રાજ્યસભામાં ‘લૂંગીવાળા’ ટિપ્પણીથી ભારે હોબાળો, સભાપતિએ સાંસદોને આપી કડક સલાહ

રાજ્યસભામાં બુધવારે એક ટિપ્પણીને લઈને ભારે હોબાળો જોવા મળ્યો હતો. CPI(M)ના સાંસદ જોન બ્રિટાસે આક્ષેપ કર્યો હતો કે એક સાંસદે તેમને ‘લૂંગીવાળા’ કહીને સંબોધ્યા હતા. બ્રિટાસે આ ટિપ્પણી સામે વાંધો ઉઠાવતા કહ્યું કે આ માત્ર વ્યક્તિગત ટિપ્પણીનો મુદ્દો નથી, પરંતુ દેશની વિવિધતા, પ્રાદેશિક સંસ્કૃતિ અને સંસદની ગરિમા સાથે જોડાયેલો પ્રશ્ન છે. મામલો ઉગ્ર બનતા રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને સાંસદોને એકબીજાની પરંપરા અને લાગણીઓનું સન્માન કરવાની સલાહ આપી હતી. જોન બ્રિટાસે ગૃહમાં શું કહ્યું? રાજ્યસભામાં મુદ્દો ઉઠાવતા જોન બ્રિટાસે જણાવ્યું હતું કે તેમને એક સભ્ય દ્વારા વારંવાર ‘લૂંગીવાળા’ કહીને સંબોધવામાં આવ્યા હતા. તેમણે આ પ્રકારના સંબોધન સામે ગંભીર વાંધો વ્યક્ત કર્યો હતો. રાજ્યસભામાં બ્રિટાસે પોતાની ઓળખ ભારતીય, દક્ષિણ ભારતીય અને ગર્વિત મલયાલી તરીકે કરાવતા કહ્યું હતું કે…