કેજરીવાલ પણ વડાપ્રધાન મોદીની જેમ જુઠ્ઠુ બોલે છે, પણ વડાપ્રધાન કરતા વધારે ચાલાક છેઃ રાહુલ ગાંધી
બાદલી વિધાનસભા ક્ષેત્રમાં એક રેલીને સંબોધતા કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, “કેજરીવાલ જી, 5 વર્ષ પહેલા યમુનાનું પાણી પીવાની વાત કરી રહ્યા હતા, આજે કોઈએ મને કહ્યું કે તેઓ યમુનાનું પાણી બોટલમાં લઇ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. આ ખોખલાપણું છે. -> અરવિંદ કેજરીવાલ પીએમ મોદી કરતા વધારે જુઠ્ઠુ બોલે છે: રાહુલ ગાંધી :- કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પીએમ મોદી અને અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું- કેજરીવાલ જૂઠું બોલતા રહે છે, જેમ પીએમ મોદી જૂઠું બોલે છે, કેજરીવાલ પણ એ જ રીતે જૂઠું બોલે છે, તેમની વચ્ચે બહુ ફરક નથી. રાહુલ ગાંધીએ કહ્યું- “કેજરીવાલ પીએમ મોદી કરતા વધુ સ્માર્ટ છે. -> “અરવિંદ કેજરીવાલ પીએમ મોદીની જેમ દલિત વિરોધી…
દિલ્હીમાં રાહુલ ગાંધીની જનસભા, કેજરીવાલ અને ભાજપ પર સાધ્યું નિશાન
દિલ્હી ચૂંટણી પ્રચારના ભાગ રૂપે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે બવાનામાં એક જાહેર સભાને સંબોધવા પહોંચ્યા. રાહુલ ગાંધીના નિશાના પર ભાજપની સાથે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પણ હતા. રાહુલે બંને પર પ્રહારો કરતા કહ્યું કે અહીં પાણીની સમસ્યા છે. પીવાનું પાણી ઉપલબ્ધ નથી. ગંદુ પાણી ઉપલબ્ધ છે. મોંઘા ભાવે પાણી ખરીદવું પડે છે. -> કેજરીવાલે કહ્યું મોદીજી અને આરએસએસે નફરત ફેલાવવાનું કામ કર્યું છે :- તેઓ જ્યાં પણ જાય છે, તેઓ ધર્મને ધર્મની વિરુદ્ધ અને જાતિને જાતિની વિરુદ્ધ લડાવે છે. તેઓ એક ભાષાને બીજી ભાષા સાથે લડાવે છે. તેઓ તમારા પૈસા અંબાણી અને અદાણી જેવા અબજોપતિઓને આપે છે. મોદી સરકારે પચીસ અબજોપતિઓના ૧૬ લાખ કરોડ રૂપિયાના દેવા માફ કર્યા. નોટબંધી અને જીએસટીના કારણે નાની…
વધુ એક નેતાએ આમ આદમી પાર્ટીને સમર્થન જાહેર કર્યુ, AAPને વોટ આપવા કરી લોકોને અપીલ
આસામની પાર્ટી ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના વડા બદરુદ્દીન અજમલે સોમવારે દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને એક મોટી અપીલ કરી છે. બદરુદ્દીન અજમલે ધર્મનિરપેક્ષ લોકોને આમ આદમી પાર્ટીને જીત અપાવવા અપીલ કરી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે દેશમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. બદરુદ્દીન અજમલે કહ્યું, “હું દિલ્હીના તમામ ધર્મનિરપેક્ષ મતદારોને વિનંતી કરું છું કે કૃપા કરીને તમારા ધર્મનિરપેક્ષ મતોને વિભાજીત ન કરો કારણ કે દેશની પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે અને પહેલાથી જ ખરાબ થઈ ગઈ છે. તેથી તમારા ધર્મનિરપેક્ષ મતોને વિભાજીત ન કરો, અને આમ આદમી પાર્ટીને મોટી સંખ્યામાં મત આપો. -> લોકોએ અરવિંદ કેજરીવાલના કામની ખૂબ પ્રશંસા કરી છે – અજમલ :- તેમણે વધુમાં કહ્યું, “અરવિંદ કેજરીવાલને ફરીથી સરકાર…
22થી24 જાન્યુઆરી દરમ્યાન રાહુલ ગાંધી દિલ્હીમાં 3 સભાઓ સંબોધશે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 22 થી 24 જાન્યુઆરી દરમિયાન દિલ્હીના વિવિધ વિધાનસભા મતવિસ્તારોમાં રેલીઓ કરશે. મંગળવારે રાજ્ય કાર્યાલય ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં, પૂર્વ મંત્રી ડૉ. નરેન્દ્ર નાથે જણાવ્યું હતું કે તેઓ 22મીએ ઇન્દ્રલોક મેટ્રો સ્ટેશન, 23મીએ મુસ્તફાબાદ અને 24મી જાન્યુઆરીએ માદીપુર ખાતે જાહેર સભાઓને સંબોધિત કરશે. પાર્ટીનું માનવું છે કે રાહુલની હાજરી પાર્ટીના ઉમેદવારોને મજબૂત તો બનાવશે જ સાથે-સાથે કોંગ્રેસની વિચારધારા અને યોજનાઓને જનતા વચ્ચે મજબૂત રીતે રજૂ કરવામાં પણ મદદ કરશે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પરંપરાગત રીતે પોતાના ઉમેદવારો ઉભા રાખતી શિવસેના આ ચૂંટણીમાં પોતાના સાથી પક્ષ ભાજપને ટેકો આપશે. પાર્ટીએ મંગળવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને લખેલો સમર્થન પત્ર તેના નેતા એકનાથ શિંદે દ્વારા દિલ્હી ભાજપના વડા વીરેન્દ્ર સચદેવાને સોંપ્યો. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, “શિવસેનાએ…
સરકાર બનાવીશું તો ધોબી સમુદાય પાસેથી વીજળીના કોમર્શિયલ નહીં, ઘરેલું દર લેવાશેઃ કેજરીવાલ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મંગળવારે દિલ્હીમાં ધોબી સમુદાયના વિકાસ માટે અનેક ગેરંટી આપી. તેમણે કહ્યું કે AAPના રાષ્ટ્રીય સંયોજક અને પાર્ટીના CM ઉમેદવાર તરીકે, હું ધોબી સમુદાયની પડતર માંગણીઓ સ્વીકારું છું અને જાહેર કરું છું કે જો દિલ્હીમાં અમારી સરકાર બનશે, તો અમે ધોબી સમુદાય કલ્યાણ બોર્ડની રચના કરીશું. -> પ્રેસ યાર્ડને નિયમિત કરવાની પ્રક્રિયા ફરી શરૂ થશે:કેજરીવાલ :- ધોબી સમુદાયના લોકો બોર્ડને તેમની સમસ્યાઓ અને સૂચનો આપી શકશે. આ ઉપરાંત, અમારી સરકાર ધોબી સમુદાયના પ્રેસ યાર્ડને નિયમિત કરશે અને લાઇસન્સિંગ પ્રક્રિયા ફરી શરૂ કરશે. વીજળી અને પાણીના ચાર્જ તેમની પાસેથી ઘરેલુ ચાર્જ તરીકે લેવામાં આવશે, કોમર્શિયલ ચાર્જ તરીકે નહીં. તેમના બાળકો માટે સારું શિક્ષણ અને શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરવામાં આવશે અને યુવાનોને કૌશલ્ય…
કેજરીવાલનું મોટુ એલાન, ચૂંટણી પછી ભાડૂઆતોને પણ આપીશું મફત વીજળી અને પાણીની સુવિધા
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે વધુ એક મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે અમે દિલ્હીમાં વીજળી અને પાણી મફત કરી દીધું છે. દુઃખની વાત છે કે ભાડૂઆતો આનો લાભ લઈ શકતા નથી. આના ઘણા કારણો હોઈ શકે છે. મારું માનવું છે કે ભાડૂઆતોને પણ આનો લાભ મળવો જોઈએ.તેમણે કહ્યું, “દિલ્હી વિધાનસભા ચૂંટણી પછી, અમે એક યોજના લઈને આવીશું જેના હેઠળ ભાડૂઆતોને પણ મફત વીજળી અને પાણીનો લાભ મળશે. -> ભાડૂઆતોને મફત વીજળી અને પાણી યોજનાનો લાભ મળશે :- મફત વીજળી અને પાણીના મુદ્દા પર અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીવાસીઓને 200 યુનિટથી મફત વીજળી મળે છે. ૨૦૦ થી ૪૦૦ યુનિટ પર અડધો ચાર્જ વસૂલવામાં આવે છે. દિલ્હીમાં રહેતા ભાડૂઆતોને વિવિધ કારણોસર…
દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે 981 ઉમેદવારો દ્વારા 1521 નામાંકન પત્રો દાખલ
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે નામાંકન માટેની છેલ્લી તારીખ 17 જાન્યુઆરીએ સમાપ્ત થઈ ચૂકી છે. નામાંકન સમાપ્ત થાય ત્યાં સુધીમાં, 70 વિધાનસભા બેઠકો માટે 981 ઉમેદવારો દ્વારા કુલ 1,521 નામાંકન પત્રો દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી 17 જાન્યુઆરીએ જ 680 ઉમેદવારી પત્રો દાખલ થયા હતા.ઉમેદવારો દ્વારા દાખલ કરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી આજે થશે. જ્યારે ઉમેદવારો દ્વારા નામ પાછા ખેંચવાની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી છે. -> નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારમાં સૌથી વધુ ઉમેદવારી પત્રો :- દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 હેઠળ, નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારમાં સૌથી વધુ ઉમેદવારી પત્રો દાખલ કરવામાં આવ્યા છે. નવી દિલ્હીમાં કુલ 29 ઉમેદવારોએ 40 ઉમેદવારી પત્રો ભર્યા છે. આપને જણાવી દઈએ કે નવી દિલ્હી બેઠક પરથી આપના કન્વીનર અરવિંદ કેજરીવાલ ચૂંટણી મેદાનમાં છે,…
જો ઇન્ડિયા ગઠબંધન માત્ર ચૂંટણી માટે હતું તો પછી તેને ખતમ કરી દેવું જોઇએઃ ઓમર અબ્દુલ્લા
દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ 70 વિધાનસભા બેઠકો પર એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે અને 8 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કોઈ ગઠબંધન નથી. બંને પક્ષો અલગ-અલગ ચૂંટણી લડતા જોવા મળે છે, જ્યારે આ બંને પક્ષો લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનનો ભાગ હતા. હવે ઓમર અબ્દુલ્લાએ દિલ્હીમાં AAP અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે જો આ ગઠબંધન સંસદીય ચૂંટણી માટે હતું તો તેને ખતમ કરી દેવું જોઈએ. -> ઓમર અબ્દુલ્લાએ આ વાત કહી :- જમ્મુ અને કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ કહ્યું, “દિલ્હીમાં શું ચાલી રહ્યું છે તે અંગે મારે કંઈ કહેવું નથી. અમારે દિલ્હીની ચૂંટણી સાથે કોઈ લેવા-દેવા નથી. જ્યાં સુધી મને યાદ…
















