ચૈત્રી નવરાત્રીને લઈને પાવાગઢમાં દર્શનનાં સમયમાં ફેરફાર, મંદિરના ટ્રસ્ટે સમય પત્રક કર્યુ જાહેર

ચૈત્રી નવરાત્રીમાં માતાજીના અન્ય યાત્રાધામોની જેમ પાવાગઢમાં પણ ભક્તોની ભીડ ઉમટતી હોય છે. જેને લઈને પાવાગઢ મંદિર ટ્રસ્ટે ખાસ સમય પત્રક બહાર પાડ્યું છે..જેથી ભક્તો આ સમય પત્રકને ધ્યાનમાં રાખે તો તેમને દર્શન માટે કોઇ અગવડતા નહીં પડે. અને ભક્તો સારી રીતે માતાજીનાં દર્શન કરી શકશે. પાવાગઢ મંદિરના સમય પત્રક અનુસાર, એકમ, આઠમ, નોમ અને પૂનમના દિવસે મંદિર સવારે 4 વાગ્યે ખુલશે, જ્યારે બાકીના દિવસોમાં મંદિર સવારે 5 વાગે ખુલશે. તમામ નવ દિવસોમાં મંદિર રાત્રે 8 વાગ્યે બંધ થશે.જેનું ભક્તોએ ખાસ ધ્યાનમાં રાખવું. ચૈત્રી નવરાત્રીનો ઈતિહાસ:- પૌરાણિક માન્યતાઓ અનુસાર પૃથ્વી પર મહિષાસુર નામના રાક્ષસનો આતંક ઘણો વધી ગયો હતો. મહિષાસુરને વરદાન હતું કે કોઈ દેવ કે દાનવ તેને હરાવી શકશે નહીં. મહિષાસુરનાં આતંકને કારણે સર્વત્ર અરાજકતા…

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 9 લોકોના જીવ લેનારને કેસમાંથી મુક્તિ જોઈએ, તથ્ય પટેલે કરી હાઇકોર્ટમાં અરજી

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 9 નિર્દોષ લોકોના જીવ લેનાર તથ્ય પ્રજ્ઞેશ પટેલ જેલમાં છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ પોલીસ આરોપી તથ્ય વિરુદ્ધ મજબૂત પુરાવા એકઠા કર્યા છે. પોલીસની તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જો કે, હવે 9 લોકોનો ભોગ લેનાર અકસ્માતના આરોપીને આ કેસમાંથી મુક્તિ જોઈએ છે. –>તથ્ય પટેલે કરી હાઇકોર્ટમાં અરજી:- ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે કે, તેમને આ કેસમાંથી મુક્તિ જોઈએ છે. જેના પગલે આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. ઉલ્લેખનિય છે કે, અમદાવાદના ઈસ્કોન બ્રિજ પાસે જુલાઈ 2023માં અકસ્માત સર્જ્યો હતો જેમાં 9 લોકોના જીવ લીધા હતા. તેમજ 13 લોકોને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. –> શું છે સમગ્ર…

હમાસે શનિવારે લગભગ 200 પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં ચાર મહિલા ઇઝરાયલી સૈનિકોને મુક્ત કરી

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે 15 મહિના સુધી યુદ્ધ ચાલ્યું, પરંતુ હવે એક પછી એક રાહત આપતા સમાચાર સામે આવી રહ્યા છે યુદ્ધ વિરામ કરારના ભાગ રૂપે, હમાસે શનિવારે લગભગ 200 પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં ચાર મહિલા ઇઝરાયલી સૈનિકોને મુક્ત કરી.AFPના અહેવાલ મુજબ, ચાર સૈનિકો (કરિના એરિવ, ડેનિએલા ગિલ્બોઆ, નામા લેવી અને લીરી અલ્બાગ) ને ગાઝામાં રેડ ક્રોસને સોંપવામાં આવ્યા છે. -> તેલ અવીવમાં ખુશીની લહેર :- મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચાર મહિલાઓની મુક્તિ પહેલાં, હમાસના બંદૂકધારીઓ અને લોકોનુ મોટુ ટોળુ ગાઝા શહેરના પેલેસ્ટાઇન સ્ક્વેર પર એકઠું થયુ હતું. મહિલાઓને પેલેસ્ટાઇનના વાહનમાંથી બહાર કાઢીને સ્ટેજ પર લાવવામાં આવી હતી. તેમણે સ્મિત કર્યું અને ભીડ તરફ હાથ લહેરાવ્યો. પછી તેઓ રેડ ક્રોસના વાહનોમાં સવાર થયા. ગાઝામાં ચાર બંધકોને રેડ ક્રોસને…

