ગુજરાત બજેટ 2026-27 | GUJARAT STATE BUDGET 2026 | GUJARATI NEWS BULETIN

નરેન્દ્ર મોદીએ જનસેવક તરીકે 24 વર્ષ પૂર્ણ કર્યા ગુજરાત અને દેશના વિકાસને નવી દિશા આપ્યાનો ઉલ્લેખ ભારતને વિશ્વની ચોથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા બદલ અભિનંદન વિકસિત ભારત@2047 અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને વેગ ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકસિત ગુજરાત@2047 તરફ રાજ્ય આગળ GST સુધારાથી સામાન્ય નાગરિકની ખરીદ શક્તિમાં વધારો શ્રમ અધિનિયમ સુધારાથી કામદારોને સામાજિક સુરક્ષા અને રોજગારીમાં વધારો કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની ભારતને મળ્યાનો ઉલ્લેખ ગુજરાત@2035 રોડમેપ સાથે વિકાસ યાત્રાને વેગ GARC દ્વારા વહીવટી સુધારા માટે 6 અહેવાલ રજૂ ભગવાન બિરસા મુંડાની 150મી જયંતિ નિમિત્તે રૂ.2 લાખ કરોડના વિકાસ કાર્યોની જાહેરાત પીએમ-જનમન હેઠળ ગુજરાત “બેસ્ટ પર્ફોમિંગ રાજ્ય” તરીકે સન્માનિત 2003થી શરૂ થયેલ વાઇબ્રન્ટ સમિતિથી રાજ્યની આર્થિક પ્રગતિને ગતિ પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે અનેક મહત્વપૂર્ણ નીતિઓ જાહેર ગુજરાત સ્પેસટેક, ઇલેક્ટ્રોનિક્સ…

આદિજાતિ વિકાસ વિભાગ માટે બજેટમાં કરવામાં આવી મોટી જાહેરાત, કુલ ₹5425 કરોડની જોગવાઇ

વનબંધુઓના સામાજિક સશક્તિકરણ અને આર્થિક ઉત્કર્ષ માટે વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. જનજાતિય કલ્યાણ યોજના દ્વારા આદિજાતિ કુટુંબોના સર્વાંગી વિકાસ માટે અમારી સરકાર મક્કમપણે આગળ વધી રહી છે. ત્યારે બજેટમાં કુલ 5425 કરોડની જોગવાઇ પણ કરવામાં આવી છે. અંદાજે 2 લાખ 35 હજાર વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિનો લાભ આપવા ₹909 કરોડની જોગવાઇ. 665 આશ્રમ શાળાઓના 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ₹595 કરોડની જોગવાઇ. સરકારી છાત્રાલય, આદર્શ નિવાસી શાળા, એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી સ્કૂલના બાંધકામ માટે ₹679 કરોડની જોગવાઇ. 176 સરકારી કુમાર-કન્યા છાત્રાલયો અને 893 ગ્રાન્ટ ઈન એઈડ એમ કુલ 1069 છાત્રાલયોના 73 હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે ₹327 કરોડની જોગવાઇ. 10 ઈ.એમ.આર.એસ., 53 જી.એલ.આર.એસ., 22 મોડેલ શાળાઓ તથા 2 સૈનિક શાળાઓના અંદાજે…

Budget 2026: સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે જાણો બજેટમાં શું કરવામાં આવી જોગવાઈ

બજેટમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે જાહેરાત કરતાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઇએ કહ્યું કે, સમાજના જરૂરિયાતમંદ વર્ગને સામાજિક સુરક્ષા પૂરી પાડી સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવોએ અમારી સરકારની પ્રાથમિકતા છે. વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ, પાત્રતા ધરાવતી તમામ વ્યક્તિઓને સરળતાથી પહોંચાડવા અમે પ્રતિબદ્ધ છીએ. પી.એમ.યશસ્વી પ્રિ-મેટ્રીક અને પોસ્ટ-મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના હેઠળ વિકસતી જાતિના અંદાજે 9 લાખ 75 હજાર વિદ્યાર્થીઓ માટે ₹630 કરોડની જોગવાઇ. પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના અને વિકસતી જાતિના અંદાજે 36 લાખ વિદ્યાર્થીઓને શિષ્‍યવૃત્તિ અને ગણવેશ સહાય આપવા ₹617 કરોડની જોગવાઇ.અનુસૂચિત જાતિના આશરે 1 લાખ 45 હજાર વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રીક શિષ્‍યવૃત્તિ યોજના માટે ₹296 કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે . વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત વિદેશમાં ચાલતા ઉચ્‍ચ અભ્યાસ અર્થે 4 ટકાના…

Budget 2026 : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે બજેટમાં જાણો શું કરવામાં આવી જાહેરાત

આજે ગુજરાત વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ થઈ રહ્યું છે. જેમાં નાણાં મંત્રી કનુ દેસાઇએ વર્ષ 2026-27 માટે રાજ્યનું વાર્ષિક બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ₹25403 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રાજ્યમાં યોગથી લઇને આયુષ્યમાન સુધીની સુવિધા સુલભ બની છે. પ્રાથમિક આરોગ્યથી માંડીને સ્પેશ્યાલિટી સારવાર સુધીની સગવડોમાં વધારો કરવા સરકાર પ્રયત્નો કરી રહી છે. ત્યારે બજેટમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય–મુખ્યમંત્રી અમૃતમ(મા યોજના) હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના અંદાજે 2 કરોડ 72 લાખ લોકોને ₹10 લાખ સુધીની કેશલેસ સારવાર માટે ₹3472 કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે. આ સાથે જ G.M.E.R.S સંચાલિત મેડીકલ હોસ્પિટલો માટે ₹1851 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આરોગ્ય સુવિધાઓના સુદ્રઢીકરણ તેમજ બિનચેપી રોગો અને અન્ય જાહેર આરોગ્યની…

કેન્દ્રીય બજેટ 2026-27 મામલે સુરત ખાતે સ્મૃતિ ઈરાનીએ યોજી પત્રકાર પરિષદ, જાણો શું કહ્યું

દિલ્હી ખાતે સંસદમાં બજેટ સત્રમાં રજૂ થયેલા કેન્દ્રીય બજેટ 2026-27 સંદર્ભે આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સુરત ખાતે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, બજેટમાં ટેક્સટાઇલ પાર્કની જોગવાઈ અને નેશનલ ટેક્નિકલ ટેક્સટાઇલ મિશન તેમજ EU અને US સાથેની ટ્રેડ ડીલ થી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને નવી ગતિ મળશે બજેટ અંગે સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્તવ્ય પરાયણતાના પથ પર ચાલી દુરંદેશી અને સંકલ્પિત નેતૃત્વ થકી દેશના સામર્થ્યને મજબૂત બનાવવાનું કાર્ય કર્યું છે. આ બજેટના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રગતિશીલ ભારત થી વિકસિત ભારતના નિર્માણની જે દિશા દર્શાવી છે તેને દેશના નાગરિકોએ વ્યાપક સ્વીકાર અને સમર્થન આપ્યું છે. મેન્યુંફેકચરિંગ, MSME, બાયોફાર્મા અને ક્રિએટીવ ઇકોનોમિ માટે કરવામાં આવેલી જોગવાઇઓને વ્યાપક સમર્થન…

ગૃહમાં હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત, PM મોદીનું ભાષણ મુલતવી રખાયું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (બુધવાર, ૪ ફેબ્રુઆરી) લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપવાના હતા, પરંતુ તેમનું ભાષણ થઈ શક્યું નહીં. વિપક્ષી સભ્યોના હોબાળાને કારણે, લોકસભાની કાર્યવાહી ત્રણ વખત મુલતવી રાખ્યા બાદ બુધવારે સાંજે 5 વાગ્યે આખરે દિવસભર માટે સ્થગિત કરવામાં આવી. વિપક્ષનું કહેવું છે કે જો વિપક્ષી નેતા રાહુલ ગાંધીને બોલવાની મંજૂરી નહીં મળે, તો પીએમ મોદીને પણ ભાષણ આપવા દેવામાં આવશે નહીં. હવે ગુરુવારે પણ આ મુદ્દા પર ભારે હોબાળો થઈ શકે છે. જોકે, હજુ સુધી સ્પષ્ટ નથી કે પ્રધાનમંત્રી ગુરુવારે ગૃહને સંબોધન કરશે કે નહીં? ગૃહને એક દિવસ પહેલા ત્રણ વખત સ્થગિત કરવામાં આવ્યું હતું. જ્યારે ગૃહની કાર્યવાહી સાંજે 5 વાગ્યે ફરી શરૂ થઈ, ત્યારે વિપક્ષી સભ્યો પ્લેકાર્ડ સાથે વેલમાં…

બજેટ પર પીએમ મોદીનું પહેલું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું

ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે લોકસભામાં દેશનું સામાન્ય બજેટ 2026 રજૂ કર્યું. આ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું બીજું બજેટ અને નાણામંત્રી નિર્મલા સીતારમણનું નવમું બજેટ છે. બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે માળખાગત સુવિધાઓ અને સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો સહિત વિવિધ ક્ષેત્રો માટે ઘણી મોટી જાહેરાતો કરી. હવે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ બજેટ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ચાલો જાણીએ કે પીએમ મોદીએ બજેટ વિશે શું કહ્યું. પીએમ મોદીએ કહ્યું કે આજે રજૂ કરાયેલું બજેટ ઐતિહાસિક છે. આ બજેટે યુવાનો માટે ઉડાન ભરવા માટે આકાશ ખોલી નાખ્યું છે. ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે તૈયાર છે. આ બજેટ ભારતની વૈશ્વિક સ્થિતિને મજબૂત બનાવશે. પીએમ મોદીએ કહ્યું કે બજેટ ભવિષ્યને ધ્યાનમાં…

Budget 2026 : ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થશે! લિથિયમ-આયન સેલ પર કસ્ટમ ડ્યુટી મામલે કરી મોટી જાહેરાત

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2026-27 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. આ તેમનું સતત નવમું બજેટ છે. ઓટોમોટિવ ઉદ્યોગને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહન (EV) ઉત્પાદકો ચોક્કસ છૂટછાટોની આશા રાખતા હતા. આને ધ્યાનમાં રાખીને, સરકારે બેટરી ઉત્પાદનમાં વપરાતી સામગ્રી પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે, “હું પ્રસ્તાવ મૂકું છું કે બેટરી ઉત્પાદનમાં વપરાતા લિથિયમ-આયન સેલ માટે મશીનરી અને મૂડી માલ પર કસ્ટમ ડ્યુટી પર જે મુક્તિ પહેલાથી જ ઉપલબ્ધ છે, તે જ મુક્તિ હવે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમમાં વપરાતા લિથિયમ-આયન સેલના ઉત્પાદન માટે વપરાતા ઉપકરણો પર પણ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, સોલાર કાચના ઉત્પાદનમાં વપરાતા સોડિયમ એન્ટિમોનેટની આયાત પર મૂળભૂત…

નિર્મલા સીતારમણે દિલ્હી-વારાણસી સહિત 7 હાઇ-સ્પીડ રેલ કોરિડોરની કરી જાહેરાત, જાણો વિગત

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં કેન્દ્રીય બજેટ 2026-27 રજૂ કર્યું. તેમણે સાત નવા હાઇ-સ્પીડ રેલ કોરિડોરના રૂપમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરી. આ કોરિડોર ભારતના મુખ્ય શહેરોને ઝડપી અને વધુ કાર્યક્ષમ રીતે જોડશે. આનાથી મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે અને અર્થતંત્રને વેગ મળશે. નાણામંત્રીએ આ હાઇ-સ્પીડ રેલ રૂટને “ગ્રોથ કનેક્ટર્સ” તરીકે વર્ણવ્યા. તે પર્યાવરણને અનુકૂળ હશે અને લાંબા અંતરની મુસાફરીને ઝડપી, સલામત અને ઓછી કાર્બન-સઘન બનાવશે. હાઇ-સ્પીડ રેલ કોરિડોર: આ 7 નવા હાઇ-સ્પીડ રેલ કોરિડોર છે મુંબઈ-પુણે – મહારાષ્ટ્રના આ બે મુખ્ય શહેરો વચ્ચે મુસાફરી હવે ઘણી ઝડપી બનશે પુણે-હૈદરાબાદ – મહારાષ્ટ્ર અને તેલંગાણાને જોડે છે હૈદરાબાદ-ચેન્નાઈ – દક્ષિણ ભારતના મહત્વપૂર્ણ શહેરોને જોડે છે હૈદરાબાદ-બેંગલુરુ – આઇટી હબ બેંગલુરુ અને હૈદરાબાદ વચ્ચે ઝડપી જોડાણ ચેન્નઈ-બેંગલુરુ – તમિલનાડુ…

નાણામંત્રીએ રાષ્ટ્રપતિને બજેટની નકલ સોંપી, 11 વાગ્યે ગૃહમાં કેન્દ્રીય બજેટ કરશે રજૂ

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે, 1 ફેબ્રુઆરીના રોજ તેમનું સતત નવમું બજેટ રજૂ કરીને દેશના સંસદીય ઇતિહાસમાં એક નવો રેકોર્ડ બનાવશે. આ બજેટમાં વિકાસની ગતિ જાળવી રાખવા, નાણાકીય શિસ્ત જાળવવા અને ઉત્પાદન ક્ષેત્ર અને રોજગારને વેગ આપવા માટેના પગલાં શામેલ હોવાની અપેક્ષા છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ, તેમની ટીમ સાથે, તેમનું સતત નવમું કેન્દ્રીય બજેટ રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. બેઠક દરમિયાન, નાણાં પ્રધાને રાષ્ટ્રપતિને બજેટની એક નકલ પણ રજૂ કરી હતી. રાષ્ટ્રપતિએ નાણામંત્રીને દહીં અને સાકર ચખાડી રાષ્ટ્રપતિ મુર્મુએ નાણામંત્રી સીતારમણને દહીં અને સાકર ખવડાવી . તેમણે બજેટ માટે અભિનંદન આપ્યા. અહીંથી, નાણામંત્રી સીધા સંસદ ભવન જશે, જ્યાં તેઓ કેબિનેટની મંજૂરી લેશે. ત્યાં બજેટ રજૂ કરવામાં આવશે. Follow us On Social Media…