વડાપ્રધાન મોદી ફરી વતન પધારશે, જાણો ક્યારે અને ક્યાં કાર્યક્રમમાં હાજરી આપશે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યા છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદી આગામી માર્ચ મહિનામાં બે દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. જેમાં તેઓ બે મોટા કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ 2 અને 3 માર્ચ ગુજરાત આવશે.

-> 2 માર્ચે સાસણ ગીર પહોંચશે વડાપ્રધાન :- વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી પ્રથમવખત ગીરની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે નિમિત્તે ગીર અને સોમનાથની મુલાકાત કરશે. તેઓ 2 માર્ચે સાસણ ગીર પહોંચશે અને ત્યાં રાત્રીરોકાણ કરનાર છે. 3 માર્ચે વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડેના દિવસે સાસણમાં નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડલાઈફની બેઠક યોજાશે. આ પ્રસંગે વડાપ્રધાન સિંહ સંરક્ષણ માટે નવી યોજનાઓની જાહેરાત કરી શકે છે.

-> વડાપ્રધાન ફરી 7 અને 8 માર્ચે આવશે ગુજરાત :- મળતી માહિતી મુજબ, વડાપ્રધાન મોદી 7 અને 8 માર્ચે ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ 7 માર્ચે સુરતના લીંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે. જે બાદ બીજા દિવસે 8 માર્ચે નવસારીમાં વડાપ્રધાન મહિલા દિવસના કાર્યક્રમમાં હાજર રહેશે.

Related Posts

ભાજપના ‘વ્યૂહરચનાકાર’ની વિદાય: જ્યોર્જ કુરિયનના રાજીનામા પાછળનું અસલી કારણ શું?

ભાજપના રાજકારણમાં મોટો વળાંક: વરિષ્ઠ નેતા જ્યોર્જ કુરિયનનું કેન્દ્રીય મંત્રીપદેથી રાજીનામું, સંગઠનમાં ગરમાવો નવી દિલ્હી: ભારતીય રાજનીતિમાં આજે એક મોટી ઘટના સામે આવી છે. કેન્દ્ર સરકારમાં મંત્રી તરીકે ફરજ બજાવતા…

જગન્નાથ રથયાત્રા ૧૪૯: અમદાવાદ ફરી ભક્તિના રંગે રંગાશે, તૈયારીઓ પૂરજોશમાં!

ભક્તિ અને શ્રદ્ધાનો મહાસાગર: અમદાવાદમાં ૧૪૯મી રથયાત્રા માટે જમાલપુરનું જગન્નાથ મંદિર સજ્જ! અમદાવાદ: અષાઢી બીજનો દિવસ એટલે આખા દેશમાં ભગવાન જગન્નાથના ભક્તો માટે ઉત્સવનો દિવસ. જ્યારે પુરીના દરિયાકિનારે ભક્તોનો મેળાવડો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *