અમરેલીમાં ત્રિપલ અકસ્માત, 2 લોકોના મોત, 4 ઈજાગ્રસ્ત

B INDIA અમરેલી : અમરેલીના રાજુલા પાસેના બારપટોળી ગામ નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. જેમાં 3 મોટર સાયકલ એકબીજા સાથે અથડાતા મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. હાલમાં તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે રાજુલાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને વધુ સારવાર શરૂ કરવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે અકસ્માતમાં એક મોટલ સાયકલ ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો છે. ત્યારે અકસ્માતની ઘટના બાબતે રાજુલા પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ગુનો નોંધીને અકસ્માતની ઘટના બાબતે વધુ તપાસ શરૂ કરી છે.

-> અગાઉ અકસ્માતની 4 ઘટના બની હતી :- સુરેન્દ્રનગર શહેરના દુધરેજ, મલ્હાર ચોક, ધ્રાંગધ્રા હાઈવે અને દસાડા ગ્રામ્યની હોટલના મેદાનમાં અકસ્માતના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં પાણશીણા હાઈસ્કૂલના શિક્ષિકા સહિત 6 લોકોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. જ્યારે બનાવની ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Related Posts

સાયબર ફ્રોડથી કેવી રીતે બચશો? સુરક્ષિત રહેવા માટેની ૧૦ ગોલ્ડન ટિપ્સ

ડિજિટલ યુગમાં ઓનલાઈન બેંકિંગ, UPI પેમેન્ટ, WhatsApp, સોશિયલ મીડિયા અને ઈ-કોમર્સનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. તેની સાથે જ **સાયબર ફ્રોડ (Cyber Fraud)**ના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.…

“iPhone 18: એપલ કઈ નવી ક્રાંતિની તૈયારી કરી રહ્યું છે? જાણો લેટેસ્ટ રૂમર્સ.”

Apple iPhone 18: શું હશે ખાસ? જાણો આગામી આઈફોન વિશેની અત્યારની અટકળો અને સંભવિત ફીચર્સ! અમદાવાદ: ટેક જગતમાં હંમેશા એક જ પ્રશ્ન ચર્ચાય છે – “Apple હવે પછી શું લાવશે?”…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *