મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરપંચો માટે લીધો મહત્વનો નિર્ણય, વિધાનસભામાં યોજાશે વિશેષ તાલીમ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોના વિકાસને પ્રોત્સાહન આપવા અને પંચાયત વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના તમામ સરપંચોને ‘ગ્રામ શક્તિ’ અંગે વિશેષ તાલીમ આપવામાં આવશે, જે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વિધાનસભા ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ ઉપસ્થિત રહેશે.

તાલીમમાં શું શીખવવામાં આવશે?
આ એક દિવસીય તાલીમમાં સરપંચોને ગ્રામ શક્તિ યોજના અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવશે. મુખ્યમંત્રીના મતે, સરપંચો ગામના વિકાસના મુખ્ય આધારસ્તંભ છે, અને તેમને યોગ્ય તાલીમ મળવાથી આત્મનિર્ભરતા અને પારદર્શક વહીવટને પ્રોત્સાહન મળશે.

2666 ગામોમાં પોતીકા ગ્રામ પંચાયત ઘર
મુખ્યમંત્રી દ્વારા રાજ્યના 2666 ગ્રામ પંચાયતો માટે પોતીકા ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસનું ઈ-ખાતમૂહર્ત કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટમાં રૂ. 663 કરોડનો ખર્ચ થશે અને પરિણામે ગ્રામ્ય નાગરિકોને સ્થાનિક સ્તરે જ સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થશે. મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર ભારત વિઝન હેઠળ ગુજરાત પ્રગતિના પાયલોટ રાજ્ય તરીકે આગળ રહેશે.

મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યમાં ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’નું રાજ્યવ્યાપી લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. યોજનાનો પ્રથમ તબક્કો 114 તાલુકા મથકના એવા ગામો પર કેન્દ્રિત રહેશે, જે તાલુકા મથક છે પરંતુ નગરપાલિકા નથી. તેમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી, સ્વચ્છતા, સોલાર સ્ટ્રીટ લાઈટ, ઈ-ગ્રામ અને કોમ્યુનિટી હોલ સહિતની આધુનિક સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે.

મુખ્યમંત્રીના જણાવ્યા મુજબ, આગામી સમયમાં 10,000 થી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને આ યોજનામાં આવરી લેવાશે. પરિણામે ગ્રામ્ય અને શહેરી વિકાસ વચ્ચેનો તફાવત ઘટશે, અને સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસનું ધ્યેય સાર્થક થશે.

ગ્રામ વિકાસને કેન્દ્રસ્થાને રાખીને વિશેષ આયોજન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વિકાસના ગતિમાન સ્કેલ અને શહેરીકરણના દબાણને સંતુલિત કરવા માટે ગ્રામ વિકાસને કેન્દ્રસ્થાને રાખીને વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં પ્રથમવાર આવા કેન્દ્રિત અને વ્યાપક પ્રોગ્રામ દ્વારા ગ્રામ પંચાયતોના ઉત્થાનને પ્રોત્સાહન મળવાનું છે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

USA દરિયામાં 9 મહિનાથી ફસાયેલા નૌસૈનિકોની હાલત શું ? Unbreakable Spirit

સવારે મારી આંખ ન ખુલે તો સારું…’: દરિયામાં કૂદવાનો પ્રયાસ, 9 મહિનાથી સમુદ્રમાં ફસાયેલા USA નૌસૈનિકોની હાલત શું?  9 મહિનાથી સમુદ્રમાં તૈનાત USA નૌસૈનિકો માનસિક અને શારીરિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. જાણો સમગ્ર મામલો. USA નૌસેનાને લઈને એક ગંભીર અને ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. લાંબા સમયથી સમુદ્રમાં તૈનાત USA નૌસૈનિકો ભારે માનસિક અને શારીરિક દબાણનો સામનો કરી રહ્યા હોવાના દાવા કરવામાં આવ્યા છે. અહેવાલમાં કેટલાક નૌસૈનિકોની સ્થિતિ એટલી ગંભીર હોવાનું જણાવાયું છે કે તેમણે દરિયામાં કૂદવાનો પ્રયાસ કર્યો હોવાની વાત સામે આવી છે.લાંબા સમય સુધી પરિવારથી દૂર રહેવું, સતત દરિયામાં ફરજ બજાવવી, ઊંઘની અછત અને યુદ્ધ જેવી પરિસ્થિતિનું જોખમ નૌસૈનિકો માટે ગંભીર પડકાર બની શકે છે. 9 મહિનાથી સમુદ્રમાં તૈનાત…

IPO Action Strong Debut On August 14: શેરબજાર અને IPOમાં મોટો ધમાકો

August આજના IPO સમાચાર: Shiprocket અને BL Engineering IPO માટે આજે છેલ્લો દિવસ, LEAP Indiaનું લિસ્ટિંગ 14 ઓગસ્ટ 2026ના આજના IPO અને શેરબજારના સમાચાર જાણો. Shiprocket અને BL Engineering IPOની બિડિંગ આજે બંધ થશે, જ્યારે LEAP India અને Technocraft Venturesના શેરનું લિસ્ટિંગ થયું છે. ભારતીય શેરબજારમાં આજે એટલે કે 14 ઓગસ્ટ 2026ના રોજ IPO સેગમેન્ટમાં ખાસ હલચલ જોવા મળી રહી છે. રોકાણકારોની નજર ખાસ કરીને Shiprocket IPO અને BL Engineering IPO પર છે, કારણ કે બંને IPOમાં બિડિંગ કરવાનો આજે છેલ્લો દિવસ છે. બીજી તરફ શેરબજારમાં LEAP Indiaના શેરનું NSE અને BSE પર લિસ્ટિંગ થયું છે. આ ઉપરાંત Technocraft Venturesના શેરની પણ બજારમાં એન્ટ્રી થઈ છે. August Shiprocket IPO માટે આજે છેલ્લો દિવસ August Shiprocket IPO…