રોહિત ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી માટે કેપ્ટન હશે, બીસીસીઆઈના સૂત્રએ કરી છે પુષ્ટિ
એક રીતે જોઈએ તો ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત રોહિત શર્મા માટે વરદાન સમાન છે. થોડા સમય પહેલા, ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તેના અત્યંત ખરાબ પ્રદર્શન બાદ, એવા અહેવાલો આવ્યા હતા કે BCCIએ તેને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા માટે મનાવી લીધો હતો. જોકે, ચેમ્પિયન્સ ટ્રોફી બાદ તેની કારકિર્દી ફરી એકવાર ‘ઓલરાઉન્ડ’ ટ્રેક પર આવી ગઈ છે. હવે તાજા સમાચાર એ છે કે આ વર્ષે જૂન-ઓગસ્ટમાં રમાનારી પાંચ ટેસ્ટ મેચની શ્રેણી માટે રોહિત ભારતીય ટીમનો કેપ્ટન રહેશે. આ પણ વાંચો :- રશિયન સેનાથી ઘેરાયેલા હજારો યુક્રેનિયન સૈનિકોના જીવ બચાવવા ટ્રમ્પે પુતિનને અપિલ કરી ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન રન માટે ખરાબ રીતે ઝંખ્યા બાદ રોહિતે સિડનીમાં રમાયેલી છેલ્લી ટેસ્ટમાંથી બહાર બેસવાનો નિર્ણય લીધો હતો. આ પછી, એવી ઉગ્ર ચર્ચાઓ થઈ હતી કે…
ગુજરાત: આજથી ધોરણ 10-12ની પરીક્ષાનો આરંભ, 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
આજથી ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ની (GSEB) બોર્ડ પરીક્ષાનો આરંભ થઈ રહ્યો છે. રાજ્યમાં GSEB બોર્ડમાં ધોરણ-10 અને 12ના કુલ 14.28 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા. જેમાં ધોરણ-10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપશે. જયારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4.23 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં 1.11 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. -> પરીક્ષા કેન્દ્રો સજ્જ બન્યા :- GSEB બોર્ડ પરીક્ષાને લઈને 5222 બિલ્ડીંગના 50991 બ્લોકમાં પરીક્ષાનું આયોજન હાથ ધરાયું છે. તમામ પરીક્ષા કેન્દ્રોના 50991 બ્લોક CCTVથી સજ્જ થઈ ગયા છે. બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે તમામ કેન્દ્રો પરી વિદ્યાર્થીઓનું પુષ્પ આપી સ્વાગત કરાશે. -> શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરીયાનો સંદેશ :- શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરીયાએ વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાને લઈને શુભકામના પાઠવી. શિક્ષણમંત્રીએ પરીક્ષા આપતા વિદ્યાર્થી અને તેમના પરીવારને સંદેશ…
રાજકોટ ST વિભાગ સજ્જ , બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ માટે કરી આવી વ્યવસ્થા
પરીક્ષાને ધ્યાને લઈને રાજકોટ ST વિભાગ સજ્જ બન્યું છે. રાજકોટ એસટી વિભાગે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ માટે વિશેષ વ્યવસ્થા કરી છે. એક્સ્ટ્રા બસ ફાળવવામાં આવશે અને વિદ્યાર્થીઓ હોલ ટિકિટ બતાવીને એક્સપ્રેસ બસમાં મુસાફરી કરી શકશે જેથી વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકશે. રાજકોટ એસટી વિભાગના ડિવિઝનલ ટ્રાફિક ઓફિસર વી.બી.ડાંગરે જણાવ્યું કે, બોર્ડની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને કોઈ પ્રકારની હાલાકી ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જે શાળાઓને એક્સ્ટ્રા બસની જરૂરિયાત હશે, તેમને પણ બસ ફાળવવામાં આવશે. ગુજરાત રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે. આ મહત્વપૂર્ણ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે રાજકોટ એસટી વિભાગે આ વિશેષ વ્યવસ્થા કરી છે.









