ઉનાળાની શરૂઆતમાં લીંબુનાં ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

ગરમીની શરૂઆતમાં લીંબુનાં ભાવમાં ભડકો થયો છે. ભાવનગરની બજારમાં લીંબુના ભાવમાં વધારો થયો છે. ઉનાળા શરૂઆત થતા જ લીંબુના ભાવ વધતા લોકોને પરસેવો વળી ગયો છે. ત્યારે આગામી દિવસમાં હજુ લીંબુનાં ભાવ વધવાની શક્યતા છે. સમગ્ર દેશમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. જેને પગલે આગ વરસાવતી ગરમી લાગી રહી છે. આવી ગરમીથી રાહત મેળવવા માટે લોકો લીંબુ શરબત પીતા હોય છે. જેથી આ સીઝનમાં લીંબુનું વેચાણ પણ વધારે થતું હોય છે. ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ લીંબુના ભાવમાં વધારો નોંધાયો છે. આ પણ વાંચો :- પનીર બટર મસાલા રેસીપી: પનીર બટર મસાલા રાત્રિભોજનને ખાસ બનાવશે, મહેમાનોને ગમશે, રેસીપી જાણો સુરતમાં પ્રતિકિલો લીંબુનો ભાવ રૂ.100થી 125 પર પહોંચ્યા છે. ગયા મહિને કિલો લીંબુનો ભાવ રુ.30થી 45 હતો. લીંબુના…

Dwarka : દ્વારકામાં ગેરકાયદે દબાણો પર ફરી વળશે દાદાનું બુલડોઝર, તંત્રએ વધુ 69 ધાર્મિક સ્થળોને પાઠવી નોટિસ

દ્વારકામાં ગેરકાયદે દબાણો પર ફરી દાદાનું બુલડોઝર ચાલશે. તંત્રએ વધુ 69 ધાર્મિક સ્થળોને નોટિસ પાઠવી છે. બેટ દ્વારકા અને દ્વારકામાં ગયા મહિને મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં અનેક ગેર કાયદેસર ધાર્મિક, રહેઠાણ અને ધંધાકીય બાંધકામો દૂર કરી લાખો ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આ પણ વાંચો :- દ્વારકામાં ફરી ડિમોલિશન હાથ ધરાશે, ગેરકાયદેસર ધાર્મિક સ્થળો કરાશે દૂર મળતી માહિતી મુજબ, દ્વારકાના ભાણવડ તાલુકામાં ધાર્મિક સ્થળો પર નોટિસ આપવામાં આવી છે. વધુ 69 ધાર્મિક સ્થળો પર તંત્રએ નોટિસ પાઠવી હતી. જેમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે 15 દિવસની મુદત આપવામાં આવી છે. આ ઉપરાંત મુદ્ત પુર્ણ થાય અને દબાણો દૂર કરવામાં નહીં આવે તો તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ…

ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમિફાઇનલમાં ભારત-ઓસ્ટ્રેલિયા સામ-સામે ટકરાશે, જાણો અત્યાર સુધીનો રેકોર્ડ

ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમિફાઇનલ મંગળવારે રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો પ્રથમ સેમિફાઇનલમાં એકબીજાનો સામનો કરશે. ICC ODI ઇવેન્ટ્સના નોકઆઉટ મેચોમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો 6 વખત એકબીજા સામે આવી છે. આ રીતે, ભારત અને ઓસ્ટ્રેલિયા ICC ODI ઇવેન્ટ્સની નોકઆઉટ મેચમાં 7મી વખત ટકરાશે. પરંતુ શું તમે જાણો છો કે ICC ODI ઇવેન્ટ્સની નોકઆઉટ મેચોમાં કોનો હાથ ઉપર રહ્યો છે? ICC ODI ઇવેન્ટ્સના નોકઆઉટ મેચોમાં ભારત અને ઓસ્ટ્રેલિયાનો હેડ ટુ હેડ રેકોર્ડ શું છે?ICC ODI ઇવેન્ટ્સની નોકઆઉટ મેચોમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ક્યારે હરાવ્યું? ભારતે ICC ODI ઇવેન્ટ્સના નોકઆઉટ મેચોમાં ઓસ્ટ્રેલિયાને 3 વખત હરાવ્યું છે. બંને ટીમો પહેલી વાર 1998માં ચેમ્પિયન્સ ટ્રોફીના ક્વાર્ટર ફાઇનલમાં આમને-સામને આવી હતી. જેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 44 રનથી હરાવ્યું હતું. ૨૦૦૦ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે ઓસ્ટ્રેલિયાને…

Ahmedabad : અમદાવાદમાં ખૂની ખેલ ખેલાયો, યુવાનની કરાઈ ઘાતકી હત્યા

અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાની ઘટના બની સામે આવી છે. ઈસનપુર વિસ્તારમાં એક યુવાનની હત્યા કરવામાં આવી છે. ગળા ઉપર છરીના ઘા મારીને યુવકની હત્યા કરાઈ છે. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. મળતી માહિતી મુજબ, મૃતક અજીજ ખાન પઠાણ નરોડાના દિલીપની ચાલીમાં પરિવાર સાથે રહેતો હતો. મૃતકના પત્ની અને ત્રણ બાળકો છે. જેમાં મૃતક અને પત્ની વચ્ચે વિવાદના કારણે છૂટાછેડા થઈ ગયા હતા. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં રિક્ષાચાલકો આંદોલનનાં માર્ગે, રિક્ષા પર પોસ્ટર લગાવી વિરોધ નોંધાવ્યો જેથી તેની પત્ની બાળકોને લઈને વટવા ખાતે રહેવા માટે જતી રહી હતી. પરતું થોડા સમય પછી બંને ફરી એક બીજા સાથે વાત કરવાની શરૂ કરી હતી. અને સાથે રહેવાનું નક્કી…

પનીર બટર મસાલા રેસીપી: પનીર બટર મસાલા રાત્રિભોજનને ખાસ બનાવશે, મહેમાનોને ગમશે, રેસીપી જાણો

પનીર બટર મસાલા એક ખૂબ જ સ્વાદિષ્ટ શાકભાજી છે જે ખાસ પ્રસંગોએ તૈયાર કરવામાં આવે છે અને પીરસવામાં આવે છે. આ શાકભાજી ખાસ કરીને ઉત્તર ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. તેનું નામ સાંભળતા જ તેની ક્રીમી, મસાલેદાર અને ભરપૂર ગ્રેવીનો સ્વાદ યાદ આવે છે. પનીર બટર મસાલામાં તાજા માખણ અને મસાલાઓની અદ્ભુત ગ્રેવીમાં બોળેલા નરમ પનીરના ટુકડા હોય છે, જે તેને એક સ્વાદિષ્ટ અને આકર્ષક વાનગી બનાવે છે. આ વાનગી ખાસ પ્રસંગ, પાર્ટી અથવા સાદા ભોજન તરીકે સરળતાથી તૈયાર કરી શકાય છે. પનીર બટર મસાલાને રોટલી, નાન કે જીરા ભાત સાથે પીરસવામાં આવે છે, અને તે બધી ઉંમરના લોકોનો પ્રિય બને છે. તેની તૈયારીમાં મસાલા અને ક્રીમનો ઝીણવટભર્યો મિશ્રણ તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. પનીર બટર…

હૃદય સ્વાસ્થ્ય: 40 વર્ષની ઉંમર પછી તમારા હૃદયનું ખાસ ધ્યાન રાખો, હૃદય 6 રીતે સ્વસ્થ બનશે; સ્વસ્થ રહીશ.

આપણા હૃદયનું સ્વાસ્થ્ય આપણા એકંદર સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે. હૃદય ફક્ત શરીરના અન્ય અવયવોને લોહી પૂરું પાડતું નથી, પરંતુ તે શરીરના દરેક ભાગમાં ઓક્સિજન અને પોષક તત્વો પણ પૂરા પાડે છે. જો હૃદય સ્વસ્થ હોય તો શરીરના અન્ય અવયવો પણ યોગ્ય રીતે કાર્ય કરે છે. તેથી, હૃદયના સ્વાસ્થ્યની કાળજી લેવી એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. આજના વ્યસ્ત જીવનમાં, જ્યાં યોગ્ય આહાર અને કસરતનો અભાવ છે, ત્યાં હૃદય રોગનું જોખમ વધી રહ્યું છે. પરંતુ સારી વાત એ છે કે આપણે કેટલીક સરળ અને અસરકારક પદ્ધતિઓથી આપણા હૃદયને સ્વસ્થ રાખી શકીએ છીએ. યોગ્ય આહાર, નિયમિત કસરત, તણાવ વ્યવસ્થાપન અને સારી ઊંઘ જેવી આદતો અપનાવીને, આપણે આપણા હૃદયને લાંબા સમય સુધી સ્વસ્થ રાખી શકીએ છીએ. તમારા હૃદયને સ્વસ્થ…

ચાંદીના પાયલ: શું તમારી ચાંદીના પાયલ કાળા થઈ ગ્યા છે? આ 6 રીતે સાફ કરો, તમારી જૂની ચમક પાછી આવશે

ચાંદીના પાયલ કાળા થઈ જવા સામાન્ય છે. જો પાયલ લાંબા સમય સુધી રાખવામાં આવે તો તે કાળા થવા લાગે છે. જોકે, ચાંદીના પાયલને કેટલાક સરળ ઘરેલું ઉપચારની મદદથી પોલિશ કરી શકાય છે. તમને જણાવી દઈએ કે પાયલ પર ધૂળ, ગંદકી અને ઓક્સિડેશન જમા થવાને કારણે તેની ચમક ઓછી થઈ જાય છે. આ સમસ્યા સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે ચાંદી હવા, પાણી અને અન્ય રસાયણોના સંપર્કમાં આવે છે. આજકાલ, ચાંદીના પાયલને ચમકાવવા માટે ઘણી સરળ રીતો ઉપલબ્ધ છે, જેને અપનાવીને તમે તમારા પાયલને ફરીથી નવી અને ચમકદાર બનાવી શકો છો. આ ઉપાયો ફક્ત પાયલની સુંદરતામાં વધારો કરશે નહીં પરંતુ તેની સ્વ-જીવનમાં પણ વધારો કરશે. -> સાફ કરવા માટેની ટિપ્સ : સિંધવ મીઠું અને લીંબુનો ઉપયોગ :-…

ભારતની જીત બાદ માઈકલ વોનની ભવિષ્યવાણી, આ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીતશે

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોન ફરી એકવાર હેડલાઈન્સમાં છે. આપને જણાવી દઈએ કે, છેલ્લી ગ્રુપ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડ પર શાનદાર જીત નોંધાવી હતી. ભારતની જીત પછી તરત જ, માઈકલ વોને સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ શેર કરી અને ચેમ્પિયન્સ ટ્રોફીની વિજેતા બનવાની ટીમની જાહેરાત કરી. ભવિષ્યવાણીએ ચાહકોમાં હલચલ મચાવી દીધી છે. “જે ભારતને હરાવશે તે જીતશે… લાગે છે કે માત્ર ઓસ્ટ્રેલિયન જ તેમને ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં હરાવી શકે છે. પરંતુ મને દુબઈની પિચ પર તેના પર ખૂબ જ શંકા છે,” ભૂતપૂર્વ કેપ્ટને સોશિયલ મીડિયા X પર એક પોસ્ટમાં લખ્યું. પૂર્વ કેપ્ટન માઈકલ વોને જ્યાં પોતાની પોસ્ટમાં ઓસ્ટ્રેલિયાને દાવેદાર ગણાવ્યું છે. તો બીજી તરફ તેણે દુબઈની પીચનો ઉલ્લેખ કરીને આ અંગે શંકા વ્યક્ત કરી છે. મેચની…

કેપ્ટન રોહિત શર્માની ફિટનેસ પર કોંગ્રેસ પ્રવક્તાએ ઉઠાવ્યા સવાલ, તો જાણો ચાહકોએ શું કહ્યું….

કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદે ભારતીય ટીમને T20 વર્લ્ડ કપના ખિતાબ સુધી પહોંચાડનાર કેપ્ટન રોહિત શર્માની ફિટનેસ પર સવાલ ઉઠાવ્યા હતા અને તેને એક જાડો ખેલાડી ગણાવ્યો હતો. જે બાદ સોશિયલ મીડિયા પર ચર્ચાએ જોર પકડ્યું છે. શમા મોહમ્મદે કહ્યું કે, રોહિત શર્મા એક જાડો ખેલાડી છે. તેણે વજન ઘટાડવાની જરૂર છે. આ પણ વાંચો :- ‘આ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ એક રનથી જીતશે’, માઈકલ ક્લાર્કની આગાહી શમા મોહમ્મદના આ નિવેદન પછી, ચાહકો સોશિયલ મીડિયા પર સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. શમા મોહમ્મદે સોશિયલ મીડિયા X પર લખ્યું, “રોહિત શર્મા એક જાડો ખેલાડી છે. તેણે વજન ઘટાડવાની જરૂર છે. “ચોક્કસપણે ભારતનો બિનઅસરકારક કેપ્ટન.” આ પણ વાંચો :- ટ્રેવિસ હેડે ઈતિહાસ રચ્યો, ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર રેકોર્ડ બનાવી…

Gandhinagar : ગુજરાતનાં કાળઝાળ ગરમી, જાણો ક્યાં કેટલું તાપમાન નોંધાયું

રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી અનુસાર, માર્ચ મહિનામાં જ મે મહિનાની ગરમીનો અનુભવ થવાની શક્યતા છે. દર વર્ષની સરખામણીએ વર્ષ 2025ના ઉનાળામાં ગરમી ભુક્કા બોલાવે તો નવાઈ નહીં, કારણ કે આ વર્ષે તાપમાન સામાન્ય તાપમાન કરતાં ત્રણથી ચાર ડિગ્રી વધારે રહેશે, એટલે કે આકરી ગરમીનો અનુભવ થશે.માર્ચના પ્રથમ સપ્તાહમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેશે. આ પણ વાંચો :- ગુજરાતમાં ગરમી પડવાની શરુઆત, મહત્તમ તાપમાનમાં થશે વધારો કયાં કેટલું તાપમાન નોંધાયું :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 34.6 ડિગ્રી, ગાંધીનગરમાં 35.5 ડિગ્રી,ડીસામાં 35.1 ડિગ્રી, રાજકોટમાં 35.1 ડિગ્રી,વલ્લભ વિદ્યાનગરમાં 34.7 ડિગ્રી,વડોદરામાં 34.6 ડિગ્રી, સુરતમાં 33.2 ડિગ્રી,સુરેન્દ્રનગરમાં 35 ડિગ્રી,…