ભારત–અમેરિકા વચ્ચે ઐતિહાસિક વેપાર સમજૂતી: ટ્રમ્પ–મોદીના નેતૃત્વમાં ‘વચગાળાના કરાર’નું એલાન

ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા વચ્ચે વેપાર ક્ષેત્રે એક ઐતિહાસિક અને વ્યૂહાત્મક સિદ્ધિ નોંધાઈ છે. બંને દેશોએ પરસ્પર લાભ અને સંતુલિત વેપાર સંબંધોને નવી દિશા આપતા એક માળખાગત ‘વચગાળાના કરાર’ (Interim Trade Agreement) પર પહોંચવાની જાહેરાત કરી છે. આ કરાર 13 ફેબ્રુઆરી, 2025ના રોજ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ જે. ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) વાટાઘાટોનું મહત્વપૂર્ણ પરિણામ છે. આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે મજબૂત સપ્લાય ચેઈન વિકસાવવાનો, સમાન બજાર પ્રવેશ સુનિશ્ચિત કરવાનો અને વેપારમાં અવરોધો ઘટાડવાનો છે. તેને ભારત–અમેરિકા સંબંધોમાં વિશ્વાસ અને વ્યૂહાત્મક ભાગીદારીનું પ્રતીક ગણાવવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી મોદીની પ્રતિક્રિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર આ કરારને ભારત અને અમેરિકા માટે ‘શુભ સમાચાર’…

ભારત રશિયા પાસેથી તેલ ખરીદશે કે નહીં? પીયૂષ ગોયલે સીધો જવાબ ટાળ્યો, કહ્યું – નિર્ણય જરૂરિયાત પ્રમાણે લેવાશે

ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે કે ચાલુ રાખશે – આ મુદ્દે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી. તેમણે જણાવ્યું કે આ વિષય પર વિદેશ મંત્રાલય દ્વારા ધ્યાન આપવામાં આવશે અને ભારત પોતાના રાષ્ટ્રીય હિત અને નાગરિકોની જરૂરિયાતોને આધારે નિર્ણય લેશે. તાજેતરમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક પોસ્ટમાં દાવો કર્યો હતો કે અમેરિકા સાથે વેપાર કરાર થયા બાદ ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દેશે. જોકે, ભારત સરકાર તરફથી આ દાવા પર હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિભાવ આપવામાં આવ્યો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત બજારની પરિસ્થિતિ અને શ્રેષ્ઠ સોદા આધારે બિન-પ્રતિબંધિત સંસ્થાઓ પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે. તેલની કિંમતો પણ બજારની માંગ અને પુરવઠા પર આધારિત રહેશે. આ દરમિયાન…

India-USA ટ્રેડ ડીલ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું – નવી તકો અને વૈશ્વિક બજારો માટે દ્વાર ખુલશે

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે India-USA વચ્ચે થયેલા નવા ટ્રેડ ડીલ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલી આ ડીલ માત્ર ઉદ્યોગ માટે સીમિત નથી, પરંતુ બે મોટી અર્થવ્યવસ્થાના નાગરિકોના હિતમાં અને નવી તકોના સર્જન માટેની ડીલ છે. વૈશ્વિક બજારો માટે નવા દ્વાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ ડીલ મેઈક ઇન ઇન્ડિયા અને મેડ ફોર ધ વર્લ્ડ જેવા વિઝનને વધુ બળ આપશે. ડીલ હેઠળ મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર યુએસ ટેરિફમાં 18% ની કટौती કરવામાં આવી છે, જે ઉત્પાદન, MSME, નિકાસકારો અને રોજગારી સર્જન માટે મોટું પ્રોત્સાહન હશે. ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ્સ માટે હવે વૈશ્વિક બજારોમાં પ્રવેશ સરળ બનશે. ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સને લાભ મુખ્યમંત્રી એ ઉમેર્યું કે, ગુજરાત ટેક્સટાઇલ, ફાર્મા, કેમિકલ, પેટ્રોલિયમ, જેમ્સ અને…