યુક્રેને રશિયા પર ડ્રોન વડે કર્યો મોટો હુમલો, તુઆપ્સે બંદરને થયું ભારે નુકશાન

યુક્રેને રશિયા પર મોટો ડ્રોન હુમલો કર્યો. આ હુમલામાં કાળા સમુદ્ર પર આવેલા રશિયાના તુઆપ્સ બંદરને વ્યાપક નુકસાન થયું હતું. અહેવાલ મુજબ, હુમલો એટલો ગંભીર હતો કે બંદરના એક ભાગમાં આગ લાગી જેના કારણે રશિયન તેલ ટર્મિનલ પ્રભાવિત થયું. રશિયાના હવાઈ સંરક્ષણ એકમે દાવો કર્યો હતો કે હુમલા દરમિયાન 164 યુક્રેનિયન ડ્રોનનો હવામાં નાશ કરવામાં આવ્યો છે. રશિયન સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, રવિવારે રાત્રે યુક્રેન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલા દરમિયાન રશિયાના હવાઈ સંરક્ષણ એકમે 164 યુક્રેનિયન ડ્રોનનો નાશ કર્યો હતો. પ્રાદેશિક અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે યુક્રેનિયન ડ્રોન હુમલાને કારણે કાળા સમુદ્ર પર તુઆપ્સે ખાતે ભારે આગ લાગી હતી, જેના કારણે બંદરને નોંધપાત્ર નુકસાન થયું હતું. ક્રાસ્નોદર ટેરિટરી વહીવટીતંત્રે જણાવ્યું હતું કે ડ્રોનનો કાટમાળ પડવાથી…

રશિયાએ યુક્રેન પર કર્યો મોટો હવાઈ હુમલો, પેસેન્જર ટ્રેન અને રેલ્વે સ્ટેશન પર મચાવી તબાહી

રશિયાએ ઉત્તરીય યુક્રેનિયન પ્રદેશ સુમીમાં હવાઈ હુમલા કર્યા છે. રશિયન હુમલામાં એક પેસેન્જર ટ્રેનને નિશાન બનાવવામાં આવી હતી. પ્રાદેશિક ગવર્નર ઓલેહ હ્રીહોરોવે જણાવ્યું હતું કે રશિયન હુમલાઓમાં રેલ્વે સ્ટેશન અને કિવ જતી ટ્રેનને નિશાન બનાવવામાં આવી હતી. ટ્રેનને નોંધપાત્ર નુકસાન થયું હતું. આ હુમલો રશિયાના ચાલુ હવાઈ હુમલાના ભાગ રૂપે વર્ણવવામાં આવી રહ્યો છે, જે છેલ્લા બે મહિનાથી યુક્રેનના રેલ્વે માળખાને નિશાન બનાવી રહ્યું છે. રશિયા લગભગ દરરોજ યુક્રેનિયન પરિવહન નેટવર્ક પર હુમલા કરી રહ્યું છે. એક દિવસ પહેલા જ, રશિયાએ ખાર્કિવ અને પોલ્ટાવા પ્રદેશોમાં યુક્રેનની રાજ્ય ગેસ અને તેલ કંપની, નાફ્ટોગાઝની સુવિધાઓ પર 35 મિસાઇલો અને 60 ડ્રોન છોડ્યા હતા. નાફ્ટોગાઝના સીઈઓ સેર્ગેઈ કોરેત્સ્કીના જણાવ્યા અનુસાર, આ અત્યાર સુધીનો સૌથી મોટો બોમ્બ વિસ્ફોટ હતો, જેનાથી…

ઝેલેન્સકીએ કહ્યું પુતિન યુદ્ધવિરામ ઇચ્છતા નથી પરંતુ ટ્રમ્પના ડરથી….

યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદીમીર ઝેલેન્સકીએ અમેરિકા દ્વારા રજૂ કરાયેલા 30 દિવસના યુદ્ધવિરામ પ્રસ્તાવ પ્રત્યે ખચકાટ દર્શાવવા બદલ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ટીકા કરી છે. આ સાથે, તેમણે પુતિન પર યુદ્ધવિરામમાં છેડછાડ કરવાનો અને મુશ્કેલીઓ ઊભી કરવાનો આરોપ પણ લગાવ્યો. ઝેલેન્સકીએ યુદ્ધવિરામ પ્રસ્તાવ પ્રત્યે પુતિનના વલણને ચાલાકીભર્યું ગણાવ્યું. તેમણે કહ્યું કે પુતિન વાસ્તવમાં યુદ્ધવિરામ ઇચ્છતા નથી પરંતુ તેઓ આ વાત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સુધી પહોંચાડવા માંગતા નથી. આ પણ વાંચો :- પુતિને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે ફોન પર વાત કરી, જાણો કઇ બાબતે થઇ ચર્ચા ઝેલેન્સકીએ પુતિન પર આરોપ લગાવ્યો કે તેઓ ખરેખર યુદ્ધવિરામનો ઇનકાર કરવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સીધું કહેવાથી ડરતા હતા કે તેઓ યુદ્ધ ચાલુ રાખવા માંગે છે. યુક્રેન…

પેલેસ્ટાઇને બંધકોની યાદી હજુ સોંપી ન હોવાથી ઇઝરાયેલ-હમાસ યુદ્ધવિરામ વિલંબમાં પડ્યો

લોકો લાંબા સમયથી ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં યુદ્ધવિરામની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તે રવિવારે મોકૂફ રાખવામાં આવ્યું હતું જ્યારે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે પેલેસ્ટિનિયન જૂથ દ્વારા બંધકોની યાદી જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી યુદ્ધ વિરામ અમલી બનશે નહીં. .હમાસે યુદ્ધવિરામની શરતો પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરતા કહ્યું હતું કે “પ્રથમ જૂથમાં જાહેર કરવામાં આવનારા લોકોના નામ આપવામાં વિલંબ ટેકનિકલ કારણોસર છે.” જો કે, હમાસે કહ્યું છે કે તે બંધકોની યાદી કોઈપણ સમયે ઈઝરાયેલને સોંપી શકે છે. -> યુદ્ધવિરામના થોડા સમય પહેલા નેતન્યાહુના કાર્યાલય તરફથી નિવેદન જારી કરવામાં આવ્યું હતું :- નેતન્યાહુના કાર્યાલયે યુદ્ધવિરામ શરૂ થવાના એક કલાક કરતાં ઓછા સમય પહેલાં એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે તેમણે “આઇડીએફ (સેના)ને…

યુદ્ધની વાત કરતા પાકિસ્તાનને અફઘાનિસ્તાને યાદ અપાવી ભારત સામેની 1971ની હાર 

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે લાંબા સમયથી સરહદ વિવાદ એક મુખ્ય મુદ્દો છે, જે તાજેતરના સમયમાં વધુ ઊંડો બની રહ્યો છે. પાકિસ્તાને તાજેતરમાં અફઘાનિસ્તાનની અંદર આતંકવાદી લક્ષ્યો પર હવાઈ હુમલા કર્યા હતા, જેમાં ઘણા તાલિબાન લડવૈયાઓ માર્યા ગયા હતા. આ પછી અફઘાનિસ્તાને જવાબી કાર્યવાહીનો દાવો કર્યો હતો. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે તાલિબાનને લઈને કડક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તાલિબાનને કચડી નાખ્યા વિના પાકિસ્તાન આગળ વધી શકે તેમ નથી. દરમિયાન પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનના એક ભાગ વખાન પર કબજો કરવાની વાત ચાલી રહી છે, જેના પર તાલિબાન ગુસ્સે છે. -> યુદ્ધને લઈને પાકિસ્તાનનો ઈતિહાસ ઘણો ખરાબ છે :- તાલિબાન નાયબ વિદેશ મંત્રી શેર મોહમ્મદ અબ્બાસે ભારતનો ઉલ્લેખ કરીને પાકિસ્તાન પર જોરદાર નિશાન સાધ્યું. ટ્વીટર પર પોસ્ટ કરતાં તેમણે…

ઇઝરાયેલની ચિંતા વધારતા સમાચાર, હમાસે નવા લડવૈયાઓની કરી ભરતી

ઓક્ટોબર 2023 થી ગાઝા પટ્ટીમાં હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આમાં પેલેસ્ટિનિયન જૂથ હમાસને તાજેતરના સમયમાં ઘણું નુકસાન થયું છે. તાજેતરના મહિનાઓમાં તેના મોટા ભાગના ટોચના નેતાઓ અને કમાન્ડર માર્યા ગયા છે. આવી સ્થિતિમાં, કેટલાક નિષ્ણાતોએ હાલમાં જ હમાસના વિનાશનો દાવો શરૂ કર્યો હતો, પરંતુ આ જૂથે ફરી એકવાર જોરદાર વાપસી કરી છે. ઈઝરાયેલની વેબસાઈટ જેરુસલેમ પોસ્ટ અને ચેનલ 12એ પોતાના અહેવાલોમાં જણાવ્યું છે કે હમાસ નવા લડવૈયાઓની ભરતી કરીને ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલી આર્મી (આઈડીએફ) સામે જોરદાર વાપસી કરી રહ્યું છે. આ અહેવાલ ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂની ચિંતા વધારી શકે છે.ચેનલ 12એ બુધવારે રાત્રે પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે હમાસ પાસે હજુ પણ 20,000 થી 23,000 લડવૈયા છે. આઈડીએફનો દાવો છે કે…

પાકિસ્તાની સૈન્ય ચોકીઓ પર તાલિબાનનો હુમલો, 19 પાકિસ્તાની સૈનિકોને માર્યાનો દાવો

પાકિસ્તાની સેના અને તાલિબાન વચ્ચેની સરહદ ડ્યુરન્ડ લાઇન પર યુદ્ધ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. TTP આતંકવાદીઓ દ્વારા 16 પાકિસ્તાની સૈનિકોની હત્યા કર્યા પછી, પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનના પક્તિકા અને ખોસ્ત પ્રાંતમાં હવાઈ હુમલા કર્યા. પાકિસ્તાનના આ હુમલામાં લગભગ 50 લોકોએ જીવ ગુમાવ્યા હતો. પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેણે TTP આતંકવાદીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલાથી ગુસ્સે થઈને, તાલિબાને ડ્યુરન્ડ લાઇન પર પાકિસ્તાની સૈન્ય ચોકીઓ પર હુમલો કર્યો અને 19 પાકિસ્તાની સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો. આ સિવાય તેણે 2 પાકિસ્તાની પોસ્ટ કબજે કરવાનો પણ દાવો કર્યો છે.તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાન અંગ્રેજો દ્વારા દોરવામાં આવેલી ડ્યુરન્ડ લાઇનને સ્વીકારતું નથી. આ કારણે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શરૂઆતથી જ સ્થિતિ તણાવપૂર્ણ છે. હવે બંને દેશોએ એકબીજા…

યુક્રેન સાથે યુદ્ધને લઇને પુતિને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરી વાત, કહ્યું સમાધાન માટે છે તૈયાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ગુરુવારે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી. આ દરમિયાન તેમણે યુક્રેન યુદ્ધ પર સમાધાન કરવાની વાત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ચર્ચા માટે કોઈ પૂર્વશરતો નથી પરંતુ કોઈપણ સોદામાં કાયદેસર યુક્રેનિયન સત્તાવાળાઓનો સમાવેશ થવો જોઈએ.રોઇટર્સના અહેવાલ મુજબ, પુતિને કહ્યું કે રશિયા રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સહિત કોઈપણ સાથે વાત કરવા તૈયાર છે. પુતિને એક અમેરિકન ન્યૂઝ ચેનલના પત્રકારને કહ્યું કે તેમણે ટ્રમ્પ સાથે વર્ષોથી વાત કરી નથી, પરંતુ સંઘર્ષ અંગે ચર્ચા કરવા માટે તેમની સાથે મળવા માટે તૈયાર છે. -> અસ્થાયી યુદ્ધવિરામ પર પુતિને શું કહ્યું? :- પુતિને એવા દાવાઓને ફગાવી દીધા હતા કે રશિયા નબળી સ્થિતિમાં છે. તેમણે કહ્યું કે 2022માં યુક્રેન પર થયેલા હુમલા બાદ દેશ…