ઉજ્જૈનથી પરત ફરી રહ્યા હતા અને રસ્તામાં જ મોત, ગુજરાતના 6 યુવાનોનો ભયાનક અકસ્માત
મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં રવિવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં વડોદરાના છ યુવાનોના મોત થતાં ભારે અરેરાટી ફેલાઈ છે. આ તમામ યુવાનો ઉજ્જૈનમાં મહાકાલ મંદિરના દર્શન કરીને ગુજરાત પરત ફરી રહ્યા હતા. તેઓ ઈકો વેનમાં સવાર હતા. રસ્તામાં તેમની વેનને રોંગ સાઇડથી આવી રહેલા એક ટ્રોલાએ જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે વેનના ફૂરચા ઉડી ગયા હતા અને તેમાં સવાર છ યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયાં હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. એક અન્ય યુવાનને ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. બદનાવર-ઉજ્જૈન ફોરલેન પર ગમખ્વાર અકસ્માત આ દુર્ઘટના ધાર જિલ્લાના બદનાવર-ઉજ્જૈન ફોરલેન પર પંચકવાસા નજીક બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ગુજરાતથી આવેલા યુવાનો ઉજ્જૈન ખાતે મહાકાલના દર્શન કરવા ગયા હતા. દર્શન પૂર્ણ કર્યા બાદ…
મોબાઇલમાં અચાનક ગુંજ્યો ‘Extremely Severe Alert’, 11 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે ગુરુવારે બપોરે સુરત સહિત રાજ્યના 11 જિલ્લાઓમાં લાખો લોકોના મોબાઇલ ફોન પર અચાનક ‘Extremely Severe Alert’ ફ્લેશ થતાં લોકોમાં થોડા સમય માટે ગભરાટ અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. સામાન્ય એસએમએસથી સંપૂર્ણપણે અલગ આ ઇમરજન્સી એલર્ટ સાથે મોબાઇલમાં જોરદાર ચેતવણીની ટોન પણ વાગી હતી, જેના કારણે ઘણા લોકો ક્ષણભર માટે કોઈ મોટી કુદરતી આપત્તિ સર્જાઈ હોવાની આશંકાથી ચોંકી ઉઠ્યા હતા. આ એલર્ટ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (SDMA) દ્વારા સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ મારફતે મોકલવામાં આવ્યો હતો. એલર્ટમાં આગામી 24 કલાક દરમિયાન સુરત સહિત દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી હતી. આ સંદેશ મળ્યા બાદ સોશિયલ મીડિયા પર તેના સ્ક્રીનશોટ અને વીડિયો ઝડપથી…
ગુજરાતની મહાનગરપાલિકાઓમાં હવે વહિવટદાર શાસન, વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ
ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓમાં વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ થવાના કારણે હવે ત્યાં વહિવટદારો દ્વારા વહીવટ સંભાળવામાં આવશે. આગામી દિવસોમાં જ્યાં સુધી નવું બોર્ડ રચાશે નહીં ત્યાં સુધી મહાનગરપાલિકાઓનો દૈનિક વહીવટ સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા વહિવટદારો સંભાળશે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ વિવિધ શહેરોની મહાનગરપાલિકાઓ માટે વહિવટદારોની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકામાં અગ્ર સચિવ મુકેશ કુમારને વહિવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકામાં શાલિની અગ્રવાલને ચાર્જ સોંપવામાં આવ્યો છે, જ્યારે સુરત મહાનગરપાલિકામાં શિક્ષણ સચિવ મિલિંદ તોરવણેની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકામાં હર્ષદ પટેલને વહિવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ થવાની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. ભાવનગર અને અમદાવાદ મહાનગરપાલિકામાં 9 માર્ચે બોર્ડની મુદત પૂર્ણ થશે. જામનગર…
Vadodara : વઢવાણા તળાવમાં પક્ષીઓની સંખ્યામાં મોટો ઘટાડો | #vadodara
વઢવાણા તળાવ, જે ડભોઇ તાલુકોમાં આવેલું છે, વિદેશી પક્ષીઓ માટે જાણીતું સ્થળ માનવામાં આવે છે. પરંતુ આ વર્ષે અહીં આવતા પક્ષીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાતા ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તાજેતરની ગણતરી મુજબ વર્ષ 2026માં વઢવાણા તળાવમાં કુલ 47,700 પક્ષીઓ નોંધાયા છે, જે 2022ની સરખામણીએ લગભગ અડધા જેટલા છે. વર્ષવાર આંકડા પર નજર કરીએ તો 2022માં 95,000, 2023માં 50,000, 2024માં 54,171, 2025માં 29,189 અને 2026માં 47,700 પક્ષીઓ નોંધાયા છે. આ વર્ષે વિવિધ પ્રજાતિના પક્ષીઓમાં ગ્લોસી આઈબિસ આશરે 9,000, કોમન ફૂટસ 12,370, નોર્ધન પિનટેઇલ 9,800, નોબબિલ્ડ ડક 8,000, રડી શેલડક 7,450 અને ગ્રેલેગ ગીસ 3,300 જેટલા નોંધાયા છે. વિશેષ નોંધનીય છે કે વઢવાણા તળાવને અગાઉ રામસર સાઈટ તરીકે પણ જાહેર કરવામાં આવ્યું છે, જે તેને આંતરરાષ્ટ્રીય…
વડોદરા અને અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસ દ્વારા કરાઈ તાત્કાલીક કાર્યવાહી
વડોદરા અને અમદાવાદમાં કેટલાક શાળાઓને ઈ-મેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. વડોદરામાં 3 સ્કૂલોને અને અમદાવાદમાં 4 સ્કૂલોને ધમકી મળતાં પોલીસ તાત્કાલીક સ્થળ પર પહોંચી હતી. બાળકોને સુરક્ષિત રીતે સ્કૂલમાંથી બહાર કાઢવામાં આવ્યા અને સુરક્ષા પગલાં કડક કરવામાં આવ્યા. અમદાવાદની સ્કૂલોને મળી બોમ્બની ધમકી અમળેટમ માહિતી મુજબ, નીચેની સ્કૂલોને ઈ-મેલ દ્વારા બોમ્બ ધમકી આપવામાં આવી હતી: – DAV ઇન્ટરનેશનલ સ્કૂલ, મકરબા – એશિયા સ્કૂલ, વસ્ત્રાપુર – A વન સ્કૂલ, સેટેલાઇટ ધમકી મળતા જ, સ્કૂલો ખાલી કરાવવામાં આવી અને વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. સુરક્ષાની દૃષ્ટિએ ત્રણેય સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી. વડોદરાની સ્કૂલો ખાલી કરાવી – ડી.આર.અમિન – ઉર્મિ સ્કૂલ અને ઉર્મિ સ્કૂલની હોસ્ટેલ – નાલંદા સ્કૂલ ખાસ કરીને ઉર્મિ સ્કૂલની હોસ્ટેલ પણ ખાલી…
વડોદરા ભાજપના સંગઠન માળખાની જાહેરાત, ડૉ. જયપ્રકાશ સોનીની ટીમમાં નવા ચહેરાઓને સ્થાન
વડોદરા શહેર ભાજપમાં લાંબા સમયની રાહ જોવાયા પછી નવી સંગઠન માળખાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની દ્વારા પ્રદેશ નેતૃત્વની સૂચના મુજબ વિવિધ પદો પર નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. આ ટીમમાં અનુભવી અને યુવા કાર્યકરોનો સમન્વય કરવામાં આવ્યો છે અને શહેરના દરેક વોર્ડ અને મંડળનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. મુખ્ય સંગઠન માળખું – ઉપપ્રમુખ: નિલેશભાઈ રાણા, કુમારી કોમલબેન કુકરેજા, ભુરસીંગભાઈ રાઠવા, શુભાંગીનીબેન જગતાપ, નરેન્દ્રભાઈ પટેલ, નિમિષાબેન પંચાલ, ભરતભાઈ ઠક્કર, મહેન્દ્રસિંહ રાઠોડ – મહામંત્રી: લકુલેશભાઈ ત્રિવેદી, દીપકભાઈ પઢિયાર, રમેશભાઈ પટેલ – મંત્રી પદ: અશોક સવજીભાઈ ચૌધરી, વર્ષાબેન વ્યાસ, પ્રતિમાબેન મિસ્ત્રી, ખુશબુબેન રાણાપુરા, સમીરભાઈ વાઘેલા, ચિરાગભાઈ ફણસે, યુગાદિત્યસિંહ જાડેજા, કોમલબેન દવે – કોષાધ્યક્ષ: તેજસભાઈ દેસાઈ – કાર્યાલય મંત્રી: નયન નટુભાઈ…
ગંભીરા બ્રિજની કામગીરીમાં લેબર ઈજા પામેલ મજૂર અમદાવાદ ખાતે સારવાર હેઠળ, તબિયત હાલ સુધારા હેઠળ
ગંભીરા બ્રિજની કામગીરીમાં લેબર ઈજા પામેલ છે તે અન્વયે જણાવવાનું કે હાલ ગંભીરા બ્રિજ પર પુલની કામગીરી પૂરજોશમાં ચાલુ છે. હાલમાં આ બ્રિજ માં અંદાજિત 300 થી 350 મજૂરો કામગીરી કરી રહેલ છે. એક મજૂર સેફટી સાધન પહેરીને પિયરની કામગીરી કરી રહ્યો હતો તે દરમિયાન સેફ્ટી બેલ્ટનો હુક યોગ્ય સ્થળે ન લગાવતા કામગીરી દરમિયાન અકસ્માતથી લપસીને નીચે પડેલ ગયો હતો. આ દરમિયાન ઇજારદારના મેનેજર ચાર્મીલભાઈ તથા જીગરભાઈ સ્થળ પર હાજર હતા.આ ઘટનાને કારણે મજુરને કમરના ભાગમાં તથા પગના ભાગમાં ફેકચરની ઈજા થવા પામી છે. ઇજારદાર દ્વારા તે વ્યક્તિને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં જરૂરી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હાલ તે અમદાવાદ ખાતે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે એમ વડોદરા માર્ગ અને મકાન રાજ્ય વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરની યાદીમાં…
















