વડાપ્રધાન મોદી ફરી વતન પધારશે, જાણો ક્યારે અને ક્યાં કાર્યક્રમમાં હાજરી આપશે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યા છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદી આગામી માર્ચ મહિનામાં બે દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. જેમાં તેઓ બે મોટા કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ 2 અને 3 માર્ચ ગુજરાત આવશે.

-> 2 માર્ચે સાસણ ગીર પહોંચશે વડાપ્રધાન :- વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી પ્રથમવખત ગીરની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે નિમિત્તે ગીર અને સોમનાથની મુલાકાત કરશે. તેઓ 2 માર્ચે સાસણ ગીર પહોંચશે અને ત્યાં રાત્રીરોકાણ કરનાર છે. 3 માર્ચે વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડેના દિવસે સાસણમાં નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડલાઈફની બેઠક યોજાશે. આ પ્રસંગે વડાપ્રધાન સિંહ સંરક્ષણ માટે નવી યોજનાઓની જાહેરાત કરી શકે છે.

-> વડાપ્રધાન ફરી 7 અને 8 માર્ચે આવશે ગુજરાત :- મળતી માહિતી મુજબ, વડાપ્રધાન મોદી 7 અને 8 માર્ચે ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ 7 માર્ચે સુરતના લીંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે. જે બાદ બીજા દિવસે 8 માર્ચે નવસારીમાં વડાપ્રધાન મહિલા દિવસના કાર્યક્રમમાં હાજર રહેશે.

Related Posts

GIFT સિટી પાસે અમિતાભ બચ્ચનની જમીન પર બનશે ૧૦ લાખ ચોરસ ફૂટનું અલ્ટ્રા-લક્ઝરી હબ 2026

GIFT સિટી પાસે ‘બિગ બી’ની જમીન પર ખીલશે ‘લોટસ’: 10 લાખ ચોરસ ફૂટનો અલ્ટ્રા-લક્ઝરી પ્રોજેક્ટ, બચ્ચન પરિવારની જમીન પર બનશે રિટેલ-ઓફિસ-રેસિડેન્શિયલ હબ  GIFT સિટી પાસે અમિતાભ બચ્ચન પરિવારની જમીન પર 10 લાખ ચોરસ ફૂટથી વધુનો અલ્ટ્રા-લક્ઝરી મિક્સ્ડ-યુઝ પ્રોજેક્ટ બનશે. જાણો પ્રોજેક્ટમાં શું હશે અને ક્યારે પૂર્ણ થશે.ગાંધીનગરની GIFT સિટી આસપાસ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વધુ એક મોટો પ્રોજેક્ટ ચર્ચામાં આવ્યો છે. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન પરિવાર સાથે જોડાયેલી જમીન પર મુંબઈ સ્થિત Shree Lotus Developers & Realty દ્વારા અલ્ટ્રા-લક્ઝરી મિક્સ્ડ-યુઝ ડેવલપમેન્ટ તૈયાર કરવાની યોજના છે. આ પ્રોજેક્ટનું કુલ બિલ્ટ-અપ એરિયા 10 લાખ ચોરસ ફૂટથી વધુ હોવાનું સામે આવ્યું છે.આ પ્રોજેક્ટમાં પ્રીમિયમ રિટેલ, Grade-A કોમર્શિયલ ઓફિસ અને હાઈ-એન્ડ રેસિડેન્શિયલ સ્પેસનો સમાવેશ થવાનો છે. કંપની માટે ગુજરાતમાં આ…

PM મોદીએ IIT દિલ્હી ખાતે Gen-Z સાથે કર્યો સંવાદ: જીવનની પરીક્ષા અને સવાલો પર મોટી વાત 2026 Dynamic

PM મોદીએ IIT દિલ્હી ખાતે Gen-Z સાથે કર્યો સંવાદ: કહ્યું- જીવનની પરીક્ષામાં બધું ‘આઉટ ઓફ સિલેબસ’, માત્ર સવાલ નહીં ઉકેલ પણ શોધો  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં Gen-Z સાથે સંવાદ કર્યો. તેમણે કહ્યું કે જીવનની પરીક્ષામાં બધું આઉટ ઓફ સિલેબસ હોય છે. જાણો PM મોદીના સંદેશ, ડિગ્રી વિતરણ અને Param Pragyaની ખાસિયતો.નવી દિલ્હીમાં આજે IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાને 3,000થી વધુ વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા અને અનેક પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રતિષ્ઠિત સન્માન એનાયત કર્યા. સમારોહ દરમિયાન તેમણે Gen-Z એટલે કે નવી પેઢીના યુવાનો સાથે જીવન, પડકારો અને સમસ્યાઓના ઉકેલ અંગે મહત્વપૂર્ણ વાત કરી. PM એ ‘જીવનની પરીક્ષામાં બધું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *