જૂનાગઢ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની સફારી મુલાકાત, સાવજ દર્શન અને આદિવાસી મહિલાઓ સાથે સંવાદ
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ હાલ ગુજરાતના પ્રવાસે છે. આજે તેમણે જૂનાગઢ જિલ્લાની મુલાકાત લઈ સાસણ ગિર સફારી પાર્કમાં સાવજ દર્શન કર્યા હતા અને સાથે સાથે આદિવાસી સમુદાયના લોકોને મળીને સંવાદ કર્યો હતો. 20થી વધુ સાવજોની મુલાકાત, રાષ્ટ્રપતિ ખુશખુશાલ દ્રૌપદી મુર્મૂએ સફારી પાર્કમાં ત્રણ અલગ-અલગ રૂટ પરથી સફારીનો આનંદ માણ્યો, જેમાં તેમને કુલ 20થી વધુ સિંહોના દર્શન કરાવાયા હતા. – પ્રથમ ગ્રુપ: 12 સિંહો – બીજું ગ્રુપ: 7 સાવજ – ત્રીજું ગ્રુપ: એક સિંહ-બેલડીનો જોડીદાર દેખાડાયો ભંભા ફોડ નાકાથી રાષ્ટ્રપતિએ પ્રવેશ કર્યો હતો અને વિભિન્ન રૂટ પર નૈસર્ગિક સૌંદર્ય અને જીવોના સંરક્ષણનું નિહાળન કર્યું. અધિકારીઓએ તેમને સિંહોની આદતો, રહેણાક વિસ્તાર, ખોરાક અને જૈવિક વ્યવસ્થાની માહિતી આપી. અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિની મુલાકાતને પગલે સફારી પાર્ક નાગરિકો માટે…
Junagadh : વડાપ્રધાન મોદી સાસણ ગીરની મુલાકાતે, ગીરના જંગલમાં કર્યા સિંહ દર્શન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે સાસણ ગીરની મુલાકાતે આવ્યા છે. સાસણ ગીરમાં વડાપ્રધાને સિંહ દર્શન કર્યા છે. વડાપ્રધાને 6થી વધારે સિંહના દર્શન કર્યા છે. પ્રથમ 2 નર સિંહના કર્યા દર્શન અને બાદમાં સિંહ પરિવારના PMએ દર્શન કર્યા હતા. ભંભાફોલ નાકા પાસેથી ખુલ્લી જીપ્સીમાં સિંહ દર્શન કર્યા હોવાની વાત સામે આવી છે. -> પીએમ મોદી ગુજરાતનાં પ્રવાસે :- વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે રાત્રિ જામનગર પહોંચ્યા હતા. સર્કિટ હાઉસમાં રાત્રિરોકાણ કર્યા બાદ રવિવારે જામનગર ખાતે વનતારાની મુલાકાત લીધી હતી. જે બાદ હેલિકોપ્ટર દ્વારા સોમનાથ પહોંચ્યા હતા. જ્યાં મંદિરમાં શાસ્ત્રોક્તવિધિ સાથે સોમનાથદાદાનાં દર્શન-પૂજન અને આરતી કરી હતી. ત્યારબાદ હેલિકોપ્ટર મારફતે વડાપ્રધાનનું સાસણમાં આગમન થયું હતું.આજે વહેલી સવારે તેઓએ સિંહ દર્શન કર્યા અને વર્લ્ડ વાઈડ લાઈફની કોન્ફરન્સ પૂર્ણ કરીને…
વડાપ્રધાન મોદી ફરી વતન પધારશે, જાણો ક્યારે અને ક્યાં કાર્યક્રમમાં હાજરી આપશે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યા છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદી આગામી માર્ચ મહિનામાં બે દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. જેમાં તેઓ બે મોટા કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ 2 અને 3 માર્ચ ગુજરાત આવશે. -> 2 માર્ચે સાસણ ગીર પહોંચશે વડાપ્રધાન :- વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી પ્રથમવખત ગીરની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે નિમિત્તે ગીર અને સોમનાથની મુલાકાત કરશે. તેઓ 2 માર્ચે સાસણ ગીર પહોંચશે અને ત્યાં રાત્રીરોકાણ કરનાર છે. 3 માર્ચે વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડેના દિવસે સાસણમાં નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડલાઈફની બેઠક યોજાશે. આ પ્રસંગે વડાપ્રધાન સિંહ સંરક્ષણ માટે નવી યોજનાઓની જાહેરાત કરી શકે છે. -> વડાપ્રધાન ફરી 7 અને 8 માર્ચે આવશે ગુજરાત :- મળતી…









