શિવરાજસિંહ ચૌહાણને એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મળી તૂટેલી સીટ, એર ઇન્ડિયાએ વ્યક્ત કર્યો ખેદ

મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે એર ઈન્ડિયાની સેવાઓ પર નારાજગી વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરતા તેમણે કહ્યું કે તેમને ભોપાલથી દિલ્હી જવાનું હતું જ્યાંથી તેમણે પુસામાં કિસાન મેળાનું ઉદ્ઘાટન કરવાનું હતું, કુરુક્ષેત્રમાં કુદરતી ખેતી મિશનની બેઠકમાં હાજરી આપવાની હતી અને ચંદીગઢમાં ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવાની હતી. આ માટે, તેમણે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI436 માં સીટ બુક કરાવી હતી જેમાં તેમને સીટ નંબર 8C ફાળવવામાં આવી હતી. શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે જ્યારે તેઓ તેમની સીટ પર પહોંચ્યા ત્યારે તે તૂટેલી અને ડૂબી ગયેલી હતી, જેના કારણે બેસવામાં ખૂબ જ અસ્વસ્થતા થઈ રહી હતી. જ્યારે તેમણે આ અંગે એરલાઇન સ્ટાફને ફરિયાદ કરી, ત્યારે…