મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરપંચો માટે લીધો મહત્વનો નિર્ણય, વિધાનસભામાં યોજાશે વિશેષ તાલીમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોના વિકાસને પ્રોત્સાહન આપવા અને પંચાયત વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના તમામ સરપંચોને ‘ગ્રામ શક્તિ’ અંગે વિશેષ તાલીમ આપવામાં આવશે, જે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વિધાનસભા ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ ઉપસ્થિત રહેશે. તાલીમમાં શું શીખવવામાં આવશે? આ એક દિવસીય તાલીમમાં સરપંચોને ગ્રામ શક્તિ યોજના અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવશે. મુખ્યમંત્રીના મતે, સરપંચો ગામના વિકાસના મુખ્ય આધારસ્તંભ છે, અને તેમને યોગ્ય તાલીમ મળવાથી આત્મનિર્ભરતા અને પારદર્શક વહીવટને પ્રોત્સાહન મળશે. 2666 ગામોમાં પોતીકા ગ્રામ પંચાયત ઘર મુખ્યમંત્રી દ્વારા રાજ્યના 2666 ગ્રામ પંચાયતો માટે પોતીકા ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસનું ઈ-ખાતમૂહર્ત કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટમાં રૂ. 663 કરોડનો ખર્ચ થશે અને પરિણામે ગ્રામ્ય નાગરિકોને સ્થાનિક સ્તરે…
રાજકોટમાં વંદે ભારત ટ્રેનની ટક્કરથી બેના મોત, એક ગંભીર
રાજકોટમાં બપોરના સમયે એક કરુણ અકસ્માત સર્જાયો હતો, જેમાં હાઈસ્પીડ વંદે ભારત ટ્રેનની ટક્કરમાં ત્રણ વ્યક્તિઓ આવી ગયા હતા. આ ઘટના ભક્તિનગર અને રિબડા રેલવે સ્ટેશન વચ્ચે આવેલા માલઘારી ફાટક નજીક બની હતી. મળતી માહિતી અનુસાર, અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે જ બે વ્યક્તિઓના મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે અફરાતફરી 2 ફેબ્રુઆરીના રોજ વંદે ભારત ટ્રેન તેના નિયમિત સમય મુજબ પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ત્રણ વ્યક્તિઓ ટ્રેનની અડફેટે આવી ગયા હતા. અકસ્માત બાદ ટ્રેનને તાત્કાલિક રોકી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરી ફેલાઈ ગઈ હતી અને લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોએ તરત જ…
ઉત્તરાયણ પર્વ દરમિયાન રાજ્યમાં પતંગની દોરીથી ઘાયલ થયેલ 14 હજારથી વધુ પક્ષીઓને મળ્યું જીવનદાન, જાણો વનમંત્રીએ શું કહ્યું
પશુ-પક્ષી સહિત સમગ્ર જીવ માત્રના કલ્યાણ સાથે મૃદુ, મક્કમ અને સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે. આ કલ્યાણ મંત્ર સાથે ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓની તાત્કાલિક સારવાર માટે વન વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી દર વર્ષે રાજ્યભરમાં ‘કરુણા અભિયાન’ હાથ ધરવામાં આવે છે. આ વર્ષે તા. 10 થી 20 જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન-2026 અંતર્ગત રાજ્યમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન કુલ 16380 ઘાયલ પક્ષીઓને સારવાર અપાઈ હતી. જેમાંથી 14690 પક્ષીઓને સલામત રીતે બચાવી લેવાયા છે એટલે કે 90 ટકા પક્ષીઓને જીવતદાન મળ્યું છે તેમ, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું. વન મંત્રી મોઢવાડિયાએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, કરુણા અભિયાન દરમિયાન અમદાવાદમાંથી સૌથી વધુ 7040 પક્ષીઓને સારવાર અપાઈ…
ગુજરાત પોલીસ PSI ભરતી: 472 બિનહથિયારી પદો માટે 1023 ઉમેદવાર ક્વોલિફાય
ગુજરાત પોલીસ બિનહથિયારી PSI ભરતી 2024-25 અંતર્ગત 472 પદો માટે 1023 ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાય થયા હોવાની સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી છે. આ દસ્તાવેજ ચકાસણીની પ્રક્રિયા ગાંધીનગર કરાઈ ખાતે આવેલી ગુજરાત પોલીસ અકાદમીમાં 5 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાશે. 1,02,935 ઉમેદવારોએ આપી હતી લેખિત પરીક્ષા આ ભરતી પ્રક્રિયામાં શારિરીક કસોટીમાં ક્વોલિફાય થયેલા કુલ 1,02,935 ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. ભરતી બોર્ડના નિયમ મુજબ પેપર-1માં 40 ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર 49,591 ઉમેદવારોના પેપર-2ની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી પેપર-2માં 40 કે તેથી વધુ ગુણ મેળવનાર 8,679 ઉમેદવાર ક્વોલિફાય થયા હતા. ભરતી બોર્ડના નિયમ મુજબ 1023 ઉમેદવાર પસંદ ભરતી બોર્ડના નિયમ અનુસાર કુલ જગ્યાઓના આશરે બે ગણાં ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવે…
ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો, લઘુત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો
ગુજરાતમાં શિયાળાની અસર ફરી એકવાર વધતી જોવા મળી રહી છે. રાજ્યના અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઠંડી વધુ અનુભવાઈ રહી છે. રાજ્યના મુખ્ય શહેરોમાં નોંધાયેલ લઘુત્તમ તાપમાન મુજબ, નલિયામાં 12 ડિગ્રી, કેશોદમાં 14.8, ભુજમાં 15, કંડલામાં 15.5, પોરબંદરમાં 15.5, રાજકોટમાં 15.9, અમરેલીમાં 16.2, ડીસામાં 17.3, ગાંધીનગરમાં 18.6 અને અમદાવાદમાં 19.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં હવામાનમાં મોટો ફેરફાર આવ્યો છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. જ્યારે હિમાલયના રાજ્યોમાં વરસાદ અને બરફવર્ષાનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. હિમાચલ પ્રદેશના શિમલા અને મનાલીમાં સિઝનની પ્રથમ બરફવર્ષા નોંધાઈ…
બજેટને લઈ CM ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાણાંમંત્રી મતિ નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલું 2026-27ના વર્ષનું બજેટ વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું બજેટ છે તેવો સ્પષ્ટ મત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો હતો. કેન્દ્રીય બજેટ અંગે પ્રતિભાવમાં તેમણે કહ્યું કે, કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલું બજેટ ત્રણ કર્તવ્યો પર ઝોંક આપતું બજેટ છે. આ ત્રણ કર્તવ્યોમાં, પ્રથમ કર્તવ્ય આર્થિક વિકાસને વેગ આપીને તેને ટકાવી રાખવાનું, બીજું કર્તવ્ય લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા અને તેમની કેપેસિટી બિલ્ડીંગનું છે. ત્રીજું કર્તવ્ય, સૌના સાથ, સૌના વિકાસના વિઝન સાથે સુસંગત છે અને કૃષિ, પશુપાલન-મત્સ્યોદ્યોગ, સ્વસહાય જૂથો, ગ્રામીણ અર્થતંત્ર, સૌના વિકાસને પ્રાધાન્ય આપે છે. મુખ્યમંત્રી એ કહ્યું કે, આ બજેટમાં ગ્યાન એટલે કે ‘ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ’ તથા દિવ્યાંગજનના પીલર્સ મજબૂત…
પોરબંદરમાં રાજ્યકક્ષાના 8મા આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનારનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો, જાણો શું કહ્યું વનમંત્રીએ
ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન દ્વારા સાંદિપની આશ્રમ, પોરબંદર ખાતે ‘વિશ્વ વેટલેન્ડ દિવસ’ ના પૂર્વે દિને ‘વેટલેન્ડ્સ એન્ડ ટ્રેડિશનલ નોલેજ: સેલિબ્રેટિંગ કલ્ચરલ હેરીટેજ’ વિષય પર બે દિવસીય ‘8માં આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન સેમીનારના અધ્યક્ષ સ્થાને વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વેટલેન્ડ્સના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, પોરબંદર જિલ્લો કુદરતી રીતે સમૃદ્ધ છે અને અહીં ૨૨૫ થી વધુ નાના-મોટા વેટલેન્ડ્સ આવેલા છે. વેટલેન્ડ્સએ માત્ર જળાશયો નથી પણ પૃથ્વીની સુરક્ષા માટે અનિવાર્ય છે, તેથી તેમણે શાળાઓમાં ‘વેટલેન્ડ ક્લબ’ બનાવી નવી પેઢીને પ્રકૃતિ સાથે જોડવા પર ભાર મૂક્યો હતો. રાજ્યમાં સિંહોની વસ્તીમાં 32% નો નોંધપાત્ર વધારો…
વિશ્વ વેટલેન્ડ દિવસ 2026: કચ્છનું છારી-ઢંઢ બન્યું ગુજરાતનું પાંચમું રામસર સાઇટ
“રેલાય છે જ્યાં કુદરતની હેલી, એ જ છે આપણી વેટલેન્ડની શૈલી; જળ છે તો જીવન છે, અને વેટલેન્ડ છે તો પૃથ્વીનું સંતુલન છે.” દર વર્ષે 2 ફેબ્રુઆરીના રોજ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ વેટલેન્ડ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. વેટલેન્ડ્સ એટલે કે જળપ્લાવિત વિસ્તારો પૃથ્વીની ઇકોસિસ્ટમનો એક અનિવાર્ય હિસ્સો છે, જે જૈવવિવિધતા જાળવવામાં અને પર્યાવરણના સંતુલનમાં પાયાની ભૂમિકા ભજવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ જળાશયો, નદીઓ, કાદવ-કીચડવાળા વિસ્તારો અને દરિયાકાંઠાના ભાગોના સંરક્ષણ માટે જાગૃતિ લાવવાનો છે. 1971માં ઈરાનના ‘રામસર’ શહેરમાં વેટલેન્ડ્સના સંરક્ષણ માટે એક આંતરરાષ્ટ્રીય સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેને ‘રામસર સંમેલન’ તરીકે ઓળખવામાં આવે છે. ભારત આ સંધિમાં 1982માં જોડાયું હતું અને ત્યારથી દેશમાં વેટલેન્ડ્સના સંરક્ષણ માટેના પ્રયત્નો અમૃતકાળમાં નવી ઊંચાઈએ પહોંચ્યા છે. સમગ્ર…
કિષ્ના સ્કૂલ ઓફ સાયન્સ બની વિકૃતોનો અડ્ડો, શિક્ષણ જગત શર્મસાર | B india
કિષ્ના સ્કૂલ ઓફ સાયન્સ બની વિકૃતોનો અડ્ડો શિક્ષણ જગત શર્મસાર, વિદ્યાધામમાં વિકૃતી અમુક વિકૃતોનાં કારણે વિદ્યાધામ લજાય છે ગાંધીનગરની સ્કૂલનાં સંચાલકોએ હદ વટાવી નરાધમ રાજના રાજપાઠથી અનેકનું શોષણ રાજની સાથે સાથે મિત્રોને પણ વિકૃત મિજબાની શોષિતનાં મિત્રનો વિડીઓ આવ્યો સામ છોકરાએ આપી વિડીઓમાં સંપૂર્ણ વિગતો રાજની સાથે સાથે કોણ કોણ મિત્રો કરે છે શોષણ કોણ કોણ વિકૃત – નરાધમો છે આ કૃત્યમાં સામેલ કચ્છનાં કોણ મિત્રો વિદ્યાર્થીઓનું કરે છે શોષણ તપાસ કરાશે તે સામે આવશે નરાધમોનાં ચહેરા શિક્ષણનાં મંદિરમાં શેતાનનું સામ્રાજ્ય થશે ઉજાગર વિકૃત નરાધમોને નથી શરમ નથી કાયદાનો ડર (અહેવાલ – હરીશ મેઘવંશી) Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
પોરબંદરમાં આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર; બે નવા વેટલેન્ડને રામસર સાઈટ બનાવવા પ્રસ્તાવ
ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ-‘ગીર’ ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા તા.01 અને 02 ફેબ્રુઆરી 2026ના રોજ પોરબંદર ખાતે ૦૮મા ‘આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ’ સેમિનાર-કમ-વર્કશોપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સેમિનારનું ઉદ્ઘાટન તા. ૦૧ ફેબ્રુઆરીએ વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે તેમજ રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવશે. દર વર્ષે ગુજરાત સહિત વિશ્વભરમાં તા.૦૨ ફેબ્રુઆરીએ ‘આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ- જળપ્લાવિત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ બે દિવસીય સેમિનાર વિશ્વ વેટલેન્ડ્સ દિવસ-૨૦૨૬ની વૈશ્વિક થીમ “જળપ્લાવિત વિસ્તાર અને પરંપરાગત જ્ઞાન: સાંસ્કૃતિક વારસાનો ઉત્સવ” સાથે સંકળાયેલો છે. જેનો મુખ્ય ઉદ્દેશ જળપ્લાવિત વિસ્તાર,તેને આનુષંગિક પરંપરાગત જ્ઞાન અને સાંસ્કૃતિક વારસા વચ્ચેના આંતરસબંધોને સમજવાનો અને વધુ મજબૂત બનાવવાનો છે. સાથોસાથ પરંપરાગત તેમજ સ્થાનિક જ્ઞાનને જળપ્લાવિત વિસ્તારના સાતત્યપૂર્ણ સંરક્ષણ અને વ્યવસ્થાપનમાં પણ સહભાગી બનાવવાનો છે.…
