ડોનાલ્ડ ટ્રમ્પે તાલિબાને મુક્ત કરેલા બે અમેરિકન નાગરિકોના બદલામાં લાદેનના સાથીને જેલમાંથી મુક્ત કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે અમેરિકામાં કાર્યભાર સંભાળ્યો. કાર્યભાર સંભાળ્યા પછી, ટ્રમ્પે આતંકવાદી નેતા ઓસામા બિન લાદેનના નજીકના મિત્ર કહેવાતા ખાન મોહમ્મદને ગ્વાન્ટાનામો જેલમાંથી મુક્ત કર્યો. આના જવાબમાં, અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પણ બે અમેરિકન નાગરિકોને તેની જેલમાંથી મુક્ત કર્યા છે. જોકે, પાકિસ્તાની નાગરિક ડૉ. આફિયા અંગે અમેરિકન વહીવટીતંત્રે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. -> અમેરિકન નાગરિકોના બદલામાં આતંકવાદીને મુક્ત કરાવવા માંગે છે તાલિબાન :- તાલિબાને કથિત ગુનાઓના આરોપસર ત્રણ અમેરિકન નાગરિકોને બંધક બનાવ્યા હતા. તાલિબાને અમેરિકા સમક્ષ માંગણી કરી કે આ અમેરિકન નાગરિકોના બદલામાં અમેરિકન જેલમાં કેદ અફઘાન આતંકવાદીઓ અને પાકિસ્તાની આતંકવાદી ડૉ. આફિયાને મુક્ત કરવામાં આવે. આ બાબતે અમેરિકા અને અફઘાન તાલિબાન વચ્ચે લાંબી વાટાઘાટો પણ થઈ હતી. ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિએ શરૂઆતના તબક્કામાં જ આ વાતચીતને…

ઇમરજન્સી ટ્રેલરઃ ‘આઇ એમ ધ કેબિનેટ’, કંગના રનૌતની ‘ઇમરજન્સી’નું બીજું ટ્રેલર રિલીઝ થયું

જો આપણે નવા વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મની વાત કરીએ તો તેમાં અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સીનું નામ સામેલ થશે. લાંબા સમયથી વિવાદમાં રહેલી આ ફિલ્મની રિલીઝનો રસ્તો સાફ થઈ ગયો છે અને હવે કંગનાની ફિલ્મનું બીજું લેટેસ્ટ ટ્રેલર મેકર્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે.દેશના પૂર્વ વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાનના કટોકટીના સમયગાળાને ઈમરજન્સીમાં દર્શાવવામાં આવ્યો છે. ચાલો હવે આ ફિલ્મના લેટેસ્ટ ટ્રેલર (ઇમર્જન્સી ટ્રેલર 2) પર એક નજર કરીએ. -> ઈમરજન્સીનું બીજું વિસ્ફોટક ટ્રેલર રિલીઝ :- 6 જાન્યુઆરીએ ફિલ્મ ઈમરજન્સીનું વધુ એક નવું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવી રહેલી કંગના રનૌત પોતાની તાકાત બતાવતી જોવા મળી રહી છે. 1 મિનિટ 50 સેકન્ડનું આ બીજું ટ્રેલર જોઈને સ્પષ્ટ થાય છે કે…