પોરબંદરમાં આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર; બે નવા વેટલેન્ડને રામસર સાઈટ બનાવવા પ્રસ્તાવ
ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ-‘ગીર’ ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા તા.01 અને 02 ફેબ્રુઆરી 2026ના રોજ પોરબંદર ખાતે ૦૮મા ‘આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ’ સેમિનાર-કમ-વર્કશોપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સેમિનારનું ઉદ્ઘાટન તા. ૦૧ ફેબ્રુઆરીએ વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે તેમજ રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવશે. દર વર્ષે ગુજરાત સહિત વિશ્વભરમાં તા.૦૨ ફેબ્રુઆરીએ ‘આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ- જળપ્લાવિત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ બે દિવસીય સેમિનાર વિશ્વ વેટલેન્ડ્સ દિવસ-૨૦૨૬ની વૈશ્વિક થીમ “જળપ્લાવિત વિસ્તાર અને પરંપરાગત જ્ઞાન: સાંસ્કૃતિક વારસાનો ઉત્સવ” સાથે સંકળાયેલો છે. જેનો મુખ્ય ઉદ્દેશ જળપ્લાવિત વિસ્તાર,તેને આનુષંગિક પરંપરાગત જ્ઞાન અને સાંસ્કૃતિક વારસા વચ્ચેના આંતરસબંધોને સમજવાનો અને વધુ મજબૂત બનાવવાનો છે. સાથોસાથ પરંપરાગત તેમજ સ્થાનિક જ્ઞાનને જળપ્લાવિત વિસ્તારના સાતત્યપૂર્ણ સંરક્ષણ અને વ્યવસ્થાપનમાં પણ સહભાગી બનાવવાનો છે.…
ગુજરાત: SIR પ્રક્રિયામાં 14.70 લાખ ફોર્મ મળ્યા, વાંધા-દાવાની સમયમર્યાદા 30 જાન્યુઆરીએ પૂર્ણ
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી. મુસદ્દા યાદીમાં નાગરિકો પોતાના દાવાઓ અને વાંધાઓ રજૂ કરી શકે તે માટે અગાઉ તા. 18.01.2026ની સમયસીમા રખાઈ હતી જે બાદમાં ભારતના ચૂંટણીપંચે 30.01.2026 નિર્ધારીત કરી હતી. આ સમયગાળા દરમિયાન રાજ્યભરમાંથી નાગરિકો તરફથી કુલ 14,70,125 ફોર્મ્સ મળ્યા છે. જેમાં ફોર્મ નં 6ની કુલ સંખ્યા 7,25,920 છે, ફોર્મ નં 7ની કુલ સંખ્યા 1,83,235 છે જ્યારે ફોર્મ નં 8ની કુલ સંખ્યા 5,60,970 છે. જિલ્લાવાર મળેલા ફોર્મ્સની યાદી નીચે પ્રમાણે છે. જિલ્લાવાર મળેલા…
પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ, ‘છારી-ઢંઢ’ હવે સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ જાહેર
કચ્છના ગૌરવમાં વધારો: બન્નીનું રતન ‘છારી-ઢંઢ’ હવે સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ જાહેર કરાઈ છે.ગુજરાતનું આ પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છે છારી-ઢંઢ.ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત છે કે કચ્છ જિલ્લામાં આવેલ ‘છારી ઢંઢ પક્ષી અભયારણ્ય’ને આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા રામસર વેટલેન્ડ્સની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. આ સાથે ગુજરાતમાં રામસર સાઇટ્સની સંખ્યા હવે વધીને પાંચ થઈ છે. આ અંગે વધુ માહિતી આપતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્યતા, સ્થાનિક વિકાસ અને વૈશ્વિક ઓળખ સહિતના ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે. દેશના કુલ વેટલેન્ડ ક્ષેત્રફળના 21 ટકા કરતાં વધુ હિસ્સો ગુજરાતનો મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત વેટલેન્ડ્સના સંરક્ષણ અને સંવર્ધનમાં હંમેશા અગ્રેસર…
Bharuch : અંકલેશ્વર મનુબર એક્સપ્રેસવે પ્રા.લિ. દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
