27 વર્ષ પછી દિલ્હીમાં ફરીએકવાર લહેરાયો ભગવો, દિલ્હીની જનતાએ AAPની સરકારને આપી વિદાય

દિલ્હી વિધાનસભા ચૂંટણીના વલણોમાં, ભાજપ 27 વર્ષ પછી સત્તામાં પાછી ફરી રહી હોય તેવું લાગે છે. મતગણતરીના 3 કલાક પછી 70 બેઠકોમાંથી, ભાજપ 42 બેઠકો પર અને આમ આદમી પાર્ટી (AAP) 28 બેઠકો પર આગળ છે.આ પહેલા 1993માં ભાજપે દિલ્હીમાં સરકાર બનાવી હતી. તે સમયે ભાજપે 5 વર્ષમાં 3 મુખ્યમંત્રી બનાવ્યા હતા.દરમિયાન, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ચૂંટણીમાં AAPના પ્રદર્શન પર કટાક્ષ કર્યો. તેમણે પોસ્ટમાં લખ્યું- હજુ લડો અંદરો-અંદર…

કેજરીવાલ નવી દિલ્હી સીટ પરથી પાછળ ચાલી રહ્યા છે.. તો સીએમ આતિશી પણ પાછળ ચાલી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસનો ફરીએકવાર દિલ્હીમાં ભારે રકાસ થયો છે.. કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષિતના પુત્ર સંદિપ દિક્ષિતે કહ્યું હતું કે અમે મુદ્દા ઉઠાવ્યા પરંતુ જનતાએ અમારા પર પસંદગી નથી ઉતારી, અમે જનતાનો ફેંસલો સ્વીકાર કરીએ છીએભાજપના નેતા સુંધાશું ત્રિવેદીએ કહ્યું કે લોકોએ પીએમ મોદીની ગેરંટીમાં ભરોસો વ્યક્ત કર્યો છે..

તો આ તરફ શિવસેના( યૂબીટી)ના નેતા સંજય રાઉતે કહ્યું કે જો આપ અને કોંગ્રેસ સાથે મળીને લડ્યા હોત તો પરિણામ કંઇક અલગ હોત કેજરીવાલ સતત ત્રણ વાર દિલ્હીમાં મુખ્યમંત્રી રહ્યા, ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા બાદ તેઓ 4વર્ષ 7 મહિના અને 6 દિવસ સુધી મુખ્યમંત્રી રહ્યા , દારુ કૌભાંડમાં જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલે રાજીનામું આપી દઇ આતિશીને મુખ્યમંત્રી બનાવ્યા હતા.

Related Posts

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાત પ્રવાસે: ૨૭-૨૮ જૂને અમદાવાદ-ગાંધીનગરમાં કાર્યક્રમોનો ધમધમાટ.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાત પ્રવાસે: અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ અમદાવાદ/ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આગામી ૨૭ અને ૨૮ જૂનના રોજ બે…

અમદાવાદ એરપોર્ટ પર ‘મોટી ચૂક’: એર ઇન્ડિયાના વિમાને ટેક્સીવે પર લીધો ખોટો માર્ગ!

અમદાવાદ એરપોર્ટ પર ‘મોટી ચૂક’: એર ઇન્ડિયાના વિમાનનો ખોટો રસ્તો, હવામાં હોનારત ટળી! અમદાવાદ: ગુજરાતના સૌથી વ્યસ્ત ગણાતા સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક એવી ઘટના સામે આવી છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *