સુરતમાં એક વર્ષની બાળકીનું મોત, જુઓ અહીં શું થયું હતું…

માતા પિતાની બેદરકારીના કારણે ઘણી વાર વિચાર્યા ન હોય તેવા પરિણામોનો સામનો કરવો પડે છે. ત્યારે આવો કિસ્સો તાજેતરમાં સુરતમાં સર્જાયો હતો. જેના કારણે પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. સુરતના ભેસ્તાનમાં મા-બાપ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો હતો. જેમાં મા બાપની બેદરકારીના કારણે એક નાના બાળકનું મૃત્યુ નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ સુરતના ભેસ્તાન વિસ્તારના એક ઘરમાં બાળકીને એકલા મુકીને વાલી ઘરના કામ કરી રહ્યા હતા. આ ટાણે એક વર્ષની બાળકી રમતા રમતા પહેલા માળથી નીચે પટકાઇ હતી. આ ઘટનાની જાણ ઘરનાને થતા તેઓ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન એક વર્ષની બાળકીનું મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટનાને લઇ પરિવારમાં શોકનો માહોલ ફેલાયો હતો. આ ઘટનાને લઇ લોકોમાં વિવિધ ચર્ચાઓ પણ…

બરવાળા : શ્રીલક્ષ્મણજી મહારાજના મંદિરના પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી ઇશ્વરદાસજી બાપુના પ્રાગટ્ય દિવસની દર વર્ષની જેમ આ વર્ષે પણ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.

B INDIA BOTAD : બરવાળા ખાતે આવેલ શ્રી લક્ષ્મણજી મંદિરમાં પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ શ્રી ઇશ્વરદાસજી મહારાજ નો વંસત પંચમી ના દિવસે તારીખ.૨/૨/૨૦૨૫ ના રોજ ૧૦૪ મો જન્મદિવસ ( પ્રાગટય દિવસ) મનાવવામાં આવ્યો હતો જેમાં ૩૦૦૦ જેટલી માં દુર્ગા સ્વરૂપ દિકરાઓને પગ ધોઇને પૂજન કરવામાં આવેલ અને તેમને ભોજન કરાવી ઉપહાર અને દક્ષિણા અર્પણ કરવામાં આવેલ જેમા ૧૫૧- કીલો પેંડા દરેક દિકરીઓને દશ-દશ રૂપિયા અને એક-એક ગળામાં પહેરવાનો હાર આપવામાં આવ્યો.  

IT એન્જિનિયરની ધરપકડ, દિલ્હીથી ડ્રગ્સ મંગાવી અમદાવાદમાં કરતો વેચાણ

B INDIA અમદાવાદ : અમદાવાદમાં ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. શહેર SOG ક્રાઈમે બાતમીનાં આધારે ઓઢવ ચાર રસ્તા પાસેથી એમડી ડ્રગ્સ સાથે જયકિશન ખંડેલવાલ નામનાં શખ્સની ધરપકડ કરી હતી. આરોપીની તપાસ કરતા તેની પાસેથી 1.73 લાખની કિંમતનું 17 ગ્રામ્ 360 મીલીગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. મળતી માહિતી મુજબ, આ આરોપી મોટેરા વિસ્તારમાં રહે છે. અને IT એન્જિનિયરીંગનો અભ્યાસ કરી ચુક્યો છે. પહેલા તે પોતે ડ્રગ્સનો બંધાણી બન્યો અને બાદમાં વેચાણ શરૂ કર્યું અને દિલ્હીથી ડ્રગ્સ મંગાવી અમદાવાદમાં છૂટક વેચાણ કરતો હતો. આરોપી ડિલિવરી કરનાર શખ્સ પાસેથી આ ડ્રગ્સ લઈને પોતાની કારમાં ઓઢવથી મોટેરા તરફ જઈ રહ્યો હતો. ત્યારે તેને કાર સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીની વધુ તપાસ કરતા સામે આવ્યું તે આ રીતે…

અમરેલીમાં ત્રિપલ અકસ્માત, 2 લોકોના મોત, 4 ઈજાગ્રસ્ત

B INDIA અમરેલી : અમરેલીના રાજુલા પાસેના બારપટોળી ગામ નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. જેમાં 3 મોટર સાયકલ એકબીજા સાથે અથડાતા મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. હાલમાં તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે રાજુલાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને વધુ સારવાર શરૂ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે અકસ્માતમાં એક મોટલ સાયકલ ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો છે. ત્યારે અકસ્માતની ઘટના બાબતે રાજુલા પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ગુનો નોંધીને અકસ્માતની ઘટના બાબતે વધુ તપાસ શરૂ કરી છે. -> અગાઉ અકસ્માતની 4 ઘટના બની હતી :- સુરેન્દ્રનગર શહેરના દુધરેજ, મલ્હાર ચોક, ધ્રાંગધ્રા હાઈવે…

અરુણ જેટલી સ્ટેડિયમમાં સુરક્ષામાં ખામી, 3 ચાહકો બેરિકેડ તોડીને કોહલીને મળવા મેદાનમાં ઘૂસ્યા

અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી અને રેલવે વચ્ચે રમાઈ રહેલી રણજી ટ્રોફી મેચ દરમિયાન સુરક્ષામાં મોટી ખામી સર્જાઈ હતી. જ્યારે ત્રણ અતિ ઉત્સાહી ચાહકો બેરિકેડ તોડીને વિરાટ કોહલીને મળવા મેદાનમાં ઘૂસી ગયા હતા. ચાહકો માટે સુરક્ષા ઘેરાબંધી તોડીને પોતાના ક્રિકેટ હીરોને મળવા જવું સામાન્ય છે, પરંતુ આંતરરાષ્ટ્રીય મેચો દરમિયાન આ વધુ સામાન્ય છે. હવે રણજીમાં પણ આવું બન્યું છે. ૧૨ વર્ષ પછી કોહલીની રણજી ટ્રોફીમાં વાપસીને કારણે, મોટી સંખ્યામાં ચાહકો અરુણ જેટલી સ્ટેડિયમ પહોંચ્યા હતા. સામાન્ય રીતે રણજી ટ્રોફીની મેચ ખાલી સ્ટેડિયમમાં રમાતી હોય છે. કોહલીની હાજરીને કારણે મેચમાં કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી, પરંતુ તેમ છતાં, ત્રણ ચાહકો 20 થી વધુ ગાર્ડના જૂથને ચકમો આપીને મેદાનમાં પ્રવેશવામાં સફળ રહ્યા. જોકે, આ ત્રણ ચાહકો તરત જ…

પોરબંદર: વધુ એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોખીરામાં સ્કૂલને ઇમેઇલ કરનારની શોધખોળ શરૂ

B INDIA પોરબંદર : પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલા INS સરદાર પટેલ નેવલ બેઝની નેવી ચિલ્ડ્રન્સ સ્કૂલને બોમ્બની ધમકી મળી છે. ત્યાર બાદ લોકોમાં ભયનો માહોલ છે. સ્કૂલમાં પ્રિન્સિપાલ દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ધમકી ભર્યા ઇમેઇલના પગલે સ્કૂલમાં ચેકિંગ હાથ ધર્યું હતું,. અને ઇમેઇલ મોકલનારની શોધખોળ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, 31 જાન્યુઆરીના રોજ સ્કૂલના ઈમેલ આઈડી પર એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે સ્કૂલમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. અને તે બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટ અને નફરત ફેલાવી રહ્યો છે. ધમકીભર્યા ઈમેલ બાદ સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. SOG અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને વિગતવાર તપાસ હાથ ધરી હતી. જોકે,…

અનુપમા સ્પોઇલર: પ્રેમ-રાહીની પ્રેમકહાનીમાં નવો વળાંક આવશે, મોતી બાને હાર્ટ એટેક આવશે, જાણો ટ્વિસ્ટ

ટીવી સિરિયલ અનુપમામાં દરરોજ નવું નાટક જોવા મળી રહ્યું છે. હવે વાત રાહી અને પ્રેમની પ્રેમકથા પર આવી છે, જેમાં એક મોટો વળાંક આવવાનો છે. શાહ પરિવાર અને અનુપમાની મદદથી, રાહી અને પ્રેમ એક થવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ પરાગ કોઠારી પ્રેમ અને રાહીની પ્રેમકહાનીમાં સૌથી મોટો કાંટો બની ગયો છે. અત્યાર સુધી એવું દર્શાવવામાં આવ્યું છે કે કોઠારી પરિવારમાં હંગામો છે.પરાગ કોઠારીએ પ્રેમ અને આખા શાહ પરિવારનું અપમાન કર્યું છે અને તેમને ઘરમાંથી કાઢી મૂક્યા છે. પરાગના આ કૃત્યથી મોતી બા ખૂબ જ દુઃખી થઈ જાય છે. બીજી બાજુ, શાહ પરિવાર પોતાનો બધો ગુસ્સો અનુપમા અને રાહી પર ઠાલવે છે. પણ ૧ ફેબ્રુઆરીના એપિસોડમાં તેનાથી પણ વધુ હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળશે. -> માહી…

દેવા બીઓ ડે 1: શાહિદની ‘દેવા’ શરૂઆતના દિવસે ધીમી રહી, પાછલી ફિલ્મોનો રેકોર્ડ તોડી શકી નહીં

શાહિદ કપૂર અને પૂજા હેગડે સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘દેવા’ 31 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મનું નિર્દેશન મલયાલમ ફિલ્મ દિગ્દર્શક રોશન એન્ડ્રુઝે કર્યું છે. હવે ફિલ્મના પહેલા દિવસના કલેક્શનનો રિપોર્ટ પણ બહાર આવ્યો છે, જેમાં ફિલ્મની શરૂઆત પહેલા જ દિવસે ધીમી રહી હતી. ફિલ્મમાં શાહિદ કપૂર એક પોલીસ અધિકારીની મજબૂત ભૂમિકામાં જોવા મળે છે, જ્યારે પૂજા હેગડે તેની મુખ્ય અભિનેત્રી છે.ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ આ ફિલ્મ હેડલાઇન્સમાં રહી અને ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું. પરંતુ આ પછી પણ ફિલ્મ શરૂઆતના દિવસે સારું પ્રદર્શન કરી શકી નહીં. શરૂઆતના દિવસે દર્શકોની પ્રતિક્રિયા જોઈને એવું લાગતું હતું કે ‘દેવા’ શાહિદ કપૂરની પાછલી બધી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખશે. પરંતુ ફિલ્મ પહેલા દિવસે માત્ર 5…

હે ભગવાન! રાજામૌલીની ફિલ્મ માટે પ્રિયંકા ચોપરા આટલી મોટી ફી લઈ રહી છે, તમે ચોકી જશો

પ્રિયંકા ચોપરા જ્યારથી હોલીવુડ ગઈ છે, ત્યારથી તેના ભારતીય ચાહકો તેના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. ભલે તે 2021 માં ફિલ્મ “ધ વ્હાઇટ ટાઇગર” માં દેખાઈ હતી, પરંતુ તેને મોટા પડદા પર આવ્યાને વર્ષો થઈ ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે પ્રિયંકા ફરહાન અખ્તરની આગામી ફિલ્મ જી લે ઝરાથી બોલિવૂડમાં વાપસી કરશે, પરંતુ હવે તે દક્ષિણની ફિલ્મથી પોતાની ઓળખ બનાવવા આવી રહી છે. પ્રિયંકા ચોપરાએ બાહુબલી અને આરઆરઆર જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપનારા પીઢ ભારતીય દિગ્દર્શક એસએસ રાજામૌલી સાથે હાથ મિલાવ્યા છે. પ્રિયંકા રાજામૌલીની આગામી ફિલ્મ SSMB 29 માં સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુ સાથે મુખ્ય ભૂમિકા ભજવવા જઈ રહી છે. -> પ્રિયંકાએ રાજામૌલીનું ખિસ્સું ઢીલું કર્યું :- પ્રિયંકા ચોપરાએ રાજામૌલી અને મહેશ બાબુ સાથે…

હિના ખાને ડૉક્ટરને લાંચ આપી! અભિનેત્રી રોઝલીન ખાને કેન્સરની સારવાર છુપાવવાનો ગંભીર આરોપ લગાવ્યો

છેલ્લા ૩ વર્ષથી સ્તન કેન્સર સામે ઝઝૂમી રહેલી ટીવી અભિનેત્રી હિના ખાન પર અભિનેત્રી રોઝલીન ખાને ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ અભિનેત્રી પર આરોપ લગાવ્યો કે તેણીએ કેન્સરની સારવારની વિગતો ગુપ્ત રાખવા માટે ડૉક્ટરને પૈસા ચૂકવ્યા હતા. -> શું હિના ખાને ડોક્ટરને પૈસા આપ્યા હતા? :- આપેલા ઇન્ટરવ્યુમાં, રોઝલીન ખાને કહ્યું કે ડૉ. નાડકર્ણીએ આ મામલો જાહેરમાં ઉઠાવવાનું કારણ એ હોઈ શકે છે કે તેમણે લાંચ લીધી છે. રોઝલીન ખાને તેને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો છે. હવે તેમણે આરોપ લગાવ્યો છે કે હિના ખાને તેમના કેન્સરની સારવારની વિગતો છુપાવવા માટે તેમના ડૉક્ટર મંદાર નંદકર્ણીને લાંચ આપી છે. રોઝલીને કહ્યું, ‘એ જોઈને આશ્ચર્ય થાય છે કે મારી સારવાર કરનારા ડૉ. મંદાર નંદકર્ણી…