રિયાઝ પટેલ, અંકલેશ્વર/ નેશનલ રોડ સેફ્ટી માસ – જાન્યુઆરી 2026 અંતર્ગત અંકલેશ્વર મનુબર એક્સપ્રેસવે પ્રાઇવેટ લિમિટેડ દ્વારા યુનિટી બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત યુનિટી બ્લડ બેંકના ડૉક્ટર ઓમકર સિંહ પરિહાર તથા તેમની ટીમનું અંકલેશ્વર મનુબર એક્સપ્રેસવે પ્રાઇવેટ લિમિટેડના સ્ટાફ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી આત્મીય સ્વાગત સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ યુનિટી બ્લડ બેંકની અનુભવી ટીમ દ્વારા બ્લડ ડોનેશનની કામગીરી સુચારૂ અને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રસંગે રૂટ મેનેજર દિલીપકુમાર મેવાડા, પ્રોજેક્ટ મેનેજર આનંદ વાઘેલા, ટોલ મેનેજર રવિ યાદવ, ઇન્સિડેન્ટ મેનેજમેન્ટ ટીમ તેમજ દહેગામ ટોલ પ્લાઝા સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બ્લડ કેમ્પ અંતર્ગત અંદાજે 50 જેટલા યુનિટ બ્લડ એકત્રિત થયું હતું. જે જરૂરિયાતમંદ દર્દીઓ…
ગુજરાતના 35 IAS અને 10 IPS અધિકારીઓ 5 ફેબ્રુઆરીએ ચૂંટણી તાલીમ માટે દિલ્હી જશે
દેશમાં આગામી વિધાનસભા ચૂંટણીના પ્રારંભને ધ્યાને લઈને ગુજરાતના 45 અધિકારીઓને ચૂંટણી કામગીરી માટે પસંદ કરવામાં આવ્યું છે. તેમાં 35 IAS અને 10 IPS અધિકારીઓનો સમાવેશ થાય છે. આ અધિકારીઓ 5મી ફેબ્રુઆરીએ દિલ્હી જઈને ચૂંટણી કામગીરીની તાલીમ લેશે અને પછી પોતાના-રાજ્યમાં જવાબદારીઓ ભજવશે. ઓબ્ઝર્વર તરીકે તાલીમ: આ અધિકારીઓ આસામ, કેરળ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પોંડીચેરીમાં આવનારી ચૂંટણીમાં ઓબ્ઝર્વર તરીકે ફરજ બજાવશે. એક દિવસની વિશેષ તાલીમ બાદ તેમને ચોક્કસ જવાબદારીઓ સોંપવામાં આવશે. પસંદગી પામેલા 35 IAS અધિકારીઓમાં સમાવિષ્ટ છે: આરતી કંવર, સંદીપ કુમાર, રૂપવંત સિંહ, પી. સ્વરૂપ, પ્રવિણ સોલંકી, અવંતિકા સિંહ, રાકેશ શંકર, રાજકુમાર બેનીવાલ, રાજેશ મંજુ, રાજેન્દ્ર કુમાર, રાહુલ ગુપ્તા, પી. ભારતી, રણજીત કુમાર જે, હર્ષદ પટેલ, આલોક પાંડે, જેનું દેવન, સંદીપ કુમાર, અરવિંદ કુમાર, ધવલ પટેલ,…
ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો: પવનની દિશા બદલાતા લોકોને આંશિક રાહત
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. પવનની દિશા બદલાતા રાજ્યના અનેક શહેરોમાં ઠંડીમાંથી આંશિક રાહત મળી છે. હાલ કંડલામાં 12.6 ડિગ્રી, ભુજમાં 12.6 ડિગ્રી, અમરેલીમાં 14.6 ડિગ્રી, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી, દ્વારકામાં 15.8 ડિગ્રી અને અમદાવાદમાં 15.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બીજી તરફ હવામાન વિભાગ (IMD) દ્વારા ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાં વરસાદ અને બરફવર્ષા: રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોડી રાતથી વરસાદ શરૂ થયો છે. હિમાલયના રાજ્યોમાં વધુ એક રાઉન્ડમાં વરસાદ અને બરફવર્ષા થઈ રહી છે. હિમાચલ પ્રદેશના શિમલા અને મનાલીમાં સિઝનની પ્રથમ બરફવર્ષા નોંધાઈ છે. આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને…
પોલીસ ભરતી: અમદાવાદમાં RFID-CCTV મોનીટરીંગ વ્યવસ્થાનું ડૉ. કે.એલ.એન. રાવે કર્યું અવલોકન
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાલમાં ચાલી રહેલી PSI અને લોકરક્ષક સંવર્ગની ભરતી પ્રક્રિયાના ભાગરૂપે, આજે વહેલી સવારે રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન.રાવ દ્વારા અમદાવાદ ખાતે સૈજપુરબોઘા ગ્રાઉન્ડની સીધી મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન રાજ્યના પોલીસ વડા દ્વારા ભરતી પ્રક્રિયાની પારદર્શિતા અને ચોકસાઈ ચકાસવા માટે કેટલીક મહત્વની બાબતો પર વ્યક્તિગત અવલોકન કરવામાં આવ્યું હતું. જેમાં ઉમેદવારોના કોલલેટરની ચકાસણી, ચેસ્ટ નંબર અને RFID ટેગ ફાળવવાની પ્રક્રિયાની સમીક્ષા કરવામાં આવી હતી. તે ઉપરાંત રનિંગ ટ્રેક પર ટેકનોલોજીના માધ્યમથી દરેક ઉમેદવારના લેપ-વાઈઝ રેકોર્ડિંગ અને વ્યક્તિગત ટાઈમિંગની ગણતરી કેવી રીતે થાય છે તેનું નિરીક્ષણ કરવામાં હતું. એટલું જ નહીં, કોઈપણ પ્રકારની ક્ષતિ ન રહે અને સમગ્ર પ્રક્રિયા પારદર્શક થાય તે માટે લગાવવામાં આવેલા CCTV કેમેરા અને ટેકનિકલ સ્ટાફની કામગીરીનું…
રાજ્યના આરોગ્ય વિભાગમાં 83 અધિકારીઓની બઢતી-બદલીના આદેશ, જાણો વિગત
રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં 83 અધિકારીઓની બઢતી અને બદલીના આદેશ બહાર પાડવામાં આવ્યા છે. આ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે લેવાયો છે અને આરોગ્ય વિભાગમાં કાર્યક્ષમતા વધારવાનું મુખ્ય ઉદ્દેશ છે. મુખ્ય ફેરફારો: મદદનીશ કમિશનર (ક્લાસ-1)ના 11 અધિકારીઓને બઢતી સાથે નવી જગ્યાએ બદલી કરાઇ. વર્ગ-2ના 34 ડ્રગ ઇન્સપેક્ટર અને વર્ગ-2 (મેટ્રિક લેવલ-8, ગ્રેડ પે)ના 28 ઔષધ નિરીક્ષકોની બદલી કરાઇ. વર્ગ-2ના 10 ડ્રગ ઇન્સપેક્ટરોને બઢતી આપી મદદનીશ કમિશનર (ક્લાસ-1) તરીકે નિયુક્તિ આપવામાં આવી. આ આદેશ હેઠળ અનેક સહાયક કમિશનર અને ડ્રગ ઇન્સ્પેક્ટર્સને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે, જેથી આરોગ્ય વિભાગના કામગીરીમાં સુધારો લાવવામાં મદદ મળે. GAS કેડરના અધિકારીઓની ટ્રાન્સફર: ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS) કેડરના 16 અધિકારીઓને વિવિધ વિભાગોમાં બદલીના આદેશ આપવામાં આવ્યા છે. આ…
રાજ્યના 2666 ગામોને મળશે પોતીકા ગ્રામ પંચાયત ઘર, એક જ સ્થળેથી કરાયું ઈ-ખાતમૂહર્ત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 2666 ગ્રામ પંચાયતો માટે પોતીકા ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસના એક સાથે એક જ સ્થળેથી ઈ-ખાતમૂહર્ત કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારત માટે ગામોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર જે ફોકસ કર્યુ છે તેમાં ગુજરાત અગ્રેસર રહેવા પ્રતિબદ્ધ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન એ 100 ટકા લક્ષ્યાંક સિદ્ધીનો આપેલો સેચ્યુરેશન એપ્રોચ ગુજરાતમાં સાકાર કરવા આગામી દિવસોમાં રાજ્યની બધી જ ગ્રામ પંચાયતોને પોતીકા પંચાયત ઘર કમ તલાટી આવાસ આપવાનો મહત્વકાંક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. રાજ્યના આ 2666 ગામોમાં કુલ રૂ. 663 કરોડના ખર્ચે નિર્માણ થનારા ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસને પરિણામે ગ્રામીણ નાગરિકોને સ્થાનિક સ્તરેથી જ સરકારી સેવાઓ સરળતાએ ઉપલબદ્ધ થશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ આ પ્રસંગે વ્યક્ત…
કુવૈત-દિલ્હી ફ્લાઇટને મળી બોમ્બ અને હાઇજેકની ધમકી, અમદાવાદમાં કરાયું ઇમરજન્સી લેન્ડિંગ
અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, વિમાન કુવૈતથી દિલ્હી આવી રહ્યું હતું. આ દરમિયાન, વિમાનની અંદરથી એક ટીશ્યુ પેપર મળી આવ્યું જેમાં વિમાનને હાઇજેક કરીને ઉડાવી દેવાની ધમકી લખેલી હતી. ટીશ્યુ પેપર પર નોંધ મળતાં વિમાનમાં હોબાળો મચી ગયો હતો. વિમાનને તાત્કાલિક અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. કુવૈતથી દિલ્હી આવી રહેલી ઇન્ડિગોની ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. ત્યારબાદ ફ્લાઇટમાં સવાર 180 મુસાફરો અને તેમના સામાનની તપાસ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, કુવૈતથી દિલ્હી આવી રહેલી ઇન્ડિગો ફ્લાઇટમાં ટીશ્યુ પેપર પર લખેલી એક નોટ મળી આવી હતી. ટીશ્યુ પેપર પર લખેલી આ નોટમાં વિમાનને હાઇજેક કરીને ઉડાવી દેવાની…
















