Surat : સુરતમાં ક્રેન તૂટી પડતા દુર્ઘટનાં સર્જાઈ, એક શ્રમિકનું મોત, 1ની હાલત ગંભીર
સુરતના ઉધનામાં ક્રેન તૂટી પડવાતા એક શ્રમિકનું મોત થયું છે. ખાડી બ્રિજ નજીક કામીગીર કરતાં અચાનક ક્રેન તૂટી પડ્યું. આ ઘટનામાં એક વ્યકિતનું મોત નિપજયું અને એક વ્યક્તિની ગંભીર ઇજાઓ પંહોચી છે. સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરી છે.ઉધનામાં ખાડી બ્રિજ નજીક સફાઈ કામગીરી હાથ ધરાઈ છે. ખાડીની સફાઈ કરવા ક્રેન જેવા મોટા મોટા સાધનો મંગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન આજે ખાડીની સફાઈ કામગીરી કરતાં અચાનક ક્રેનનો ભાગ તૂટી પડ્યો હતો. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં પોલીસ ઈન્સ્પેક્ટરોની કરાઈ આતંરિક બદલી, પોલીસ બેડામાં મચ્યો ખળભળાટ ક્રેનનો ભાગ તૂટતા ત્યાં કામ કરનાર શ્રમિકો દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. ક્રેન તૂટતા બે શ્રમિકોને વધુ અસર થઈ. દુર્ઘટનામાં એક શ્રમિકનું ઘટનાસ્થળ પર જ મોત નિપજયું છે. જ્યારે એક…
Surat : સુરતમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત્, યુવાને કંટાળીને ઝેર ગટગટાવ્યું
સુરતમાં વ્યાજખોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. સુરતના વેડ રોડ વિસ્તારમાં રહેતા બે સગા ભાઈઓ વ્યાજખોરોના ત્રાસને કારણે આર્થિક સંકટમાં ફસાઈ ગયા હતાં. 9 લાખ સામે 25 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરો તેમની પર દબાણ બનાવતા એક ભાઈએ ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાઇ અને એક વ્યાજખોરની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ચાર આરોપીઓ હજુ ફરાર છે. આ પણ વાંચો :- SURAT : આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી ગુજરાતનાં પ્રવાસે, નીલગીરી ગ્રાઉન્ડમાં જાહેરસભા સંબોધશે મળતી માહિતી મુજબ, યુવકે 7%ના વ્યાજ દરે 10 લાખ લીધા હતા. સમય જતાં તેઓ વ્યાજ ભરવામાં અસમર્થ બનતા બીજા ચાર વ્યાજખોરો પાસેથી વધુ નાણાં લેવા મજબૂર થયા અને કુલ 5 વ્યાજખોરો પાસેથી 54 લાખ ઉધાર લીધા.…








