગાવે છે તેમાં કયું રસાયણ હોય છે? આજે અમે તમને તેના વિશે જણાવીશું. ચૂંટણી શાહીનો ઉપયોગ શા માટે થાય છે? દેશની તમામ વિધાનસભા અને લોકસભા ચૂંટણીઓમાં મતદાન કર્યા પછી, ચૂંટણી અધિકારીઓ ડાબી આંગળીઓ પર શાહી લગાવે છે. શાહી લગાવવાથી ખાતરી થાય છે કે વ્યક્તિએ પોતાનો મત આપ્યો છે. આની બીજી બાજુ એ છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના મતદાનના અધિકારનો બે વાર ઉપયોગ કરી શકતો નથી. કારણ કે ચૂંટણી પંચ…
દિલ્હીના સીએમ આતિશી સામે કેસ નોંધાયો, આચાર સંહિતા ઉલ્લંઘન, પોલીસ સાથે ગેરવર્તન સહિતના આરોપ
ગઈકાલે રાત્રે ગોવિંદપુરીમાં થયેલા હંગામા અંગે દિલ્હી પોલીસે સીએમ આતિશી વિરુદ્ધ કેસ નોંધ્યો છે. ગોવિંદપુરી પોલીસે સીએમ આતિશી વિરુદ્ધ બીએનએસની કલમ ૧૮૮ હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે આતિશી પર ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે.દિલ્હી પોલીસે આતિશીના સમર્થકો સામે બીજો એક કેસ પણ નોંધ્યો છે. પોલીસે આરોપ લગાવ્યો છે કે તેમણે ફરજ પર તૈનાત પોલીસકર્મીઓ સાથે ગેરવર્તન કર્યું. ચૂંટણી પંચના સભ્ય બનીને તેમણે રમેશ બિધુરીના ભત્રીજાનો રસ્તો રોકી દીધો. -> રાજીવ કુમાર ચૂંટણી પ્રક્રિયાના કેટલા લીરા ઉડાવશો: આતિશી :- દિલ્હી પોલીસે તેમના વિરુદ્ધ કેસ દાખલ કર્યા પછી, સીએમ આતિશીએ એક X પોસ્ટમાં કહ્યું, “ચૂંટણી પંચ પણ અદ્ભુત છે. ભાજપના ઉમેદવાર રમેશ બિધુરીના પરિવારના સભ્યો ખુલ્લેઆમ આચારસંહિતાનું ઉલ્લંઘન કરી રહ્યા છે, પરંતુ તેમની સામે કોઈ કાર્યવાહી…
કેજરીવાલે ચૂંટણી પંચને લખ્યો પત્ર, નવી દિલ્હી બેઠક માટે સ્વતંત્ર નિરીક્ષકની નિમણૂક કરવાની માંગ કરી
આમ આદમી પાર્ટી (AAP) ના વડા અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા તેમના પક્ષના કાર્યકરો પર હુમલાનો આરોપ લગાવ્યો છે અનેચૂંટણી પંચને નવી દિલ્હી બેઠક માટે સ્વતંત્ર નિરીક્ષકની નિમણૂક કરવાની માંગ કરી છે. કમિશનને લખેલા પત્રમાં, કેજરીવાલે આવા કેસોમાં કથિત રીતે સંડોવાયેલા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના કાર્યકરોની ધરપકડ કરવા અને સંબંધિત પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી છે. કેજરીવાલના દાવાઓ પર ભાજપ અને દિલ્હી પોલીસ તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આવી નથી.પત્રમાં પૂર્વ મુખ્યમંત્રીએ દિલ્હી બેઠક પ AAP કાર્યકરો પર કથિત હુમલાની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. શનિવારે રોહિણી વિસ્તારમાં એક જાહેર સભા દરમિયાન AAP ધારાસભ્ય મોહિન્દર ગોયલ પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે રિઠાલા વિધાનસભા મતવિસ્તારના આપ ઉમેદવાર ગોયલ…
દિલ્હીમાં અમારી સરકાર બન્યા બાદ તાલકટોરા સ્ટેડિયમનું નામ બદલી નાંખીશું: પ્રવેશ વર્મા
દિલ્હીમાં ભાજપની જીત બાદ, તાલકટોરા સ્ટેડિયમનું નામ બદલવામાં આવશે. નવી દિલ્હી બેઠક પરથી ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ આ જાહેરાત કરી છે. તેમણે દાવો કર્યો છે કે 8 ફેબ્રુઆરીએ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે.ભાજપના ઉમેદવાર પ્રવેશ સાહિબ સિંહ વર્માએ કહ્યું કે 8 ફેબ્રુઆરીએ દિલ્હીમાં અમારી સરકાર બનશે. તે પછી, નવી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (NDMC) ની પહેલી બેઠકમાં, અમે તાલકટોરા સ્ટેડિયમનું નામ બદલીશું. તાલકટોરા સ્ટેડિયમનું નામ મહર્ષિ વાલ્મીકિના નામ પરથી રાખવામાં આવશે. -> ભગવાન મહર્ષિ વાલ્મીકિના નામથી રાખવામાં આવશે સ્ટેડિયમનું નામ :- પ્રવેશ શર્માએ કહ્યું, “નવી દિલ્હીમાં એક મોટું સ્ટેડિયમ છે – તાલકટોરા. મુઘલ કાળ દરમિયાન, ત્યાં એક મોટો સ્વિમિંગ પૂલ હતો જે બાઉલના આકારનો હતો. તેથી જ તેને તાલકટોરા કહેવામાં આવતું હતું. આજે હું એક મોટી…
મને દિલ્હીની સેવા કરવાનો મોકો આપો, ખાતરી આપુ છું કે વિકાસમાં કોઇ કસર નહીં છોડુઃ વડાપ્રધાન મોદી
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ને ધ્યાનમાં રાખીને તમામ પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના દ્વારકામાં એક રેલીને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ રેલીમાં કહ્યું કે દિલ્હીની જનતાએ નક્કી કરી લીધું છે કે તેમણે AAP-DAના લોકોને ભગાડવાના છે અને આ વખતે તેમને પ્રચંડ બહુમતી સાથે ભાજપની સરકાર બનાવવી છે. તેમણે કહ્યું કે દિલ્હીને સંકલનવાળી સરકારની જરૂર છે, ભ્રમણાની નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલીમાં કહ્યું હતું કે, હું જ્યારે પણ દ્વારકા આવું છું ત્યારે ભગવાન કૃષ્ણની દ્વારકા નગરી યાદ આવે તે સ્વાભાવિક છે. હું ભાગ્યશાળી છું કે મને ગુજરાતમાં દ્વારકાની સેવા કરવાની તક મળી. ભાજપ દિલ્હીને કેટલી હદે આધુનિક બનાવવા માંગે છે તે દ્વારકામાં જોઈ શકાય છે. કેન્દ્ર સરકારે અહીં ભવ્ય યશોભૂમિનું નિર્માણ કર્યું…
















