શેખ હસીનાએ મુહમ્મદ યુનુસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો, જાણો શું કહ્યું
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અને આવામી લીગના વડા શેખ હસીનાએ ફરી એકવાર નોબેલ પુરસ્કાર વિજેતા અને વચગાળાના સરકારના નેતા મુહમ્મદ યુનુસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે યુનુસને “સ્વાર્થી, આતમકેન્દ્રીત અને સત્તાના ભૂખ્યા” ગણાવ્યા અને તેમના પર દેશનો નાશ કરવા માટે વિદેશી દળો સાથે કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો. વર્ચ્યુઅલ સંબોધનમાં, શેખ હસીનાએ વિદ્યાર્થી નેતા અબુ સઈદની હત્યા પર શંકા વ્યક્ત કરી અને તેને સરકાર વિરોધી કાવતરાં સાથે જોડી દીધી. તેમણે કહ્યું કે બાંગ્લાદેશની સ્વતંત્રતા સાથે જોડાયેલા પ્રતીકોને ભૂંસી નાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. યુનુસને સીધી ચેતવણી આપતા કહ્યું, “જો તમે આગ સાથે રમશો, તો તે તમને પણ બાળી નાખશે.” તેમણે કહ્યું કે સ્વતંત્રતા સેનાનીઓની યાદો ભૂંસાઈ રહી છે, જિલ્લાઓમાં બનેલા સ્વતંત્રતા સેનાની સંકુલને બાળી નાખવામાં આવી…
શેખ હસીના બાંગ્લાદેશ પરત ફરશે? આપ્યા આ સંકેત
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ તાજેતરમાં એક ટિપ્પણી કરી હતી જેમાં તેમણે પોતાના જીવિત રહેવાનો શ્રેય અલ્લાહને આપ્યો હતો અને કહ્યું હતું કે એક દિવસ જે લોકો આવામી લીગના સભ્યોને નિશાન બનાવી રહ્યા છે તેમને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. શેખ હસીનાએ સોશિયલ મીડિયા પર તેમના પક્ષના નેતાઓ અને તેમના પરિવારના સભ્યો સાથે વાત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું. શેખ હસીનાએ બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસ પર પણ નિશાન સાધ્યું. હસીનાએ તેમને “એવા વ્યક્તિ તરીકે વર્ણવ્યા જે ક્યારેય લોકોને પ્રેમ કરતા નહોતા”. તેમણે કહ્યું કે યુનુસે ઊંચા વ્યાજ દરે ઉછીના લીધેલા પૈસાનો ઉપયોગ વિચિત્ર જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે કર્યો. હસીનાએ આગળ કહ્યું, “અમે ત્યારે તેમનો બેવડો સ્વભાવ સમજી શક્યા નહીં, અમે તેમને…








