યુક્રેને રશિયા પર ડ્રોન વડે કર્યો મોટો હુમલો, તુઆપ્સે બંદરને થયું ભારે નુકશાન

યુક્રેને રશિયા પર મોટો ડ્રોન હુમલો કર્યો. આ હુમલામાં કાળા સમુદ્ર પર આવેલા રશિયાના તુઆપ્સ બંદરને વ્યાપક નુકસાન થયું હતું. અહેવાલ મુજબ, હુમલો એટલો ગંભીર હતો કે બંદરના એક ભાગમાં આગ લાગી જેના કારણે રશિયન તેલ ટર્મિનલ પ્રભાવિત થયું. રશિયાના હવાઈ સંરક્ષણ એકમે દાવો કર્યો હતો કે હુમલા દરમિયાન 164 યુક્રેનિયન ડ્રોનનો હવામાં નાશ કરવામાં આવ્યો છે.

રશિયન સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, રવિવારે રાત્રે યુક્રેન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલા દરમિયાન રશિયાના હવાઈ સંરક્ષણ એકમે 164 યુક્રેનિયન ડ્રોનનો નાશ કર્યો હતો. પ્રાદેશિક અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે યુક્રેનિયન ડ્રોન હુમલાને કારણે કાળા સમુદ્ર પર તુઆપ્સે ખાતે ભારે આગ લાગી હતી, જેના કારણે બંદરને નોંધપાત્ર નુકસાન થયું હતું.

ક્રાસ્નોદર ટેરિટરી વહીવટીતંત્રે જણાવ્યું હતું કે ડ્રોનનો કાટમાળ પડવાથી બંદરના માળખાને નુકસાન થયું હતું અને આગ લાગી હતી. આ બંદર તુઆપ્સે ઓઇલ ટર્મિનલ અને રોઝનેફ્ટ-નિયંત્રિત તુઆપ્સે ઓઇલ રિફાઇનરીનું ઘર છે. આ વર્ષે યુક્રેનિયન ડ્રોન દ્વારા બંને સ્થળોને ઘણી વખત નિશાન બનાવવામાં આવ્યા છે. જો કે, કયા બંદર માળખાને નુકસાન થયું છે તે સ્પષ્ટ થયું નથી.

લશ્કરી લોજિસ્ટિક્સમાં ખલેલ પહોંચાડવાના પ્રયાસો
રશિયન પાવર ગ્રીડ પરના હુમલાના બદલામાં કિવ (યુક્રેન) એ રશિયન રિફાઇનરીઓ, ડેપો અને પાઇપલાઇન્સ પર હુમલાઓ વધારી દીધા છે. આ હુમલાઓનો હેતુ ઇંધણ પુરવઠા પર દબાણ લાવવા, લશ્કરી લોજિસ્ટિક્સને વિક્ષેપિત કરવાનો અને રશિયાના યુદ્ધ સમયના ખર્ચમાં વધારો કરવાનો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

પેકેજ્ડ ફૂડ પર વોર્નિંગ લેબલ મુદ્દે સુપ્રીમ કોર્ટનો કડક વલણ, FSSAIને બે અઠવાડિયાની મહેતલ

પેકેજ્ડ ખાદ્ય પદાર્થોમાં ખાંડ, મીઠું અને સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ વધુ હોય તો તેના પેકેટના આગળના ભાગે સ્પષ્ટ ચેતવણી આપતું લેબલ લગાવવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણ પ્રાધિકરણ (FSSAI) સામે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે દેશના દરેક નાગરિકને તે શું ખાઈ રહ્યો છે અને ખાદ્ય પદાર્થમાં ખાંડ, મીઠું તથા સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ કેટલું છે તેની જાણકારી મેળવવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે સરકારને અંતિમ નિર્ણય લેવા માટે બે અઠવાડિયાનો સમય આપ્યો છે. સાથે જ ચેતવણી આપી છે કે જો સરકાર અને FSSAI તરફથી યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો અદાલત પોતે જ આ અંગે જરૂરી આદેશ જારી કરી શકે છે. શું છે સમગ્ર મામલો? આ મામલો પેકેજ્ડ ફૂડના…

‘ગાંજા કાંડ’ બાદ એર ઇન્ડિયાનો મોટો નિર્ણય, ગ્રૂપના તમામ પાયલટોનું ફરજિયાત ડ્રગ સ્ક્રીનિંગ

એર ઇન્ડિયા ગ્રૂપે પાયલટોની સલામતી અને મુસાફરોના વિશ્વાસને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. 13 ઓગસ્ટ 2026થી એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસના તમામ પાયલટોનું ફરજિયાત સાયકોએક્ટિવ સબસ્ટન્સ સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ તપાસમાં ઉડ્ડયન નિયમો હેઠળ પ્રતિબંધિત પદાર્થો અને કેટલીક પ્રતિબંધિત દવાઓની તપાસ કરવામાં આવશે. આ નિર્ણય 4 ઓગસ્ટની ફુકેત-દિલ્હી ફ્લાઇટ AI2379 સાથે જોડાયેલી ગંભીર ઘટનામાં પાયલટના મારિજુઆના ટેસ્ટના પોઝિટિવ પરિણામ બાદ લેવામાં આવ્યો છે. એર ઇન્ડિયાના તમામ પાયલટોની થશે તપાસ એર ઇન્ડિયાના નવા નિર્ણય હેઠળ માત્ર શંકાસ્પદ પાયલટો જ નહીં, પરંતુ ગ્રૂપના તમામ પાયલટોને સ્ક્રીનિંગ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આ ટેસ્ટ ટ્રેનિંગ સેશન દરમિયાન, ફ્લાઇટ બાદ તેમજ પાયલટોના નિર્ધારિત બેઝ અને અન્ય સ્થળોએ કરવામાં આવશે. કંપનીના ગુરુગ્રામ ટ્રેનિંગ એકેડેમી, ફ્લાઇટ બ્રીફિંગ સેન્ટર અને…