Ahmedabad : ધૂળેટીમાં થયો ઇમરજન્સી કેસમાં વધારો, અત્યાર સુધીમાં 3485 કેસ નોંધાયા
હોળી અને ધુળેટીમાં ખાસ કરીને અકસ્માત થવાની ઘટના, મારામારી, પાણીમાં ડૂબી જવાની ઘટના, પડી જવા અને વાગવાની ઘટના તે સિવાય બાકીની અન્ય ઈમરજન્સી નોંધાતી હોય છે. ત્યારે આવી તમામ ઈમરજન્સીને પહોંચી વળવા માટે 108ની ટીમ કટીબદ્ધ રહી એક્શન મોડમાં કાર્ય કરી રહી છે. લોકો જ્યારે પોતાના સગા સંબંધી અને મિત્રો જોડે હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે આરોગ્યકર્મચારીઓ પોતાના કાર્યસ્થળ ઉપર રહીને જ પોતાની ફરજ બજાવી રહ્યા છે. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદનાં વસ્ત્રાલમાં આતંક મચાવનાર સામે કાર્યવાહી, ગુંડાઓએ ઉભુ કરેલુ ગેરકાયદેસર-બાંધકામ તોડી પડાયું ત્યારે ગઇકાલે ગુજરાતમાં 108ને 3485 ઈમરજન્સી કોલ આવ્યા હતા. જેમાં અકસ્માત અને મારામારીની અઢળક ઘટના બની છે.મળતી માહિતી મુજબ, ધૂળેટીના દિવસે ઇમરજન્સીના કેસમાં સતત વધારો થયો છે.…
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કયો ભારતીય ખેલાડી ધૂમ મચાવશે? સંજય માંજરેકરની ભવિષ્યવાણી
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂ થવામાં હવે માત્ર થોડા જ દિવસો બાકી છે. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા ભારતીય ટીમ પણ શાનદાર લયમાં આવી ગઈ છે. ઈંગ્લેન્ડ સામે હાલમાં જ પૂરી થયેલી ટી-20 અને વનડે શ્રેણીમાં જીતને કારણે ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધ્યો છે. લોકોને આશા છે કે ભારતીય ખેલાડીઓ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ તેમના આ જ ફોર્મનું પુનરાવર્તન કરશે. જે તેમને ટાઈટલ જીતવામાં મદદ કરશે. ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત પહેલા દેશના પૂર્વ ક્રિકેટર અને વર્તમાન કોમેન્ટેટર સંજય માંજરેકરે પોતાના મંતવ્યો શેર કર્યા છે જેના પર ભારતીય ક્રિકેટર ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ ચમકી શકે છે. માંજરેકરના મતે યુવા બેટ્સમેન શુભમન ગિલ આગામી ટુર્નામેન્ટમાં ભારતનો સ્ટાર ખેલાડી બની શકે છે. માંજરેકરે કહ્યું કે શુભમન ગિલના તાજેતરના ફોર્મ અને તેની રમતમાં સતત સુધારો જોઈને…








